Oct 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-315

 

અધ્યાય-૨૭-દ્રૌપદીનાં પરિતાપ વચન 


II वैशंपायन उवाच II ततो वनगता: पार्थाः साह्याद्वे सः कृष्णया I उपविष्टा: कथाश्चत्कृदुःख शोकपरायणा: II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,વનવાસી થયેલા ને દુઃખશોક્મા ડૂબેલા પૃથાનંદનો સંધ્યાકાળે કૃષ્ણા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા.ત્યારે તે કૃષ્ણા યુધિષ્ઠિરને કહેવા લાગી કે-દુષ્ટચિત્ત,ઘાતકી અને પાપી તે ધુતરાષ્ટ્રપુત્રને,આપણે દુઃખી થયા,તેથી જરાયે દુઃખ થતું નથી.કેમ કે હે રાજન,તે દુરાત્માએ તમને મૃગચર્મો પહેરાવ્યાં.અને મારી સાથે વનમાં ધકેલ્યા,છતાં તે દુર્મતિયાને કશો પશ્ચાતાપ થયો નહિ.તે દુષ્ટનું હૈયું ખરે,લોખંડનું છે,કેમ કે ધર્મપરાયણ અને જ્યેષ્ઠ એવા તમને,તે વખતે કડવા બોલ સંભળાવ્યા હતા.સુખને યોગ્ય અને દુઃખને અયોગ્ય એવા તમારા પર આવું દુઃખ લાવીને તે દુષ્ટચિત્ત પાપી તેના સ્નેહીસમૂહો સાથે લહેર કરે છે.(6)

Oct 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-314

 

અધ્યાય-૨૬-બકદાલભ્યનો ઉપદેશ 


II वैशंपायन उवाच II वतत्सु ते वै द्वैतवने पांडवेपु महात्मसु I अनुकीर्ण महारण्यं ब्राह्मणैः संपद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-મહાત્મા પાંડવો દ્વૈતવનમાં વસવા લાગ્યા,ત્યારથી તે મહાન અરણ્ય બ્રાહ્મણોથી જાણે ઉભરાઈ ગયું.હતું.ચારે બાજુ ગાજી રહેલા બ્રહ્મઘોષને લીધે એ દ્વૈતવન સરોવર બ્રહ્મલોકના જેવું પાવનકારી થયું હતું.

આમ એક બાજુ બ્રાહ્મણોના વેદધ્વનિ ગાજતા હતા તો બીજી બાજુ પાંડવોના ધનુષ્યટંકાર સાંભળતા હતા.

એક વખતે,ઋષિઓથી વીંટાયેલા ને સંધ્યોપાસનામાં બેઠેલા યુધિષ્ઠિરને બકદાલભ્ય મુનિએ કહ્યું કે-

Oct 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-313

 

અધ્યાય-૨૫-પાંડવોને માર્કેન્ડેય મુનિનો ઉપદેશ 


II वैशंपायन उवाच II 

तत्काननं प्राप्य नरेन्द्रपुत्राः सुखोचितावासमुपेत्य क्रुच्छम् Iविजह्रुरिन्द्रप्रतिमाः शिवेपुसरस्वतीशालवनेपु तेपु II १ II

વૈશંપાયન બોલ્યા-સુખને યોગ્ય,છતાં વનવાસના કષ્ટને પ્રાપ્ત થયેલા તે ઇન્દ્રના જેવા રાજપુત્રો,તે વનમાં પહોંચીને સરસ્વતી નદી પરનાં સાગના વનોમાં વિહાર કરવા લાગ્યા.તેઓ યતિઓ,મુનિઓ અને બ્રાહ્નણોને ઉત્તમ ફળમૂળથી તૃપ્ત કરતા હતા.ને ધૌમ્ય પુરોહિત વનમાં વસતા તે પાંડવોની યજ્ઞ ને પિતૃ સંબંધી ક્રિયાઓ કરતા હતા.

એક વખતે અમાપ તેજસ્વી એવા માર્કન્ડેય મુનિ તેમના  અતિથિરૂપે આવ્યા.(4)

Oct 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-312

અધ્યાય-૨૪-પાંડવોનો દૈત્યવનમાં પ્રવેશ 


II वैशंपायन उवाच II ततस्तेषु प्रयातेषु कौन्तेयः सत्यसंगरः I अभ्यमापत धर्मात्मा भ्रातृन्सर्वान युधिष्ठिर II १ II

વૈશંપાયન બોલ્યા-આમ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા પછી,સત્યપ્રતિજ્ઞ અને ધર્માત્મા એવા કુંતીનંદન યુધિષ્ઠિરે સર્વ ભાઈઓને કહ્યું કે-'આપણે હવે બાર વર્ષ સુધી નિર્જન વનમાં વસવાનું છે એટલે તમે એવી જગા શોધી કાઢો કે જેમાં અનેક મૃગો,પક્ષીઓ,ફૂલો,ફળો હોય,જે રમણીય હોય,કલ્યાણકારી હોય,પવિત્ર મનુષ્યોથી ભરપૂર હોય,

ને જેમાં આપણે સર્વ સુખરૂપ વસી શકીએ તેમ હોય' ત્યારે અર્જુને તેમને માન આપી કહ્યું કે-

Oct 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-311

 

અધ્યાય-૨૩-પાંડવો દ્વૈતવન તરફ 


II वैशंपायन उवाच II 

तस्मिन्दशार्हाधिपतौ प्रपाते युधिष्ठिरो भीमसेनार्जुनो च I यमौ च कृष्णा च पुरोहितश्च रथान्महार्हान परमाश्चयुक्तान् II १ II

વૈશંપાયન બોલ્યા-તે યાદવાપતિ  શ્રીકૃષ્ણ ગયા પછી,યથાકાળે,યુધિષ્ઠિર,ભીમસેન,અર્જુન,નકુલ,સહદેવ,કૃષ્ણા ને ધૌમ્ય પુરોહિત,ઊંચા ઘોડાઓ જોડેલા રથમાં બેઠા.પાંડવોએ બ્રાહ્મણોને સુવર્ણ,વસ્ત્રો,ગાયો આદિનું  દાન કર્યુ અને 

ત્યાંથી વનમાં જવા માટે નીકળ્યા.ઉદારચિત્ત કુરુજાંગલના નગરજનોએ યુધિષ્ઠિર આવીને તેમની પ્રદિક્ષણા કરી.

ને તેમનું અભિવાદન કર્યું.યુધિષ્ઠિરે પણ તે લોકોને પિતા જેમ પુત્રોને સ્નેહ કરે તેમ,સ્નેહભાવ કર્યો.