Oct 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-306

અધ્યાય-૧૫-યુદ્ધસમયની તૈયારી 


II युधिष्ठिर उवाच II वासुदेव महाबाहो विस्तरेण महामते I सौमस्य वधमाचक्ष्वन न हि तृप्यामि कथ्यतः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબાહુ,હે મહામતિ,હે વાસુદેવ,તમે સૌભઅધિપતિ શાલ્વના વધ વિશે 

વિસ્તારથી કહો.કેમ કે તમે કહ્યું તેટલાથી મને તૃપ્તિ થતી નથી.

વાસુદેવ બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મેં આગળ કહ્યું તેમ,શ્રુતશ્રવાપુત્ર શિશુપાલને મેં મારી નાખ્યો છે,તે સાંભળીને શાલ્વ દ્વારકા પર ચડી આવ્યો હતો.તેણે દ્વારકાને ચારે તરફથી ઘેરીને,પોતે પોતાના આકાશચારી વિમાનમાં બેસી 

સર્વ શસ્ત્રોથી યુદ્ધ રચ્યું હતું.દ્વારકા નગરી,સંરક્ષણ માટે શાસ્ત્ર દ્રષ્ટિથી રચવામાં આવી છે,ને તે અનેક રથો,ને 

સામ્બ,ઉદ્ધવ આદિ વીર પુરુષોથી સુરક્ષિત છે,વળી,મધ્યકેન્દ્રી છાવણીમાં રહેલા સંરક્ષકો વડે ને શત્રુની છાવણીઓને ઉડાવી દેનારા યોદ્ધાઓ વડે પણ તે સંરક્ષિત છે.તે વખતે ઉગ્રસેન અને ઉદ્ધવ આદિએ 

નગરમાં ઘોષણા કરાવી હતી કે-'નગરમાં કોઈએ સુરા પીવી નહિ ને પ્રમાદમાં રહેવું નહિ'

Oct 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-305

 

અધ્યાય-૧૫-યુદ્ધસમયની તૈયારી 
II युधिष्ठिर उवाच II वासुदेव महाबाहो विस्तरेण महामते I सौमस्य वधमाचक्ष्वन न हि तृप्यामि कथ्यतः II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબાહુ,હે મહામતિ,હે વાસુદેવ,તમે સૌભઅધિપતિ શાલ્વના વધ વિશે વિસ્તારથી કહો.
કેમ કે તમે કહ્યું તેટલાથી મને તૃપ્તિ થતી નથી.

વાસુદેવ બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મેં આગળ કહ્યું તેમ,શ્રુતશ્રવાપુત્ર શિશુપાલને મેં મારી નાખ્યો છે,તે સાંભળીને શાલ્વ દ્વારકા

પર ચડી આવ્યો હતો.તેણે દ્વારકાને ચારે તરફથી ઘેરીને,પોતે પોતાના આકાશચારી વિમાનમાં બેસી 

સર્વ શસ્ત્રોથી યુદ્ધ રચ્યું હતું.દ્વારકા નગરી,સંરક્ષણ માટે શાસ્ત્ર દ્રષ્ટિથી રચવામાં આવી છે,ને તે અનેક રથો,ને 

સામ્બ,ઉદ્ધવ આદિ વીર પુરુષોથી સુરક્ષિત છે,વળી,મધ્યકેન્દ્રી છાવણીમાં રહેલા સંરક્ષકો વડે ને શત્રુની છાવણીઓને ઉડાવી દેનારા યોદ્ધાઓ વડે પણ તે સંરક્ષિત છે.તે વખતે ઉગ્રસેન અને ઉદ્ધવ આદિએ 

નગરમાં ઘોષણા કરાવી હતી કે-'નગરમાં કોઈએ સુરા પીવી નહિ ને પ્રમાદમાં રહેવું નહિ'

Oct 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-304

 
અધ્યાય-૧૩-વાસુદેવનાં વચન 

II वासुदेव उवाच II नैतरकृच्छमनुप्राप्तो भवान्स्याद्वसुधाधिप I यद्यहं द्वारकायां राजन्सत्रिहित: पुरा II १ II

વાસુદેવ બોલ્યા-હે વસુધાપતિ યુધિષ્ઠિરરાજ,હું જો પૂર્વે દ્વારકામાં હાજર હોત,તો તમને આ દુઃખ આવત નહિ.

ધૃતરાષ્ટ્ર,દુર્યોધન અને બીજા કૌરવોના આમંત્રણ વગર પણ હું દ્યુતસભામાં આવ્યો હોત,તો અનેક દોષો બતાવીને મેં જુગટાને ખાળ્યું હોત.ધૃતરાષ્ટ્રને હું કહેત કે-'તમારા પુત્રોનો આ જુગાર હવે બસ થાઓ' જે દોષોથી તેઓ અવળી દશામાં આવી પડયા,ને જે દોષોને લીધે પૂર્વે નળરાજા રાજ્યથી ભ્રષ્ટ થયા હતા તે હું ત્યાં બતાવી આપત.

જુગારથી કલ્પનામાં ન હોય તેવો વિનાશ આવે છે,ને તેથી થતી સતત દોષધારા હું વર્ણવત.(6)

Oct 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-303

 'અસિતદેવલે કહ્યું છે કે-પૂર્વે પ્રજાના સર્જનકાળે એક તમે જ હતા,તમે જ પ્રજાપતિ છો,ને સર્વ લોકના સર્જનાર છો.

પરશુરામે મને કહ્યું છે કે તમે વિષ્ણુ છો.હે મધુસુદન,તમે જ યજ્ઞ છો,તમે જ યજ્ઞકર્તા છો ને તમે જ યજનયોગ્ય છો.

ઋષિઓ તમને ક્ષમારૂપ ને સત્વરૂપ કહે છે.કશ્યપે તમારા સંબંધમાં કહ્યું છે કે-તેમ તમે સત્વથી ઉત્ત્પન્ન થયેલા યજ્ઞરૂપ છો.નારદે તમારા વિશે,કહ્યું છે તેમ,હે ભૂતભાવન,તમે સાધ્યદેવોના તથા રુદ્રોના ઈશ્વરેશ્વર છો.

તમે બ્રહ્મા,શંકર અને ઇન્દ્ર સાથે,જેમ,બાળક રમકડાં સાથે રમત કરે તેમ ક્રીડા કરો છો.(54)

Oct 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-302

 
અર્જુનાભિગમન પર્વ 

અધ્યાય-૧૨-શ્રીકૃષ્ણે કરેલું દ્રૌપદીને સાંત્વન 

II वैशंपायन उवाच II भोजाः प्रव्रजितान श्रुत्वा वृष्णयश्चाधकैः सह I पांडवान् दुःखसंतप्तान समाजग्मुर्महावने I १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો વનવાસે ગયા છે,એવું સાંભળીને ભોજવંશી,વૃષ્ણિવંશી,અને અંધકવંશી યાદવો,દુઃખથી સંતાપ પામીને પાંડવોને મળવા માટે મહાવનમાં આવ્યા.પાંચાલરાજનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન,ચેદિનરેશ ધૃષ્ટકેતુ અને કૈકેય ભાઈઓ પણ પાંડવોને મળવા વનમાં ગયા.ક્રોધ અને અસહનતાથી યુક્ત થઈને તેઓ ધૃતરાષ્ટ્ર પુત્રોની નિંદા કરવા લાગ્યા અને 'હવે અમે શું કરીએ?' એમ પૂછવા લાગ્યા.વાસુદેવ શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા કે-(4)