અધ્યાય-૩૨-દ્રૌપદીનો નીતિવાદ
II द्रौपदी उवाच II नावमन्ये न गर्हे च धर्म पार्थ कथंचन I ईश्वरं कृतएवाहमयर्मस्ये प्रजापतिम II १ II
દ્રૌપદી બોલી-હે પૃથાનંદન,હું ધર્મનું કોઈ રીતે અપમાન કરતી નથી,કે તેને કોઈ રીતે નિંદતી નથી.તો પછી,
પ્રજાપતિ ઈશ્વરને તો હું કેમ અવમાનું? હે ભારત,હું તો દુઃખની મારી જ આ પ્રલાપ કરી રહી છું,એમ જાણો.
ફરી હું કેટલોક પ્રલાપ કરીશ તે તમે સાંભળો.હે શત્રુનાશન,આ લોકમાં જાણકારે કર્મ અવશ્ય કરવાં જ જોઈએ,
કર્મ કર્યા વિના તો માત્ર સ્થાવરો જ જીવે છે,બીજાં પ્રાણીઓ જીવતાં નથી.વાછરડું જન્મતાંની સાથે જ ગાયના આંચળ ધાવે છે અને તાપ લાગે ત્યારે છાંયે જઈને બેસે છે,એ પરથી સમજાય છે કે પ્રાણીઓ
પોતાના પૂર્વકર્મોના સંસ્કારોને અનુસરે છે.હે ભરતોત્તમ,વળી,જંગમોમાં ખાસ કરીને મનુષ્યો
આ લોક ને પરલોકમાં પોતાના કર્મથી જ આજીવિકા મેળવવા ઈચ્છે છે.(5)