Jun 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-210

 
અધ્યાય-૨૩૩-શાડ઼:ર્ગકો અને મંદપાલનો સમાગમ 

II वैशंपायन उवाच II मंदपालोSपी कौरव्य चिन्तयामास पुत्रकान I उक्त्वापि च स तिम्माशुं नैव शर्माधिगच्छति II १ II

વૈશંપાયન બોલ્યા-હે કૌરવ્ય,મંદપાલ પણ પોતાના પુત્રોની ચિંતા કરતા હતા,તેમણે અગ્નિને કહેલું તો પણ તેમને શાંતિ રહેતી નહોતી.સંતાપ કરી રહેલા તે પોતાની બીજી પત્ની લપિતાને કહેવા લાગ્યા કે-'હે લપિતા,મારા અશક્ત પુત્રો ઘરમાં કેમ કરીને રહેશે? અગ્નિ વધતો હશે ને પવન ફૂંકાતો હશે ત્યારે મારા પુત્રો તેનાથી છુટકારો પામવાને અસમર્થ જ થશે,તેમની માતા પણ તેમનું કેવી રીતે રક્ષણ કરી શકશે? તે પણ શોકથી વિકળ થઈને,રોતી કકળતી દોડાદોડ કરતી હશે,મારા પુત્રો ને મારી પત્ની,કેવી સ્થિતિમાં હશે? (1-6)

Jun 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-209

 
અધ્યાય-૨૩૨-શાડ઼:ર્ગકોનો ઉગારો 

II जरितारिरुवाच II पुरतः क्रुछ्र्कालस्य धीमान जागर्ति पूरुषः I स क्रुछ्र्कालं संप्राप्यं व्यथां नैवैति कहिचित  II १ II

જરિતારિ બોલ્યો-જે બુદ્ધિમાન મનુષ્ય આપત્તિકાળ આવતાં પહેલાં જ જાગ્રત રહે છે,

તે આપત્તિકાળ આવતાં,કોઈ  રીતે વ્યથા પામતો નથી,પણ જે બુદ્ધિહીન મનુષ્ય આપત્તિકાળને 

ઓળખાતો નથી તે આપત્તિકાળમાં વ્યથા પામે છે.અને મહાન કલ્યાણને મેળવતો નથી.(1-2)

Jun 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-208

 
અધ્યાય-૨૩૧-શાડ઼:ર્ગકોનું ડહાપણ 

II जरितोवाच II अस्माद्विलान्निष्पत्तित्तमासु श्येनो जहार तम् I क्षुद्रं पद्भ्यां गृहीत्वा च यातो नात्र भयं हि वः  II १ II

જરિતા બોલી-'આ દરમાંથી બહાર નીકળેલા તે ક્ષુદ્ર ઉંદરને,બાજ પક્ષી 

અહીંથી પકડીને લઇ જતો મેં જોયો છે,એટલે તમને ત્યાં જવામાં કોઈ ભય નથી'

શાડ઼:ર્ગકો બોલ્યા-અહીં,અંદર બીજા પણ ઉંદરો હશે,એટલે તેનાથી પણ અમને ભય રહે છે.હે માતા,પવન બદલાયો હોવાથી અગ્નિ આ તરફ આવે એમાં સંશય છે પણ ઉંદરો અમને મારી નાખશે તેમાં સંશય નથી.

હે માતા,ન્યાયપૂર્વક તું આકાશમાં ઉડી જા,તું જીવીશ તો તને સુંદર પુત્રો સાંપડશે (4)

Jun 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-207

અધ્યાય-૨૩૦-જરિતાનો વિલાપ 

II वैशंपायन उवाच II ततः प्रज्वलिते वह्नौ सर्द्ङ्गाकास्ते सुदुःखिता: I व्यथिता: परमोद्विग्ना नाधिजग्मु : परायणम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,વનમાં અગ્નિ પ્રજ્વલિત થયો,ત્યારે અત્યંત દુઃખ,વ્યથા અને ઉદ્વેગ પામેલા તે શાડ઼:ર્ગક પક્ષીઓ કોઈ સ્થળે આશ્રય પામી શક્યાં નહિ,ત્યારે તેમની માતા જરિતા પણ દુઃખી થઇ વિલાપ કરવા લાગી.

Jun 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-206

 
અધ્યાય-૨૨૯-શાડ઼:ર્ગકો(સારંગો)નું ઉપાખ્યાન 

II जनमेजय उवाच II किमर्थ शार्द्ङ्ग्कानग्निर्न ददाह तथागते I तस्मिन्यये दगामने ब्रहम्न्नेतत् प्रचक्ष्व मे II १ II

જન્મેજય બોલ્યા-તે વનમાં આ રીતે દવ લાગ્યો હતો,ત્યારે અગ્નિએ શાડ઼:ર્ગક (સારંગ) પક્ષીઓને શા માટે બાળ્યાં નહિ?

તે મને કહો.તમે મને અશ્વસેન અને મયદાનવ બાળ્યો નહિ તેનું કારણ કહ્યું પણ આ શાડ઼:ર્ગકો વિશેનું કારણ કહ્યું નથી

તો હે બ્રહ્મન,તે પક્ષીઓની એ આપત્તિમાંથી થયેલી આશ્ચર્યકારક મુક્તિ વિષે કહો (1-3)