અધ્યાય-૨૦૬-વિદુર અને દ્રુપદનો સંવાદ
II धृतराष्ट्र उवाच II भीष्मः शांतन्वो विद्वान द्रोणश्च भगवानृपि: हितं च परमं वाक्यं त्वं च सत्यं ब्रवीपि माम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-વિદ્વાન શાંતનુપુત્ર ભીષ્મે તથા ભગવાન દ્રોણે જે વચન મને કહ્યું છે તે પરમહિતકારી છે.
હે વિદુર,તું પણ મને સત્ય કહે છે,પાંડુના પુત્રો,પણ નિઃસંશય ધર્મથી મારા પુત્રો છે.
જેમ,મારા પુત્રો આ રાજ્યના અધિકારી છે તેમ,પાંડુપુત્રો પણ તેના અધિકારી છે.
હે વિદુર તું જા,તે પાંડવોને તેમની માતાને તથા કૃષ્ણાને અહીં સત્કારપૂર્વક લઇ આવ.