Oct 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-310

અધ્યાય-૨૨-શાલ્વનો વધ 


II वासुदेव उवाच II ततोऽहं भरतश्रेष्ठ प्रगृह्य रुचिरं धनुः I शरैरपातुयं सौभाच्छिरांसि विबुधद्विषाम II १ II

વાસુદેવ બોલ્યા- હે ભરતશ્રેષ્ઠ,પછી સુંદર ધનુષ્ય લઈને મેં બાણો વડે દેવદ્વેષી દૈત્યોનાં માથાં,તે સૌભમાંથી ખેરવવા માંડ્યાં.પણ,તે વખતે એકાએક તે સૌભ વિમાન ત્યાંથી અદૃશ્ય થઇ ગયું,એટલે હું વિસ્મિત થયો.પછી,ત્યાં દાનવોના અવાજો (બૂમબરાડા) સંભળાવવા માંડ્યા.એટલે મેં સત્વરે શબ્દવેધી અસ્ત્ર યોજ્યું,એટલે અનેક દાનવોનો નાશ થઈને તે શોરબકોર શાંત થયો.ત્યારબાદ,પ્રાગ્જ્યોતિષ જઈને મેં ઈચ્છાગતિવાળું સૌભ વિમાન ફરીથી જોયું,ત્યારે તે દાનવે મારા પર એકદમ મોટા પથ્થરની ઝડી વરસાવીને મને ઢાંકી દીધો.ને હું સૈન્યની નજર બહાર થઇ ગયો.(12)

Oct 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-309

 

અધ્યાય-૨૧-શાલવે રચેલી માયા 

II वासुदेव उवाच II एवं स पुरुषव्याघ्रः शाल्वराजो महारिपु: I युध्दयानो मया संख्ये वियदम्यगमत्पुनः  II १ II

વાસુદેવ બોલ્યા-આ રીતે પુરુષોમાં સિંહ જેવો તે મહાન શત્રુ શાલ્વરાજ,મારી સાથે રણમાં યુદ્ધ કરતાં કરતાં,

આકાશમાં ચાલ્યો ગયો.પછી,જયના અભિલાષી એવા તે મંદબુદ્ધિ શાલ્વરાજે,મારા પર રોષપૂર્વક ગદાઓ,

ત્રિશૂળો,મૂસળો અને તલવારો ફેંક્યા,કે જેના મેં મારા તીવ્ર ગતિવાળા બાણોથી આકાશમાં જ ટુકડા કરી નાખ્યા,

ને જેથી આકાશમાં શોર મચી ગયો.ત્યારબાદ તેણે દારુક,ઘોડાઓ ને રથ પર,લખો બાણો ફેંક્યાં,કે જેથી દારુક ગભરાઈ ગયો ને તે બોલ્યો કે-શાલ્વનાં બાણોથી હું વીંધાઈ રહ્યો છું,ને તેની સામે ઉભા રહેવાની મારી શક્તિ નથી.

મારાં અંગો ભાગી રહ્યાં છે,આમ છતાં,મારે ઉભા રહેવું જ જોઈએ તેથી હું ઉભો રહ્યો છું.(5)

Oct 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-308

 

અધ્યાય-૨૦-શાલ્વ સાથે શ્રીકૃષ્ણનું યુદ્ધ 


II वासुदेव उवाच II आनर्तनगरं मुक्तं ततोहमगमं तदा I महाक्रतो राजसूये निवृत्ते नृपते तव  II १ II

વાસુદેવ બોલ્યા-હે નૃપતિ,તમારો રાજસૂય યજ્ઞ પૂરો થયો એટલે હું જયારે દ્વારકા -પાછો આવ્યો ત્યારે મેં દ્વારકાને નિસ્તેજ થઇ ગયેલું જોયું.એ જોઈને મને શંકા થઇ ને મેં કૃતવર્માને તેનું કારણ પૂછ્યું.ત્યારે કૃતવર્માએ શાલ્વની ચડાઈ વિશે કહ્યું.અને તેનું વૃતાન્ત સાંભળીને તે જ વખતે મેં તે શાલ્વરાજનો વિનાશ કરવાનો મનમાં નિશ્ચય કર્યો.

પછી,મેં નગરજનોને,ઉગ્રસેનને ને વસુદેવને ધીરજ આપી ને કહ્યું કે- 'તમે સર્વ નગરમાં સાવધાનીથી રહેજો,હું તે શાલ્વરાજને મારવા માટે જાઉં છું,ને તેને માર્યા વિના હું પાછો દ્વારકા આવીશ નહિ'

Oct 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-307

અધ્યાય-૨૦-શાલ્વનો પરાજય અને તેનું પલાયન થવું 


II वासुदेव उवाच II एवमुक्तस्तु कौन्तेय सूतपुत्रस्ततोSब्रवीत I प्रद्यम्नं बलिनां श्रेष्ठं मधुरं ष्लक्ष्णमंजसा  II १ II

વાસુદેવ બોલ્યા-હે કૌંતેય,પ્રદ્યુમ્ને આમ કહ્યું,ત્યારે સુતપુત્રે કોમળતા ને મધુરતા સાથે કહ્યું કે-

'હે રુકિમણીપુત્ર,સંગ્રામમાં ઘોડાઓ હાંકવામાં મને ભય નથી,પણ,સારથિકર્મમાં રહેનારા માટે એ ઉપદેશ કહયો 

છે કે-તેણે સર્વ કાર્યોમાં રથીને રક્ષવો જોઈએ,હે વીર,તમે જયારે ખુબ પીડિત થયા હતા,ને મૂર્છામાં પટકાયા હતા,

એટલે હું તમને ત્યાંથી ખસેડીને અહીં લાવ્યો હતો.પણ હવે તમે દૈવયોગે સચેત થયા છો,એટલે હવે તમે મારી અશ્વ ચલાવવાની કળાને જુઓ.હું દારુકનો દીકરો છું,ને મેં યથાર્થ શિક્ષણ મેળવ્યું છે.હું નિર્ભયતાથી હવે શાલ્વની આ વિશાલ સેનામાં પ્રવેશું છું'  આમ કહી તે દારુકપુત્રે વેગપૂર્વક ઘોડાઓને દોડાવ્યા.(7)

Oct 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-306

અધ્યાય-૧૫-યુદ્ધસમયની તૈયારી 


II युधिष्ठिर उवाच II वासुदेव महाबाहो विस्तरेण महामते I सौमस्य वधमाचक्ष्वन न हि तृप्यामि कथ्यतः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબાહુ,હે મહામતિ,હે વાસુદેવ,તમે સૌભઅધિપતિ શાલ્વના વધ વિશે 

વિસ્તારથી કહો.કેમ કે તમે કહ્યું તેટલાથી મને તૃપ્તિ થતી નથી.

વાસુદેવ બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મેં આગળ કહ્યું તેમ,શ્રુતશ્રવાપુત્ર શિશુપાલને મેં મારી નાખ્યો છે,તે સાંભળીને શાલ્વ દ્વારકા પર ચડી આવ્યો હતો.તેણે દ્વારકાને ચારે તરફથી ઘેરીને,પોતે પોતાના આકાશચારી વિમાનમાં બેસી 

સર્વ શસ્ત્રોથી યુદ્ધ રચ્યું હતું.દ્વારકા નગરી,સંરક્ષણ માટે શાસ્ત્ર દ્રષ્ટિથી રચવામાં આવી છે,ને તે અનેક રથો,ને 

સામ્બ,ઉદ્ધવ આદિ વીર પુરુષોથી સુરક્ષિત છે,વળી,મધ્યકેન્દ્રી છાવણીમાં રહેલા સંરક્ષકો વડે ને શત્રુની છાવણીઓને ઉડાવી દેનારા યોદ્ધાઓ વડે પણ તે સંરક્ષિત છે.તે વખતે ઉગ્રસેન અને ઉદ્ધવ આદિએ 

નગરમાં ઘોષણા કરાવી હતી કે-'નગરમાં કોઈએ સુરા પીવી નહિ ને પ્રમાદમાં રહેવું નહિ'