II वैशंपायन उवाच II मंदपालोSपी कौरव्य चिन्तयामास पुत्रकान I उक्त्वापि च स तिम्माशुं नैव शर्माधिगच्छति II १ II
વૈશંપાયન બોલ્યા-હે કૌરવ્ય,મંદપાલ પણ પોતાના પુત્રોની ચિંતા કરતા હતા,તેમણે અગ્નિને કહેલું તો પણ તેમને શાંતિ રહેતી નહોતી.સંતાપ કરી રહેલા તે પોતાની બીજી પત્ની લપિતાને કહેવા લાગ્યા કે-'હે લપિતા,મારા અશક્ત પુત્રો ઘરમાં કેમ કરીને રહેશે? અગ્નિ વધતો હશે ને પવન ફૂંકાતો હશે ત્યારે મારા પુત્રો તેનાથી છુટકારો પામવાને અસમર્થ જ થશે,તેમની માતા પણ તેમનું કેવી રીતે રક્ષણ કરી શકશે? તે પણ શોકથી વિકળ થઈને,રોતી કકળતી દોડાદોડ કરતી હશે,મારા પુત્રો ને મારી પત્ની,કેવી સ્થિતિમાં હશે? (1-6)