અધ્યાય-૨૭-દ્રૌપદીનાં પરિતાપ વચન
II वैशंपायन उवाच II ततो वनगता: पार्थाः साह्याद्वे सः कृष्णया I उपविष्टा: कथाश्चत्कृदुःख शोकपरायणा: II १ II
વૈશંપાયન બોલ્યા-તે પછી,વનવાસી થયેલા ને દુઃખશોક્મા ડૂબેલા પૃથાનંદનો સંધ્યાકાળે કૃષ્ણા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા.ત્યારે તે કૃષ્ણા યુધિષ્ઠિરને કહેવા લાગી કે-દુષ્ટચિત્ત,ઘાતકી અને પાપી તે ધુતરાષ્ટ્રપુત્રને,આપણે દુઃખી થયા,તેથી જરાયે દુઃખ થતું નથી.કેમ કે હે રાજન,તે દુરાત્માએ તમને મૃગચર્મો પહેરાવ્યાં.અને મારી સાથે વનમાં ધકેલ્યા,છતાં તે દુર્મતિયાને કશો પશ્ચાતાપ થયો નહિ.તે દુષ્ટનું હૈયું ખરે,લોખંડનું છે,કેમ કે ધર્મપરાયણ અને જ્યેષ્ઠ એવા તમને,તે વખતે કડવા બોલ સંભળાવ્યા હતા.સુખને યોગ્ય અને દુઃખને અયોગ્ય એવા તમારા પર આવું દુઃખ લાવીને તે દુષ્ટચિત્ત પાપી તેના સ્નેહીસમૂહો સાથે લહેર કરે છે.(6)