Jul 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-235

અધ્યાય-૨૧-શ્રીકૃષ્ણ અને જરાસંઘનો સંવાદ 

II वासुदेव उवाच II एष पार्थ महान् भाति पशुमान्नित्यIमंब्रुमान I निरामयः स्वेश्माल्यो निवेशो मागधः शुभः II १ II

વાસુદેવ બોલ્યા-હે પૃથાનંદન,પશુઓથી ભરેલા,નિત્ય પાણીથી પૂર્ણ,ઉપદ્રવ વિનાના અને સુભવનથી સમૃદ્ધ,

આ શુભ અને મહાન મગધદેશનો સીમાડો શોભે છે.એકમેકના અંગરૂપે જોડાયેલા શૈલ,વરાહ,વૃષભાચલ,

ઋષિગિરિ અને ઐત્યક-એ મહાશિખરવાળા વારવાતો,જાણે કે સાથે રહીને ગિરિવ્રજનું રક્ષણ કરી રહ્યા છે.

અહીં,ગૌતમમુનિએ,ઔશીનરી નામની ક્ષુદ્રામાં કાક્ષીવાન આદિ પુત્રોને ઉત્પન્ન કર્યા હતા.શુદ્ર સ્ત્રીને પેટે જન્મેલા હોવા છતાં,તે કાક્ષીવાન-આદિના વંશજો,ગૌતમના ઐશ્વર્ય વડે મગધદેશના રાજાઓ ગણાય છે.(6)

Jul 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-234

જરાસંઘ પર્વ

અધ્યાય-૨૦-જરાસંઘના વધ માટે શ્રીકૃષ્ણ-આદિનું મગધમાં જવું 

II वासुदेव उवाच II पतितौ हंसडिंमकौ कंसश्च सगणो हतः I जरासंघस्य निधने कालोSयं समुपागत II १ II

વાસુદેવ બોલ્યા-હવે,હંસ અને ડિમ્બક માર્યા ગયા છે ને કંસ પણ તેના અનુચરો સાથે હણાયો છે,એટલે જરાસંઘના વધનો સમય આવી ગયો છે.સર્વ સૂરો ને અસુરો પણ એને રણમાં જીતી શકે તેમ ન હોવાથી એને દેહબલ વડે દ્વંદ્વ યુદ્ધથી જીતવો જોઈએ એવું મને લાગે છે.મારામાં નીતિ છે,ભીમમાં બળ છે અને અર્જુન અમારા બે નું રક્ષણ કરનાર છે,એટલે જેમ,ત્રણ અગ્નિઓ યજ્ઞને સિદ્ધ કરે છે તેમ,અમે ત્રણ એ મગધરાજને પૂરો કરીશું.(4)

Jul 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-233

 
અધ્યાય-૧૯-જરાસંઘની પ્રશંસા 

II श्रीकृष्ण उवाच II कस्यचिस्पथ कालस्य पुनरेव महातपाः I मगधेपुपचकाम भगवांश्चडकौशिक II १ II

શ્રીકૃષ્ણ બોલ્યા-પછી,કેટલોક સમય વીત્યા બાદ,મહાતપસ્વી ચંડકૌશિક મગધદેશમાં ફરીથી આવી ચડ્યા.

તેમના આગમનથી રાજા બૃદરાથ હર્ષ પામ્યો અને મંત્રીઓ,પુત્ર ને પત્નીઓને લઈને તેમને સામે લેવા ગયો.

પાદ્ય,અર્ધ્ય ને આચમનથી તે ઋષિનું સ્વાગત-પૂજન કરીને,તેમને રાજ્યસહિત પોતાનો પુત્ર સોંપ્યો.

રાજાનો પૂજા-સત્કાર સ્વીકારીને ઋષિએ રાજાને કહ્યું કે-હે રાજન,મેં દિવ્ય ચક્ષુથી જાણ્યું છે કે-

તારો આ પુત્ર ઐશ્વર્યવાન થશે,એમાં સંશય નથી.એ પરાક્રમ કરીને સઘળું પ્રાપ્ત કરશે.

Jul 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-232

અધ્યાય-૧૮-જરા રાક્ષસીનું આત્મકથન 

II राक्षस्युवाच II जरानास्मि भद्रं ते राक्षसी कामरूपिणी I तव वेश्मनि राजद्र पूजिता न्यवसं सुखम् II १ II

રાક્ષસી બોલી-હે રાજેન્દ્ર,તમારું મંગલ થાઓ,ઇચ્છારૂપ ધારણ કરનારી હું જરા નામે રાક્ષસી છું ને તમારા ભવનમાં સુખપૂર્વક અને પૂજાસહિત રહું છું.હું મનુષ્યોને ઘેરઘેર ગૃહદેવીને નામે રાહુ છું,પૂર્વે મને બ્રહ્માએ ઉત્પન્ન કરી છે.

મને દિવ્યરૂપવતીને દાનવોના વિનાશ માટે સ્થાપવામાં આવી છે.પુત્રવતી ને યૌવનભરી એવી મારી પ્રતિમાને જે ભક્તિપૂર્વક દીવાલ પર આલેખે છે તેના ઘરમાં મંગલવૃદ્ધિ થાય છે.અને તેમ કરે નહિ તો તેનો વિનાશ થાય છે.

Jul 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-231

અધ્યાય-૧૭-જરાસંઘની ઉત્પત્તિ કથા 

II वासुदेव उवाच II जातस्य भरते वंशे तथा कृन्त्याः सुतस्य च I या वै युक्त्वा मतिः सेयमर्जुनेन प्रदर्शिता II १ II

વાસુદેવ બોલ્યા-ભરતવંશમાં ને કુંતીના કુખે જન્મેલા અર્જુને જે આ વિચાર બતાવ્યો તે યોગ્ય છે.આપણે રાતે કે દિવસે ક્યાંય મૃત્યુને જોતા નથી,તેમ આપણે સાંભળ્યું પણ નથી કે યુદ્ધ ન કરીને કોઈ અમર થયો હોય.

તેથી પુરુષે હૃદયના સંતોષ માટે પણ આમ કરવું જ જોઈએ.ને વિધિપૂર્વક શાસ્ત્રનીતિ પ્રમાણે શત્રુ પર ચડાઈ કરવી જોઈએ,સુનીતિ અને અનુકૂળતા-એ બંનેનો સંયોગ થતા કાર્યની પરમસિદ્ધિ થાય છે.ને વિજય મળે છે,પણ,

નીતિ વિનાના અને યોગ્ય ઉપાયો વિનાના યુદ્ધમાં ભારે ક્ષય થાય છે,વળી,જો  બંને પક્ષ,જો સમાન રીતે ન્યાયથી યુદ્ધ કરે,તો બંનેના વિજય બાબતમાં સંશય રહે છે,ને કોઈનો વિજય થતો નથી.(5)