II वैशंपायन उवाच II एवमुक्त: प्रन्युवाच भगदत्तं धनंजयः I अनेनैव कृतं सर्वं मपिष्यत्यनुजानता II १ II
વૈશંપાયન બોલ્યા-ભગદત્તે જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે અર્જુને કહ્યું-'તમે કર આપવાની વાતને જે સંમતિ આપી છે એટલે તમે બધું જ કર્યું ગણાશે' આમ,ભગદત્તને જીતીને ત્યાંથી અર્જુન,કુબેરે જીતેલી ઉત્તરદિશા તરફ ચાલ્યો.
ત્યાં,અંતરગિરી,બહિરગિરી,ને ઉપગિરી આદિ સર્વ પર્વતોને જીતીને ત્યાંના સર્વ રાજાઓને વશ કર્યા,ને તે
સર્વ પાસેથી ધનસંગ્રહ લીધો.પછી,તે રાજાઓને પ્રસન્ન કરીને તેમને સાથે લઈને,તેણે ઉલૂકદેશના બૃહન્ત રાજા પર ચડાઈ કરી,બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું,પણ અંતે બૃહન્ત,કુન્તીપુત્રને અસાધ્ય માનીને,સર્વ પ્રકારનાં રત્નો લઈને,
અર્જુનને શરણે આવ્યો.કર લઈને,અર્જુને તેને તેના રાજ્યમાં સ્થિર કર્યો.(10)