Jun 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-220

અધ્યાય-૬-યુધિષ્ઠિરની બીજી સભાઓ વિષે પૂછપરછ 

II वैशंपायन उवाच II संपूज्याथाभ्यनुज्ञातो महर्षेर्वचनात परम् I प्रत्युवाचानुपुर्व्येण धर्मराजो युधिष्ठिरं II १ II

વૈશંપાયન બોલ્યા-મહર્ષિનાં વચન સાંભળીને,ધર્મરાજ યુધિષ્ઠિરે તેમનું સન્માન કરી,રજા લઈને ક્રમ પ્રમાણે પૂછ્યું 

યુધિષ્ઠિર બોલ્યા-હે ભગવાન,તમે ધર્મના નિશ્ચયને ન્યાયપૂર્વક અને યથાવત કહ્યો.હું યથાન્યાયે શક્તિ અનુસાર એ વિધિએ જ વર્તુ છું.પૂર્વના રાજાઓએ જે કાર્યો કર્યા હતા,તે ન્યાયસંગત,અર્થવાળાં,હેતુયુક્ત હતાં,એમાં સંશય નથી.

અમે પણ એ માર્ગે જ જવા ઇચ્છીએ છીએ,પરંતુ તે જિતેન્દ્રિય રાજાઓની જેમ અમે ચાલી શકતા નથી.(4)

મનના જેવા વેગવાળા તમે,બ્રહ્માએ નિર્મેલા અનેક નાનાવિધ લોકોને પહેલેથી સદા જોતા આવ્યા છો. 

હે બ્રહ્મન,તમે આ સભાના જેવી અથવા એથી ચડિયાતી એવી બીજી કોઈ સભા પૂર્વે કદી જોઈ છે? (9)

Jun 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-219

તમે જ્ઞાતિજનોને,ગુરુઓને,વૃદ્ધોને,દેવતાઓને,તપસ્વીઓને,ચૈત્યવૃક્ષોને ને બ્રાહ્મણોને નમન કરો છો ને?

હે નિષ્પાપ,તમે કોઈને શોક કે રોષ તો ઉપજાવતા નથી ને?પુરોહિત આદિ મંગલકારી માણસો સદા તમારી પાસે રહે છે ને? આવરદા ને યશ વધારનારી,તેમ જ ધર્મ,અર્થ કામ દર્શાવનારી આ જે બુદ્ધિ અને વૃત્તિ કહી,તેવી જ તમારી વૃત્તિ ને બુદ્ધિ છે ને? આવી બુદ્ધિથી વર્તનાર રાજાનો દેશ કોઈ પણ કાળે દુઃખમાં પડતો નથી,

તે રાજા પૃથ્વી પર જય મેળવીને પરમ સુખ ભોગવે છે.(106)

Jun 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-218

વિદ્યાવાન,વિનયવાન,અને જ્ઞાનકુશળ માણસોને તમે ગુણ પ્રમાણે યોગ્ય દાન સત્કાર કરો છો ને?

હે ભરતોત્તમ,તમારા માટે પ્રાણદાન કરનારા અને આપત્તિમાં આવી પડેલા માણસોની સ્ત્રીઓનું તમે ભરણપોષણ કરો છો ને? ભયવાળા,શક્તિહીન થયેલ,શરણે આવેલ અને યુદ્ધમાં હારેલા શત્રુને તમે પુત્રની જેમ પાળો છો ને?

શત્રુને સ્ત્રી,જુગાર આદિ દશ વ્યસનોમાં પડેલો જોઈને,તમારા મંત્ર,ભંડાર ને ઉત્સાહ- એ ત્રણ બળ પર વિચાર કરીને,જો તે દુર્બળ હોય તો તેના પર. તમે વેગપૂર્વક આક્રમણ કરો છો ને? હે પરંતપ,શત્રુ રાજ્યના મોટામોટા યોદ્ધાઓને તમે ગુપ્ત રીતે યોગ્યતા પ્રમાણે રત્નો વહેંચો છો ને? (62)

Jun 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-217


 તમે મિત્રો,ઉદાસીનો અને શત્રુઓ,શું કરવા ઈચ્છે છે તે જાણો છો ને? તમે યોગ્ય વખતે સંધિ ને વિગ્રહ કરો છો ને?

ઉદાસીન અને મધ્યમ રાજાઓ પ્રત્યે તમે યથાયોગ્ય વૃત્તિ રાખો છો ને? તમે તમારા જેવા,વૃદ્ધ,શુદ્ધ,કાર્ય-અકાર્ય માં શક્તિવાળા,કુલીન અને તમારામાં પ્રીતિવાળા-એવાઓને મંત્રીઓ કર્યા છે ને? કેમ કે મંત્રી જ રાજાના વિજયની ગુપ્ત ચાવી છે.મંત્રણાઓને સારી રીતે ગુપ્ત રાખનારા અને શાસ્ત્રમાં વિશારદ એવા અમાત્યોથી સુરક્ષિત રહેલા તમારા રાજ્યને શત્રુઓ રંજાડતા નથી ને? તમે નિંદ્રાને આધીન ન રહેતા પાછલી રાત્રે જાગ્રત થાઓ છો ને?

ને પાછલી રાતે તમે યોગ્ય-અયોગ્યનું ચિંતન કરો છો ને? (30)

Jun 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-216

લોકપાલ સભાખ્યાન પર્વ 

(નોંધ-અધ્યાય-5 થી 11-માં નારદજીએ રાજધર્મ અને વિવિધ સભાઓની વાત કરી છે,કે જે એક ઉપાખ્યાન સમાન જ છે-અનિલ)

અધ્યાય-૫-નારદે ઉપદેશેલો રાજધર્મ 

II वैशंपायन उवाच II अथ तत्रोपविष्टेपु पाण्डवेपु महात्मसु I महत्सु चोपविष्टेपु गन्धर्वेपु च भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,મહત્તમ પાંડવો અને ગંધર્વો એકવાર સભામાં બેઠા હતા,ત્યારે વેદો ને ઉપનિષદોને જાણનારા,દેવતાઓના સમુહોથી પૂજા પામેલા ને ઇતિહાસ-પુરાણમાં વિદ્વાન નારદ ત્યાં આવ્યા.

તે ઋષિ,પુરાકલ્પોને (અનેકોનું જેમાં ઉપાખ્યાન હોય તે વેદમાં પુરાકલ્પ કહેવાય છે) તથા 

વિશેષોને (જેમાં એક વ્યક્તિનું ઉપાખ્યાન હોય તેને વેદમાં વિશેષ કે પરિકૃત્ય કહે છે) જાણનારા હતા.(1-2)