અધ્યાય-૨૨-શાલ્વનો વધ
II वासुदेव उवाच II ततोऽहं भरतश्रेष्ठ प्रगृह्य रुचिरं धनुः I शरैरपातुयं सौभाच्छिरांसि विबुधद्विषाम II १ II
વાસુદેવ બોલ્યા- હે ભરતશ્રેષ્ઠ,પછી સુંદર ધનુષ્ય લઈને મેં બાણો વડે દેવદ્વેષી દૈત્યોનાં માથાં,તે સૌભમાંથી ખેરવવા માંડ્યાં.પણ,તે વખતે એકાએક તે સૌભ વિમાન ત્યાંથી અદૃશ્ય થઇ ગયું,એટલે હું વિસ્મિત થયો.પછી,ત્યાં દાનવોના અવાજો (બૂમબરાડા) સંભળાવવા માંડ્યા.એટલે મેં સત્વરે શબ્દવેધી અસ્ત્ર યોજ્યું,એટલે અનેક દાનવોનો નાશ થઈને તે શોરબકોર શાંત થયો.ત્યારબાદ,પ્રાગ્જ્યોતિષ જઈને મેં ઈચ્છાગતિવાળું સૌભ વિમાન ફરીથી જોયું,ત્યારે તે દાનવે મારા પર એકદમ મોટા પથ્થરની ઝડી વરસાવીને મને ઢાંકી દીધો.ને હું સૈન્યની નજર બહાર થઇ ગયો.(12)