અધ્યાય-૧૧-બ્રહ્માજીની સભાનું વર્ણન
II नारद उवाच II पितामहसभां तात कथ्यमानिबोदः मे I शक्यते या न निर्देष्टुमेवरुपेति भारत II १ II
નારદ બોલ્યા-હે તાત,હું પિતામહ બ્રહ્માની સભા,'અમુક રૂપની છે' એવો નિર્દેશ થઇ શકે તેમ નથી.
પૂર્વે સત્યયુગમાં,આદિત્ય ભગવાન,સ્વર્ગમાંથી મનુષ્યલોકને જોવાની ઈચ્છાથી અહીં આવ્યા હતા.
તેઓ માનવરૂપે વિચરતા હતા,ત્યારે તેમણે મને,તે દિવ્ય,મનમાં જેના સ્વરૂપનો વિચાર ન આવે એવી,
પ્રભાવમાં અવર્ણનીય અને પ્રાણીના મનનું રંજન કરે તેવી તે અપ્રમેય સભા વિશે મને તત્ત્વપૂર્વક કહ્યું હતું.(4)