અધ્યાય-૧૨૩-કુંતીપુત્રોની ઉત્પત્તિ
II वैशंपायन उवाच II संवत्सरवृते गर्भे गान्धार्या जनमेजय I आह्वयामास वै कुंती गर्भार्थे धर्ममच्युतम् II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,ગાંધારીને ગર્ભ ધર્યાને જયારે એક વર્ષ થયું હતું,ત્યારે કુંતીએ,ગર્ભને માટે અવિનાશી ધર્મરાજનું આવાહન કર્યું.તે દેવીએ વિધિપૂર્વક,પૂર્વે દુર્વાસા મુનિએ આપેલ મંત્રનો જાપ કરવા માંડ્યો,
મંત્રના બળથી ધર્મદેવ વિમાનમાં બેસી ત્યાં આવ્યા અને કુંતીને પૂછ્યું કે-'તને હું શું આપું?'