અધ્યાય-૧૬-જરાસંઘના વધ વિશે મંત્રણા
II युधिष्ठिर उवाच II सम्राटSगुणमभिप्स्न्यै युष्मान् स्वार्थपरायणः I कथं प्रहिणुयां कृष्ण सोहं केवलसाहसात II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે શ્રીકૃષ્ણ,ચક્રવર્તીના ગુણો સંપાદન કરવાની ઈચ્છાથી સ્વાર્થપરાયણ થઈને,હું કેવી રીતે તમને જરાસંઘનો નાશ કરવા મોકલું? તમને તો હું મારુ મન માનું છું,ને ભીમ ને અર્જુન તો મારે મન બે નેત્ર જેવા છે,
એટલે જો મન અને નેત્રો નાશ પામે તો હું કેવી રીતે જીવતર જીવું? એ ભયંકર પરાક્રમવાળા ને સહેજે પાર ન પામી શકાય તેવા જરાસંઘના સૈન્યનો ભેટો પામી યમરાજ પણ યુદ્ધમાં વિજય મેળવી શકે તેમ નથી,આવા અનિષ્ટ ફળવાળા કાર્યમાં હાથ નાંખનારનો અનર્થ થાય છે,એટલે આ કાર્ય ન કરવું મને વધારે યોગ્ય લાગે છે.(6)