Oct 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-311

 

અધ્યાય-૨૩-પાંડવો દ્વૈતવન તરફ 


II वैशंपायन उवाच II 

तस्मिन्दशार्हाधिपतौ प्रपाते युधिष्ठिरो भीमसेनार्जुनो च I यमौ च कृष्णा च पुरोहितश्च रथान्महार्हान परमाश्चयुक्तान् II १ II

વૈશંપાયન બોલ્યા-તે યાદવાપતિ  શ્રીકૃષ્ણ ગયા પછી,યથાકાળે,યુધિષ્ઠિર,ભીમસેન,અર્જુન,નકુલ,સહદેવ,કૃષ્ણા ને ધૌમ્ય પુરોહિત,ઊંચા ઘોડાઓ જોડેલા રથમાં બેઠા.પાંડવોએ બ્રાહ્મણોને સુવર્ણ,વસ્ત્રો,ગાયો આદિનું  દાન કર્યુ અને 

ત્યાંથી વનમાં જવા માટે નીકળ્યા.ઉદારચિત્ત કુરુજાંગલના નગરજનોએ યુધિષ્ઠિર આવીને તેમની પ્રદિક્ષણા કરી.

ને તેમનું અભિવાદન કર્યું.યુધિષ્ઠિરે પણ તે લોકોને પિતા જેમ પુત્રોને સ્નેહ કરે તેમ,સ્નેહભાવ કર્યો.

Oct 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-310

અધ્યાય-૨૨-શાલ્વનો વધ 


II वासुदेव उवाच II ततोऽहं भरतश्रेष्ठ प्रगृह्य रुचिरं धनुः I शरैरपातुयं सौभाच्छिरांसि विबुधद्विषाम II १ II

વાસુદેવ બોલ્યા- હે ભરતશ્રેષ્ઠ,પછી સુંદર ધનુષ્ય લઈને મેં બાણો વડે દેવદ્વેષી દૈત્યોનાં માથાં,તે સૌભમાંથી ખેરવવા માંડ્યાં.પણ,તે વખતે એકાએક તે સૌભ વિમાન ત્યાંથી અદૃશ્ય થઇ ગયું,એટલે હું વિસ્મિત થયો.પછી,ત્યાં દાનવોના અવાજો (બૂમબરાડા) સંભળાવવા માંડ્યા.એટલે મેં સત્વરે શબ્દવેધી અસ્ત્ર યોજ્યું,એટલે અનેક દાનવોનો નાશ થઈને તે શોરબકોર શાંત થયો.ત્યારબાદ,પ્રાગ્જ્યોતિષ જઈને મેં ઈચ્છાગતિવાળું સૌભ વિમાન ફરીથી જોયું,ત્યારે તે દાનવે મારા પર એકદમ મોટા પથ્થરની ઝડી વરસાવીને મને ઢાંકી દીધો.ને હું સૈન્યની નજર બહાર થઇ ગયો.(12)

Oct 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-309

 

અધ્યાય-૨૧-શાલવે રચેલી માયા 

II वासुदेव उवाच II एवं स पुरुषव्याघ्रः शाल्वराजो महारिपु: I युध्दयानो मया संख्ये वियदम्यगमत्पुनः  II १ II

વાસુદેવ બોલ્યા-આ રીતે પુરુષોમાં સિંહ જેવો તે મહાન શત્રુ શાલ્વરાજ,મારી સાથે રણમાં યુદ્ધ કરતાં કરતાં,

આકાશમાં ચાલ્યો ગયો.પછી,જયના અભિલાષી એવા તે મંદબુદ્ધિ શાલ્વરાજે,મારા પર રોષપૂર્વક ગદાઓ,

ત્રિશૂળો,મૂસળો અને તલવારો ફેંક્યા,કે જેના મેં મારા તીવ્ર ગતિવાળા બાણોથી આકાશમાં જ ટુકડા કરી નાખ્યા,

ને જેથી આકાશમાં શોર મચી ગયો.ત્યારબાદ તેણે દારુક,ઘોડાઓ ને રથ પર,લખો બાણો ફેંક્યાં,કે જેથી દારુક ગભરાઈ ગયો ને તે બોલ્યો કે-શાલ્વનાં બાણોથી હું વીંધાઈ રહ્યો છું,ને તેની સામે ઉભા રહેવાની મારી શક્તિ નથી.

મારાં અંગો ભાગી રહ્યાં છે,આમ છતાં,મારે ઉભા રહેવું જ જોઈએ તેથી હું ઉભો રહ્યો છું.(5)

Oct 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-308

 

અધ્યાય-૨૦-શાલ્વ સાથે શ્રીકૃષ્ણનું યુદ્ધ 


II वासुदेव उवाच II आनर्तनगरं मुक्तं ततोहमगमं तदा I महाक्रतो राजसूये निवृत्ते नृपते तव  II १ II

વાસુદેવ બોલ્યા-હે નૃપતિ,તમારો રાજસૂય યજ્ઞ પૂરો થયો એટલે હું જયારે દ્વારકા -પાછો આવ્યો ત્યારે મેં દ્વારકાને નિસ્તેજ થઇ ગયેલું જોયું.એ જોઈને મને શંકા થઇ ને મેં કૃતવર્માને તેનું કારણ પૂછ્યું.ત્યારે કૃતવર્માએ શાલ્વની ચડાઈ વિશે કહ્યું.અને તેનું વૃતાન્ત સાંભળીને તે જ વખતે મેં તે શાલ્વરાજનો વિનાશ કરવાનો મનમાં નિશ્ચય કર્યો.

પછી,મેં નગરજનોને,ઉગ્રસેનને ને વસુદેવને ધીરજ આપી ને કહ્યું કે- 'તમે સર્વ નગરમાં સાવધાનીથી રહેજો,હું તે શાલ્વરાજને મારવા માટે જાઉં છું,ને તેને માર્યા વિના હું પાછો દ્વારકા આવીશ નહિ'

Oct 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-307

અધ્યાય-૨૦-શાલ્વનો પરાજય અને તેનું પલાયન થવું 


II वासुदेव उवाच II एवमुक्तस्तु कौन्तेय सूतपुत्रस्ततोSब्रवीत I प्रद्यम्नं बलिनां श्रेष्ठं मधुरं ष्लक्ष्णमंजसा  II १ II

વાસુદેવ બોલ્યા-હે કૌંતેય,પ્રદ્યુમ્ને આમ કહ્યું,ત્યારે સુતપુત્રે કોમળતા ને મધુરતા સાથે કહ્યું કે-

'હે રુકિમણીપુત્ર,સંગ્રામમાં ઘોડાઓ હાંકવામાં મને ભય નથી,પણ,સારથિકર્મમાં રહેનારા માટે એ ઉપદેશ કહયો 

છે કે-તેણે સર્વ કાર્યોમાં રથીને રક્ષવો જોઈએ,હે વીર,તમે જયારે ખુબ પીડિત થયા હતા,ને મૂર્છામાં પટકાયા હતા,

એટલે હું તમને ત્યાંથી ખસેડીને અહીં લાવ્યો હતો.પણ હવે તમે દૈવયોગે સચેત થયા છો,એટલે હવે તમે મારી અશ્વ ચલાવવાની કળાને જુઓ.હું દારુકનો દીકરો છું,ને મેં યથાર્થ શિક્ષણ મેળવ્યું છે.હું નિર્ભયતાથી હવે શાલ્વની આ વિશાલ સેનામાં પ્રવેશું છું'  આમ કહી તે દારુકપુત્રે વેગપૂર્વક ઘોડાઓને દોડાવ્યા.(7)