Feb 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-099

 
અધ્યાય-૧૦૬-ધૃતરાષ્ટ્ર,પાંડુ તથા વિદુરની ઉત્પત્તિ 

II वैशंपायन उवाच II ततः सत्यवती काले वधूं स्नातामृतौ तदा I संवेशयन्ति शयने शनैर्वचन मव्रवित् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઋતુકાળે સ્નાનશુદ્ધ થયેલી,પુત્રવધુને,શયનગૃહમાં પ્રવેશ કરાવતાં,સત્યવતી ધીરેથી બોલી-'હે કૌશલ્યા,તારા પતિનો એક ભાઈ છે,તે આજે તારા ગર્ભમાં પુત્રરૂપે પ્રવેશશે.તું એકચિત્તે તેની રાહ જોજે,મધરાતે તે આવશે જ' સાસુનું આવું વચન સાંભળી,કૌશલ્યા શય્યામાં સૂતી અને ભીષ્મ ને બીજા 

કુરુસિંહોનુ ચિંતન કરવા લાગી.દીવાઓ ઝગમગી રહ્યા હતા ત્યારે,વ્યાસજી શયનગૃહમાં પ્રવેશ્યા (1-4)

Feb 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-098

અધ્યાય-૧૦૫-વ્યાસથી વંશવૃદ્ધિ 


II  भीष्म उवाच II पुनर्भरतवंशस्य हेतुं संतानवृद्धये I वक्ष्यामि नियतं मातस्तन्मे निगदतः शृणु II १ II

ભીષ્મ બોલ્યા-હે માતા,ભરતવંશની સંતાનવૃદ્ધિ માટે,હું ફરીથી નિશ્ચિત હેતુ કહું છું,તે સાંભળો.કોઈ 

ગુણવાન બ્રાહ્મણને ધન આપીને નિમંત્રો,કે જે વિચિત્રવીર્યની પત્નીઓમાં પ્રજોત્પત્તિ કરશે.(1-2)

Feb 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-097

અધ્યાય-૧૦૪-ભીષ્મએ કહેલી દીર્ઘતમાની કથા 

(કોઈ કોઈ આવૃત્તિઓમાં આ ઉપ-આખ્યાન આપણું નથી,આ અધ્યાય આ આવૃત્તિમાં  વધારાનો મુકેલ છે)


II  भीष्म उवाच II जामदग्नेय रामेण पित्रुर्वधममृप्यता I राजा परशुना पूर्व हैहयाधिपतिर्हतः II १ II

ભીષ્મ બોલ્યા-પૂર્વે,પિતાના થયેલા વધને સાંખી ન શકવાથી,જમદગ્નિના પુત્ર પરશુરામે,હૈહયોના અધિપતિ 

રાજા(સહસ્ત્રાર્જુન)ને પરશુથી હણી નાખ્યો હતો.તે સહસ્ત્રાર્જુનના હજાર હાથ કાપી નાખી,તેમણે,

આ લોકમાં અતિ દુષ્કર ધર્મ આચર્યો હતો.વળી,તેમણે ધનુષ્ય હાથમાં લઇ,રથમાં બેસી,

મહા અસ્ત્રો છોડીને,પૃત્વીને જીતતાં,ક્ષત્રિયોનો એકવીશ વાર નાશ કર્યો હતો.

Feb 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-096

 

અધ્યાય-૧૦૩-વંશવૃદ્ધિ માટે સત્યવતી ને ભીષ્મનો સંવાદ 


II वैशंपायन उवाच II ततः सत्यवती दीना कृपणा पुत्रगृद्धिनी I पुत्रस्य कृत्वा कार्याणि स्नुपाम्यां सह भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,પછી,પુત્રની ઈચ્છાવાળી,દિન અને કૃપણ થયેલી,સત્યવતીએ,પુત્રવધૂઓ સાથે પુત્રની પારલૌકિક ક્રિયાઓ કરી અને બંને વહુઓ ને ભીષ્મને આશ્વાસન આપ્યું ને પિતૃવંશ-માતૃવંશ ને ધર્મની તરફ દ્રષ્ટિ રાખીને ભીષ્મને કહ્યું કે-'ધર્મપરાયણ શાંતનુની કીર્તિ,પિંડ ને વંશવર્ધનને હવે તારો જ આધાર છે.

હે ધર્મજ્ઞ,તું વેદો ને શાસ્ત્રોને જાણે છે,સત્યપ્રિય છે,ધર્મ વિશે તારો નિર્ણય અચળ છે,તારો કુલાચાર શ્રેષ્ઠ છે ને

વિપત્તિમાં શુક્ર ને બૃહસ્પતિ જેવું તારું કર્તવ્યજ્ઞાન છે તે હું જાણું છું,આથી તારામાં પૂરો વિશ્વાસ રાખીને,

હું તને એક કાર્યમાં યોજ્યુ છું-તે સાંભળીને તારે તેમ કરવું જોઈએ તેમ હું માનું છું.'(1-7)

Feb 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-095

અધ્યાય-૧૦૧-ચિત્રાંગદનું મૃત્યુ ને વિચિત્રવીર્યને રાજ્યપ્રાપ્તિ 


II वैशंपायन उवाच II ततो विवाहे निर्वुत्ते,स राज शान्तनुर्नृपः I तां कन्यां रूपसंपन्नां स्वगृहे संन्यवेशयत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,લગ્ન થયાં,અને શાંતનુએ તે રૂપ સંપન્ન કન્યાને પોતાના ઘરમાં નિવાસ આપ્યો.

સમય થયે,તે સત્યવતીમાં,ચિત્રાંગદ ને વિચિત્રવીર્ય નામના ને પુત્રોનો જન્મ થયો.

વિચિત્રવીર્ય,હજુ યુવાનીમાં આવે તે પહેલા જ શાંતનુ રાજા કાળધર્મને પામ્યો હતો.(1-4)