Oct 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-301

 
કિર્મીર વધ પર્વ 

અધ્યાય-૧૧-વિદુરનાં વાક્યો 

II धृतराष्ट्र उवाच II किर्मीरस्य वधं क्षत: श्रोतुमिच्छामि कथ्यतां I रक्षसा भीमसेनस्य कथमासी त्समागमः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,હું કિર્મીરના વધ વિશે સાંભળવા ઈચ્છું છું.તો તે તમે કહો.

ભીમસેનનો એ રાક્ષસ સાથે કેવી રીતે ભેટો થયો?

વિદુર બોલ્યા-મનુષ્યોથી ન થાય એવું કર્મ કરવાવાળા ભીમનું એ કામ તમે સાંભળો.દ્યુતમાં હારેલા તે પાંડવો અહીંથી નીકળો ત્રણ દિવસે કામ્યક નામે વનમાં ગયા ત્યારે ગાઢ અંધકારવાળી રાત્રિનો અડધો સમય વહી ગયો હતો,અને ઘોરકર્મી રાક્ષસોનો સંચાર થવા મંડ્યો હતો,ત્યારે એક બળતી આંખવાળો રાક્ષસ હાથમાં,ઉંબાડિયું 

લઈને માર્ગ રોકતો તેમને સામે મળ્યો.તે રાક્ષસી માયા રચતો હતો,ને મહાનાદથી ગર્જતો હતો,તેની ગર્જનાથી 

સર્વ દિશાનાં પ્રાણીઓ,ચીસો પાડતાં ભાગી જતાં હતાં.આ રાક્ષસ પાંડવો માટે પણ એક અપરિચિત મહારિપુ થયો.

તેને સામે આવેલો જોઈને દ્રૌપદી ગભરાઈ ગઈ ને પોતાની બંને આંખો મીંચી દીધી.(16)

Sep 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-300

અધ્યાય-૧૦-મૈત્રેયનો શાપ 

II धृतराष्ट्र उवाच II एतमेवतन्महाप्राज्ञ यथा वदसि नो मुने I अहं चैव विजानामि सर्वे चेमे नराधिपाः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે મહાપ્રાજ્ઞ,તમે અમને કહો છો તેમ જ છે,હું અને આ સર્વ રાજાઓ તેને જાણે છે,તમે કુરુઓના હિત માટે જે વિચારણા રાખો છો તે મને વિદુરે,ભીષ્મએ ને દ્રોણે કહી હતી,હું જો તમારી કૃપાને લાયક હોઉં અને 

કૌરવો પ્રત્યાએ તમને દયા હોય,તો મારા દુષ્ટ પુત્ર દુર્યોધનને તમે ઉપદેશ આપો (3)

Sep 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-299

 
અધ્યાય-૮-વ્યાસનો ઉપદેશ 

II व्यास उवाच II धृतराष्ट्र महाप्राज्ञ निबोध वचनं मम I वक्ष्यामि त्वां कौरवाणां सर्वेषां हितमुत्तमम् II १ II

વ્યાસ બોલ્યા-હે મહાબુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર,મારાં વચન સાંભળો,હું તમને ને સર્વ કૌરવો માટે હિતકારી કહીશ.

દુર્યોધન આદિઓએ કપટથી હરાવેલ પાંડવો વનમાં ગયા એ મને ગમ્યું નથી.પોતાને પડેલાં દુઃખોને સંભારી  રાખીને તેઓ તેર વર્ષ પૂરાં થયે ક્રોધપૂર્વક કૌરવો પર વેર વરસાવશે.પણ,અત્યારે તમારો આ મંદબુદ્ધિ ને પાપી મનવાળો દુર્યોધન,હજુ એ નિત્ય ક્રોધમાં રહીને રાજ્યના કારણે પાંડવોને મારવાની ઈચ્છા કરે છે,

તે શું કહેવાય? તે તો પાંડવોના ક્રોધમાં,બળતામાં ઘી હોમવાનું કાર્ય કરી રહ્યો છે.(4)

Sep 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-298

 
અધ્યાય-૭-પાંડવોના નાશ માટે દુર્યોધન મંડળીની વિચારણા 

II वैशंपायन उवाच II श्रुत्वा च विदुरं प्राप्तं राज्ञा च परिसान्विम् I धृतराष्ट्रात्मजो राजा पर्यतत्पत दुर्मति:II १ II

વૈશંપાયન બોલ્યા-'વિદુર પાછા આવ્યા છે ને ધૃતરાષ્ટ્રે તેમને સારી રીતે સાંત્વન આપ્યું છે' એ સાંભળીને 

ધૃતરાષ્ટ્રનો દુર્બુધ્ધિ પુત્ર દુર્યોધન ભારે સંતાપ કરવા લાગ્યો.તેણે શકુનિ,કર્ણ ને દુઃશાસનને બોલાવી તેમને કહ્યું કે-

'પાંડુપુત્રોનો હિતૈષી વિદુર પછી આવ્યો છે.ને પાંડવોને પાછા લાવવા વિશે તે ધૃતરાષ્ટ્રનુ મન ફેરવી નાખે 

તે પહેલાં તમે મારા હિતનો વિચાર કરો.પાંડવોને હું કોઈ પણ રીતે અહીં પાછા આવેલા જોઇશ 

તો હું અન્નજળ છોડી દઈશ,ઝેર ખાઈશ,ગળે ફાંસો નાખીશ,કે આગમાં કૂદી આત્મઘાત કરીશ,

તેમને સમુદ્ધ થતા જોવાની હું ઈચ્છા કરતો નથી. (6)

Sep 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-297

 
અધ્યાય-૬-વિદુરનું ફરીથી હસ્તિનાપુર જવું 

II वैशंपायन उवाच II गते तु विदुरं राजन्नाश्रमं पम्दवान्प्रति I धृतराष्ट्रो महाप्राज्ञः पर्यतप्तत भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,વિદુર પાંડવોના આશ્રમ તરફ ગયા,ત્યારે મહાપ્રાજ્ઞ ધૃતરાષ્ટ્ર મનમાં અત્યંત સંતાપ કરવા લાગ્યો,વિદુરનો નીતિપ્રભાવ અને પાંડવોની ભવિષ્યમાં થનારી પરમ ઉન્નતિ વિચારીને તે સભામાં આવ્યો,

પણ અત્યંત દુઃખિત એવો તે,ત્યાં બેઠેલા રાજાઓની સમક્ષ જ બેભાન થઈને ઢળી પડ્યો,ફરીથી તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પાસે ઉભેલા સંજયને કહેવા લાગ્યો કે-'મારા ભાઈ,મારા મિત્ર ને સાક્ષાત બીજા ધર્મ જેવા વિદુરના સ્મરણથી મારું હૃદય આજે ફાટી જતું હોય તેમ લાગે છે,સ્વધર્મને જાણનારા મારા તે ભાઈને તત્કાળ લઇ આવ.

હે સંજય,તું જા અને મેં પાપીએ રોષ કરીને જેને હડસેલી મુક્યો છે,તેને લઇ આવ નહિતો હું મારો જીવ કાઢીશ'