Mar 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-117

 
અધ્યાય-૧૨૮-ભીમને વિષપાન 

II वैशंपायन उवाच II ततः कुन्ति च राज च भीष्मश सहश्न्भुमि: I ददु:श्राद्धं तदा पाण्डोः स्वधामृतमयंतदा II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,કુંતી,ધૃતરાષ્ટ્ર ને ભીષ્મે,બંધુઓની સાથે મળીને,સ્વધાયુક્ત અમૃતમય શ્રાદ્ધ આપ્યું.

હજારો શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન આપ્યું તેમ જ રત્ન-ગામો-આદિનું દાન પણ આપ્યું.

શ્રાદ્ધ પૂરું થયા પછી સર્વ જનોને અને માતાને શોકાર્ત ને દુઃખી જોઈને,વ્યાસજી,માતાને કહેવા લાગ્યા કે-

Mar 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-116

અધ્યાય-૧૨૭-પાંડુ તથા માદ્રીની ઉત્તરક્રિયા 


II धृतराष्ट्र उवाच II पाण्डोर्विदुर सर्वाणि प्रेतकार्याणि कारय I राजयद्राजसिन्हस्य माद्रयाश्वैव विशेषतः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,રાજસિંહ પાંડુની તેમ જ માદ્રીની,સર્વ પ્રેતક્રિયાઓ,ખાસ રાજવિધિએ ઠરાવો.

ને આ નિમિત્તે,જેમને,જેટલાં જોઈએ તેટલાં પશુઓ,વસ્ત્રો,રત્નો ને વિવિધ ધનનું દાન કરો.વળી,

કુંતી કહે તે રીતે માદ્રીનો (માદ્રીના અવશેષોનો) એવો સત્કાર કરો કે-સુંદર ઓઢણ પામેલા 

તે અવશેષોને વાયુ કે સૂર્ય પણ જોઈ શકે નહિ.નિર્દોષ પાંડુ,સ્તુતિપાત્ર છે,શોક કરવા યોગ્ય નથી,

કેમ કે તેને દેવના જેવા પાંચ વીર પુત્રો જન્મ્યા છે.(1-4)

Mar 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-115

 
અધ્યાય-૧૨૬-પાંડવો હસ્તિનાપુરમાં 

II वैशंपायन उवाच II पाण्डोरूपमं द्रष्ट्वा देवकल्पा महर्षयः I ततो मंत्रविदः सर्वे मन्त्रायाश्चक्रिरे प्रिथः II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડુનું મૃત્યુ થયેલું જોઈને દેવ જેવા મંત્રવેત્તા મહર્ષિઓએ અંદરઅંદર મંત્રણા કરી કે-

'આ મહાયશસ્વી મહાત્મા પાંડુ,રાજ્ય ને રાષ્ટ્ર છોડીને,અહીં શરણ પામ્યા હતા.ને હવે,તે પોતાની પત્ની 

અને પુત્રોને અહીં,થાપણ તરીકે સોંપીને સ્વર્ગે ગયા છે,માટે એ મહાત્માના પુત્રો,પત્ની અને 

તેમના દેહાવશેષને,તેમના રાજ્યમાં પહોંચાડવા એ જ આપણો ધર્મ છે.(1-4)

Mar 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-114

 
અધ્યાય-૧૨૫-પાંડુરાજાનું અવસાન 

II वैशंपायन उवाच II दर्शनीयांस्ततः पुत्रान् पाण्डुः पश्च महावने I तानु पश्यन् पर्वते रम्ये स्वबाहुबलमाश्रितः II १ II

વૈશંપાયન બોલ્યા-પોતાના પાંચ દર્શનીય પુત્રોને જોતા,પાંડુરાજા,પોતાના બાહુબલને આશ્રિત રહીને,

તે રમ્ય પર્વતના મહાવનમાં રહેતા હતા.એક વાર,વસંત કાળમાં તે પોતાની પત્ની માદ્રી સાથે તે વનમાં ફરી 

રહ્યા હતા.પુષ્પો,વૃક્ષો,જળાશયો તેમ જ પદ્મિણીઓ આદિથી શોભી રહેલા,વનને જોઈને,પાંડુમાં કામવિકાર 

થયો.ને ત્યારે પ્રસન્ન મનથી પોતાને અનુસરી રહેલી,ને શુભ,સૂક્ષ્મ વસ્ત્રથી ઝગી રહેલી,માદ્રીને જોતાં,

જેમ,ગહન વનમાં દવ ફાટી નીકળે તેમ,રાજાનો કામ ભભૂકી ઉઠ્યો.(1-6)

Mar 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-113

 
અધ્યાય-૧૨૪-નકુલ અને સહદેવનો જન્મ 

II वैशंपायन उवाच II कुंतीपुत्रेषु जातेषु धृतराष्ट्रात्मजेषु च I मद्रराजसुता पांडु रहो वचनमव्रवित II १ II

વૈશંપાયન બોલ્યા-કુંતીપુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મતાં,માદ્રીએ,પાંડુને એકાંતમાં આ વચન કહ્યું કે-

હે પરંતપ,તમે પુત્રોત્પાદન માટે અસમર્થ થયા છે,તેનો મને સંતાપ નથી,કે કુંતીથી હું અશ્રેષ્ઠ રહું છું,તેનો 

પણ મને ખેદ નથી,ગાંધારીને સો પુત્રો થયા તેનું પણ મને દુઃખ થતું નથી,તેમ છતાં,મને વાંઝિયાપણું રહ્યું છે,

તેનું મને મહાદુઃખ છે.હવે કુંતીને ય સંતતિ છે,તો તે મને પણ સંતતિ થાય,એવું કરે તો મારા પર કૃપા થશે.

ને તમારું પણ હિત થશે.કુંતી શોક્ય હોવાથી હું તેને કહેતાં અકળાઉં છું,

પણ જો તમે મારા પર પ્રસન્ન હો તો,તમે પોતે જ કુંતીને પ્રેરો (કે જેથી તે મને મંત્રદાન કરે)(1-6)