અધ્યાય-૬-યુધિષ્ઠિરની બીજી સભાઓ વિષે પૂછપરછ
II वैशंपायन उवाच II संपूज्याथाभ्यनुज्ञातो महर्षेर्वचनात परम् I प्रत्युवाचानुपुर्व्येण धर्मराजो युधिष्ठिरं II १ II
વૈશંપાયન બોલ્યા-મહર્ષિનાં વચન સાંભળીને,ધર્મરાજ યુધિષ્ઠિરે તેમનું સન્માન કરી,રજા લઈને ક્રમ પ્રમાણે પૂછ્યું
યુધિષ્ઠિર બોલ્યા-હે ભગવાન,તમે ધર્મના નિશ્ચયને ન્યાયપૂર્વક અને યથાવત કહ્યો.હું યથાન્યાયે શક્તિ અનુસાર એ વિધિએ જ વર્તુ છું.પૂર્વના રાજાઓએ જે કાર્યો કર્યા હતા,તે ન્યાયસંગત,અર્થવાળાં,હેતુયુક્ત હતાં,એમાં સંશય નથી.
અમે પણ એ માર્ગે જ જવા ઇચ્છીએ છીએ,પરંતુ તે જિતેન્દ્રિય રાજાઓની જેમ અમે ચાલી શકતા નથી.(4)
મનના જેવા વેગવાળા તમે,બ્રહ્માએ નિર્મેલા અનેક નાનાવિધ લોકોને પહેલેથી સદા જોતા આવ્યા છો.
હે બ્રહ્મન,તમે આ સભાના જેવી અથવા એથી ચડિયાતી એવી બીજી કોઈ સભા પૂર્વે કદી જોઈ છે? (9)