Sep 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-295

અધ્યાય-૪-વિદુર અને ધૃતરાષ્ટ્રનો સંવાદ 
II वैशंपायन उवाच II 

वनं प्रविष्टेश्वथ पांडवेषु प्रज्ञाचक्षुस्ताप्यमानोSविकेय:I धर्मात्मानं विदुरमगाधबुद्धिसुखासीनो वाक्यमुवाच राजा II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો વનમાં ગયા ત્યારે પ્રજ્ઞાચક્ષુ એવા અંબિકાપુત્ર સંતાપ કરવા લાગ્યા અને સુખાસન પર બેઠેલા તે અગાધ બુદ્ધિવાળા ધર્માત્મા વિદુરને કહેવા લાગ્યા કે-;તમારી બુદ્ધિ શુક્રભાર્ગવના જેવી શુદ્ધ છે તમે પરમ સૂક્ષ્મ ધર્મને જાણો છો,ને કૌરવો ને પાંડવોમાં સમદ્રષ્ટિ રાખો છો,તો મારુ હિત થાય એવું તમે કહો.

હે વિદુર,આ સ્થિતિમાં હવે અમારે શું કરવું જોઈએ? આ નગરજનો પાછા અમને કેવી રીતે ભજી શકે? ને શું કર્યે એ પાંડવો અમને સમુળગા ઉખેડી ન નાખે? હું ઈચ્છતો નથી કે વિનાશ થાય.માટે તમે મને કહો (3)

Sep 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-294

 વૈશંપાયન બોલ્યા-ધૌમ્યે જયારે આમ કહ્યું એટલે વિશુદ્ધ મનવાળા તે યુધિષ્ઠિરે,સ્નાન કરીને,સૂર્ય સમક્ષ 

ઉભા રહીને,સૂર્યને પુષ્પાદિક પૂજા ને બલિઓથી અર્ચન આપ્યું.માત્ર વાયુનું ભક્ષણ કરીને તે જિતેન્દ્રિય 

ધર્માત્મા યોગમાં વિરાજ્યા અને ગંગાજળનું આચમન કરીને પ્રાણાયામમાં પરાયણ થયા.

પછી વાણીને નિયમમાં રાખીને તેમણે પવિત્ર રહીને આ સ્તોત્રનો પ્રારંભ કર્યો (35)

Sep 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-293

 
અધ્યાય-૩-સૂર્યોપાસના અને કામ્યકવનમાં પ્રવેશ 

II वैशंपायन उवाच II शौनकेनैवमुक्तस्तु कुन्तीपुत्रो युधिष्ठिर: I पुरोहितमुपागम्य भ्रातृमध्येSब्रवीदिदम् II १ II

વૈશંપાયન બોલ્યા-શૌનકે આ પ્રમાણે કહ્યું એટલે કુંતીપુત્ર યુધિષ્ઠિર ધૌમ્ય પુરોહિતની પાસે ગયા ને ભાઈઓની સમક્ષ બોલ્યા કે-'વેદમાં પારંગત એવા આ બ્રાહ્મણો આપણી પાછળ આવી રહયા છે,પણ અત્યંત દુઃખમાં આવી પડેલો હું,તેમનું પોષણ કરવાને ને તેમને દાન આપવાને શક્તિમાન નથી,ને હું તેમનો ત્યાગ પણ કરી શકું એમ નથી. તો હે ભગવન,મને કહો કે આ સંબંધમાં મારે શું કરવું ઉચિત છે?' (3)

Sep 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-292

યુધિષ્ઠિર બોલ્યા-હે બ્રહ્મન,મારી આ આ અર્થની લાલચ,વિષયભોગની ઇચ્છાએ નથી,તે તો વિપ્રોના ભરણપોષણ માટે જ છે.અમારા જેવા ગૃહસ્થાશ્રમમાં રહેવાવાળાએ,એમની પાછળ આવનારાનું શું  ભરણપોષણ ન કરવું જોઈએ? સર્વ ભૂતોનો અન્નમાં સમભાગ જોવામાં આવે છે,એટલે જેઓ રસોઈ પકવતા નથી,તેમને ગૃહસ્થાશ્રમીઓએ અન્ન આપવું જ જોઈએ.તૃણનાં આસનો,ભૂમિ,જળ અને મીઠી વાણી-એ સત્પુરુષોના 

ઘરમાંથી ક્યારેય નાશ પામતાં નથી.અતિથિની બાબતમાં આ સનાતન ધર્મ છે કે-

Sep 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-291

'સ્નેહ' (પ્રેમ કે આસક્તિ) એ માનસિક દુઃખનું કારણ મનાય છે.એ સ્નેહથી જ મનુષ્ય આ સંસારમાં આસક્ત થાય છે અને દુઃખને પામે છે.શોક,હર્ષ,તથા ક્લેશની પ્રાપ્તિ આ આસક્તિને કારણે જ છે.આસક્તિથી વિષયોમાં ભાવ (ભાવ-રૂપી-સંકલ્પ) અને અનુરાગ (રાગ-રૂપી-પ્રીતિ) થાય છે.કે જે બંને અમંગલકારી છે.

ને એમાં પણ 'વિષયો પ્રત્યે ભાવ' (ભાવ-રૂપી-સંકલ્પ) મહા અનર્થકારી મનાય છે. (29)