Feb 28, 2023
Feb 27, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-107
અધ્યાય-૧૧૮-પાંડુરાજાને શાપ
II जनमेजय उवाच II कथितो धार्तराष्ट्राणामार्पः संभव उत्तमः I अमनुष्यो मनुष्याणां भवत ब्रह्मवादिना II १ II
જન્મેજય બોલ્યા-હે બ્રહ્મવાદીન,માનવોમાં અમાનવ એવી ધૃતરાષ્ટ્ર પુત્રોની શ્રેષ્ઠ ઉત્પત્તિ કથા કહી,તે મેં સાંભળી,
હવે તમે પાંડવોની વાત કહો.(આગળ) અંશાવતરણ પર્વમાં,તમે કહ્યું હતું કે-તે સર્વે માહતામો,ઈંદ્રરાજ જેવા પરાક્રમી ને દેવાંશી હતા.તો તેઓના જન્મથી માંડીને બધું હું સાંભળવા ઈચ્છું છું (1-4)
Feb 25, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-106
II जनमेजय उवाच II धृतराष्ट्रस्य पुत्राणामादितः कथितं त्वया I ऋषिः प्रसादात्तुशतं न च कन्या प्रकिर्तिता II १ II
જન્મેજય બોલ્યા-તે વ્યાસ ઋષિના પ્રસથી,ધૃતરાષ્ટ્રને સો પુત્રો થયા તે તમે પહેલાં કહ્યું.પણ તે વખતે કન્યા વિશે,
તમે કશું જ કહ્યું નહોતું.મહર્ષિ વ્યાસે તો કહ્યું હતું કે 'સો પુત્રોવાળી થા' તો આ કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ?
જો મહર્ષિએ માંસપેશીના સો ભાગ જ કર્યા હોય,અને ગાંધારી,જો ફરીથી પ્રજાવતી થઇ જ ન હોય
તો,દુઃશલાનો જન્મ કેવી રીતે થયો?તે વિશે આપ,મને યથાવત કહો,મને આ વિશે કુતુહલ થયું છે.(1-5)
Feb 24, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-105
અધ્યાય-૧૧૪-પાંડુનો અરણ્યનિવાસ તથા વિદુરનાં લગ્ન
II वैशंपायन उवाच II धृतराष्ट्राम्यनुज्ञातः स्वबाहुविजितं धनम् I भीष्माय सत्यवत्यै च मात्रे चोपजहार सः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુએ,ધૃતરાષ્ટ્રની આજ્ઞા મેળવીને,પોતાના બાહુબળથી જીતેલું તે ધન,ભીષ્મ,સત્યવતી
અને પોતાની માતાને અર્પણ કર્યું.વળી વિદુરને તથા મિત્રો સુધ્ધાંને તે ધનથી સંતુષ્ટ કર્યા.સત્યવતીએ પણ,પોતાને મળેલા ધનથી ભીષ્મ ને કૌશલ્યાને પ્રસન્ન કર્યા.તેજસ્વી પાંડુને ભેટી,માતા કૌશલ્યા અપાર આનંદ પામી.(1-4)
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-104
અધ્યાય-૧૧૨-કુંતીની સાથે પાંડુના લગ્ન
II वैशंपायन उवाच II सत्वरुपगुणोपेता धर्मारामा महाव्रता I दुहिता कुन्तिभोजस्य पृथा पृथुललोचना II १ II
કુંતીભોજની વિશાળ નેત્રવાળી પુત્રી પૃથા (કુંતી),મહાવ્રતીની અને સત્વ,રૂપ ને ગૂંથી સંપન્ન હતી.ને
આ યૌવનવંતી કન્યાને કેટલાયે રાજાઓએ પ્રાર્થી (ઈચ્છી) હતી.કુંતીભોજે,તેનો સ્વયંવર રચાવ્યો હતો,
તે સ્વયંવરમાં,કુંતીએ રાજાઓમાં સિંહ જેવા,વિશાલ છાતીવાળા,બીજા ઈન્દ્રની જેમ વિરાજેલા,
પાંડુને જોયા,ને તે હૃદયથી વ્યાકુળ થઇ,કુંતીના અંગમાં અનગ વ્યાપ્યો,
ને શરમાતાં શરમાતાં,તેણે,રાજા પાંડુના ગળામાં હાળમાળા પહેરાવી દીધી.(1-8)