અધ્યાય-૨૧૧-તિલોત્તમાનું નિર્માણ
II नारद उवाच II ततो देवपर्य: सर्वे सिध्धाश्च् परमर्पय: I जग्मुस्तदा परामार्ति द्रष्ट्वा तस्कदनं महत् II १ II
નારદ બોલ્યા-આવો મહાસંહાર થતો જોઈને સર્વે દેવર્ષિઓ,સિદ્ધો,તથા પરમઋષિઓ પરમ દુઃખ પામ્યા.
ને જગત પર કૃપા કરવાની યાચના કરવા તેઓ પિતામહ બ્રહ્મા પાસે ગયા.ને દીન થઈને,તેઓએ,બ્રહ્માને,
સુંદ-ઉપસુંદનુ સર્વ કાર્ય,સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યું.ને સહાય કરવાની પ્રાર્થના કરી.એટલે તેમનાં વચન સાંભળીને,પિતામહે થોડીવાર વિચાર કરીને,નિશ્ચય કર્યો ને તેમણે વિશ્વકર્માને બોલાવ્યા.(1-10)