અધ્યાય-૧૦૬-ધૃતરાષ્ટ્ર,પાંડુ તથા વિદુરની ઉત્પત્તિ
II वैशंपायन उवाच II ततः सत्यवती काले वधूं स्नातामृतौ तदा I संवेशयन्ति शयने शनैर्वचन मव्रवित् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઋતુકાળે સ્નાનશુદ્ધ થયેલી,પુત્રવધુને,શયનગૃહમાં પ્રવેશ કરાવતાં,સત્યવતી ધીરેથી બોલી-'હે કૌશલ્યા,તારા પતિનો એક ભાઈ છે,તે આજે તારા ગર્ભમાં પુત્રરૂપે પ્રવેશશે.તું એકચિત્તે તેની રાહ જોજે,મધરાતે તે આવશે જ' સાસુનું આવું વચન સાંભળી,કૌશલ્યા શય્યામાં સૂતી અને ભીષ્મ ને બીજા
કુરુસિંહોનુ ચિંતન કરવા લાગી.દીવાઓ ઝગમગી રહ્યા હતા ત્યારે,વ્યાસજી શયનગૃહમાં પ્રવેશ્યા (1-4)