Oct 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-321

 

અધ્યાય-૩૩-ભીમસેનનાં વાક્યો 


II वैशंपायन उवाच II याज्ञसेन्या वचः श्रुत्वा भीमसेनो ह्यमर्पण: I निश्चसन्नुपसंगम्य रुद्वो राजानमब्रवीत् II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રૌપદીના વચન સાંભળીને અસહનશીલ ભીમસેન ક્રોધમાં આવીને યુધિષ્ઠિર પાસે ગયો ને 

નિશ્વાસ નાખતો બોલ્યો કે-'સત્પુરુષોને યોગ્ય અને ધર્મથી યુક્ત એવી રાજ્યપદવીને માટે તમે કંઈ કરો.

ધર્મ,કામ અને અર્થથી હીન થયેલા આપણે શા માટે તપોવનમાં વસવું જોઈએ? દુર્યોધને આપણું રાજ્ય કંઈ ધર્મથી,સરળતાથી કે તેજસ્વીતાથી થોડું જ જીતી લીધું હતું? તેણે તો જુગટામાં કપટનો આશ્રય લઈને છીનવી લીધું છે.

એઠું ખાનારો શિયાળ જેમ બળવાન સિંહોનું માંસ લઇ જાય છે તેમ દુર્બળ દુર્યોધન આપણું રાજ્ય હરી બેઠો છે.

Oct 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-320

 

અધ્યાય-૩૨-દ્રૌપદીનો નીતિવાદ 


II द्रौपदी उवाच II नावमन्ये न गर्हे च धर्म पार्थ कथंचन I ईश्वरं कृतएवाहमयर्मस्ये प्रजापतिम II १ II

દ્રૌપદી બોલી-હે પૃથાનંદન,હું ધર્મનું કોઈ રીતે અપમાન કરતી નથી,કે તેને કોઈ રીતે નિંદતી નથી.તો પછી,

પ્રજાપતિ ઈશ્વરને તો હું કેમ અવમાનું? હે ભારત,હું તો દુઃખની મારી જ આ પ્રલાપ કરી રહી છું,એમ જાણો.

ફરી હું કેટલોક પ્રલાપ કરીશ તે તમે સાંભળો.હે શત્રુનાશન,આ લોકમાં જાણકારે કર્મ અવશ્ય કરવાં જ જોઈએ,

કર્મ કર્યા વિના તો માત્ર સ્થાવરો જ જીવે છે,બીજાં પ્રાણીઓ જીવતાં નથી.વાછરડું જન્મતાંની સાથે જ ગાયના આંચળ ધાવે છે અને તાપ લાગે ત્યારે છાંયે જઈને બેસે છે,એ પરથી સમજાય છે કે પ્રાણીઓ 

પોતાના પૂર્વકર્મોના સંસ્કારોને અનુસરે છે.હે ભરતોત્તમ,વળી,જંગમોમાં ખાસ કરીને મનુષ્યો 

આ લોક ને પરલોકમાં પોતાના કર્મથી જ આજીવિકા મેળવવા ઈચ્છે છે.(5)

Oct 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-319

અધ્યાય-૩૧-યુધિષ્ઠિરનો ઉત્તર 


II युधिष्ठिर उवाच II वल्गु चित्रपदं श्लक्ष्णं याज्ञसेनि त्वया वचः I उक्तं तछ्रुतमस्माभिर्नास्तिक्यं तु प्रभाषसे II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે યાજ્ઞસેની,તેં જે સુંદર પણ વિચિત્ર પદવાળાં વચનો કહ્યાં,તે અમે સાંભળ્યા,તું તો વેદવિરુદ્ધ ને નાસ્તિક વાતો કરે છે.હું કોઈ કર્મના ફળને શોધતો દોડતો નથી પણ 'દેવું જોઈએ' એટલે જ દાન કરું છું 

ને 'યજવું જોઈએ' એટલે યજ્ઞ કરું છું,હે કૃષ્ણા,આમાં ફળ મળો કે ન મળો,પણ ગૃહસ્થાશ્રમમાં વસતા પુરુષે જે કરવું જોઈએ તે યથાશક્તિ હું કરું છું.હું કંઈ ધર્મના ફળને કારણે ધર્મ આચરતો નથી,પણ હું તો શાસ્ત્રોને અનુસરીને અને સત્પુરુષોના વર્તનને જોઈને તેવું આચરણ કરું છું.મારુ મન સ્વભાવથી જ ધર્મપરાયણ છે.જે,ધર્મ કરીને ફળની આકાંક્ષા રાખે છે તે હીન મનુષ્ય,તો ધર્મવાદીઓમાં અધમત્તમ છે.(5)

Oct 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-318

 

અધ્યાય-૩૦-દ્રૌપદીનાં વળતાં વચનો 


II द्रौपदी उवाच II नमो धात्रे विधात्रे च मोहं चक्र्तुस्तव I पितृपैतामहं पृत्ते चोढवये तेSन्यथामतिः II १ II

દ્રૌપદી બોલી-એ ધાતા.એ વિધાતાને નમસ્કાર કે જે બંનેએ બાપદાદાથી ઉતરી આવેલા રાજયપ્રાપ્તરૂપી-ધારણ કરવા યોગ્ય આચારમાં તમારી ઉલટી મતિ કરી છે.કર્મથી જ ઉત્તમ,મધ્યમ ને નીચ-એ જુદીજુદી યોનિઓમાં,

ને જુદાજુદા લોક મળે છે,તેથી કર્મો જ નિત્ય છે અને લોભ વડે જ માણસ મોક્ષની ઈચ્છા કરે છે.આ લોકમાં પુરુષ,ધર્મથી,દયાળુતાથી,ક્ષમાથી,સરળતાથી કે લોકોપવાદના ભયથી લક્ષ્મીને પામતો નથી.(3)

Oct 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-317

 

અધ્યાય-૨૯-યુધિષ્ઠિરે કરેલી ક્ષમાની પ્રશંસા 


II युधिष्ठिर उवाच II क्रोधो हंता मनुष्याणां क्रोधो भावयिता पुनः I इति विद्धि महाप्राज्ञे क्रोधमूलौ भवाभवौ II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબુદ્ધિશાળી,ક્રોધ મનુષ્યોનો ઘાતક છે.મનુષ્યની વૃદ્ધિ ને વિનાશ એ બેઉનું મૂળ ક્રોધ છે.

જે ક્રોધને મારે છે તે અભ્યુદયને મેળવે છે.વળી,જે ક્રોધને વશ થઇ જાય,તેનો ક્રોધ જ તેના વિનાશનું કારણ બને છે.

આ જગતમાં પ્રજાઓના વિનાશનું કારણ ક્રોધ જ જોવામાં આવે છે,તો મારે શા માટે ક્રોધને પ્રગટ કરવો જોઈએ?

ક્રોધમાં આવી બેસેલો મનુષ્ય પાપ કરી બેસે છે ને ગુરુઓને પણ મારી નાખે છે,ક્રોધને વશ થયેલો મનુષ્ય કઠોર વચનો બોલીને શ્રેષ્ઠ પુરૂષોનું પણ અપમાન કરે છે,તે શું બોલવું ને શું ન બોલવું એ સમજતો નથી.