અધ્યાય-૨૧-શ્રીકૃષ્ણ અને જરાસંઘનો સંવાદ
II वासुदेव उवाच II एष पार्थ महान् भाति पशुमान्नित्यIमंब्रुमान I निरामयः स्वेश्माल्यो निवेशो मागधः शुभः II १ II
વાસુદેવ બોલ્યા-હે પૃથાનંદન,પશુઓથી ભરેલા,નિત્ય પાણીથી પૂર્ણ,ઉપદ્રવ વિનાના અને સુભવનથી સમૃદ્ધ,
આ શુભ અને મહાન મગધદેશનો સીમાડો શોભે છે.એકમેકના અંગરૂપે જોડાયેલા શૈલ,વરાહ,વૃષભાચલ,
ઋષિગિરિ અને ઐત્યક-એ મહાશિખરવાળા વારવાતો,જાણે કે સાથે રહીને ગિરિવ્રજનું રક્ષણ કરી રહ્યા છે.
અહીં,ગૌતમમુનિએ,ઔશીનરી નામની ક્ષુદ્રામાં કાક્ષીવાન આદિ પુત્રોને ઉત્પન્ન કર્યા હતા.શુદ્ર સ્ત્રીને પેટે જન્મેલા હોવા છતાં,તે કાક્ષીવાન-આદિના વંશજો,ગૌતમના ઐશ્વર્ય વડે મગધદેશના રાજાઓ ગણાય છે.(6)