Feb 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-094


શાંતનુ બોલ્યો-હે દાશરાજ,તમે જે વરદાન માગવા ઈચ્છો છો,તે સાંભળીને હું વિચાર કરીશ,ને પછી જે તો 

આપવા યોગ્ય હશે તો આપીશ ને જો આપવા જેવો નહિ હોય તો કોઈ પણ રીતે આપીશ નહિ.

દાશ બોલ્યો-હે પૃથ્વીપતિ,આ કન્યામાં જે પુત્ર જન્મે,તેનો તમારા પછી રાજા તરીકે અભિષેક કરવો.

બીજા કોઈનો નહિ,એવી મારી શરત છે,તો એવો વર મને આપો 

Feb 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-093

 
અધ્યાય-૧૦૦-ભીષ્મપ્રતિજ્ઞા-તથા શાંતનુને સત્યવતીની પ્રાપ્તિ 

II वैशंपायन उवाच II स राजा शान्तनुर्धिमान देवराजर्षिसत्कृतः I धर्मात्मा सर्वलोकेषु सत्यवागिति विश्रुतः II १ II

વૈશંપાયન બોલ્યા-દેવો અને રાજર્ષિઓથી સત્કારાયેલો,તે બુદ્ધિમાન શાંતનુ રાજા,સર્વલોકમાં ધર્માત્મા અને સત્યવાદી તરીકે વિખ્યાત થયો હતો.ઇન્દ્રિયનિગ્રહ,દાન,ક્ષમા,બુદ્ધિ,લજ્જા,ધૃતિ અને તેજ-એ સર્વ ગુણોથી તે 

યુક્ત હતો.ધર્મ અને અર્થમાં કુશળ એવો તે ગુણસંપન્ન રાજા ભરતવંશનો ને સર્વ જનોનો સંરક્ષક હતો.(1-3)

Feb 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-092

અધ્યાય-૯૯-વસુઓને થયેલા શાપનું વર્ણન 


II शान्तनुरुवाच II आपवो नाम कोन्वेप वसूनां किंच दुष्कृतं I यस्याभिशापात्ते सर्वे मानुषीं योनिमागता  II १ II

શાંતનુ બોલ્યા-એ આપવ (વસિષ્ઠ) નામે (ઋષિ) કોણ હતા?વસુઓ તો સર્વ લોકના ઈશ્વરો છે,પણ તેમણે,

એવો તો શો અપરાધ કર્યો હતો કે તેમના શાપથી,તેઓએ મનુષ્યયોનિમાં આવવું પડ્યું? તે કહે (1-3)

Feb 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-091

અધ્યાય-૯૮-ભીષ્મની ઉત્પત્તિ 


II वैशंपायन उवाच II एत्च्छ्रुत्वा वचो राज्ञः सस्मितं मृदु वल्गु च I वसूनां समयं स्मृत्याथाम्याग्च्छद्निन्दिता  II १ II

વૈશંપાયન બોલ્યા-રાજાનું એવું મૃદુ,મનોહર અને સ્મિતયુક્ત વચન સાંભળીને તે આનંદિત ગંગા,

વસુઓના વચન સંભાળીને રાજની પાસે આવી અને તેના મનને પ્રસન્ન કરતી વાણીમાં બોલી કે-

'હે મહીપાલ,હું તમારી અધીન પટરાણી થઈશ,પણ મારી શરત છે કે-હું જે કાંઈ શુભ કે અશુભ કરું,તેમાં તમારે 

મને વારવી નહિ,તેમ જ મને કશું અપ્રિય કહેવું નહિ,હે રાજન,તમે જો આ રીતે વર્તશો તો હું તમારી સાથે રહીશ,

પણ જયારે તમે રોકશો કે અપ્રિય કહેશો ત્યારે હું તમને અવશ્ય ત્યજી દઈશ' 

શાંતનુએ કહ્યું કે-'ભલે તેમ જ હો' ને આમ,શાંતનુને પામીને ગંગા અપાર આનંદ પામી (1-5)

Feb 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-090

 
અધ્યાય-૯૭-શાંતનુ રાજાને ગંગાજીનો મેળાપ 

II वैशंपायन उवाच II ततः प्रतीपो राजासित्सर्वभूतहितः सदा I निपसाद समावहिर्गगा द्वारमतो जपन्  II १ II

વૈશંપાયન બોલ્યા-ભૂતમાત્રના કલ્યાણમાં તત્પર રહેલો રાજા પ્રતીપ,ગંગા દ્વારે વસીને,અનેક વર્ષો સુધી તપ 

કરતો બેઠો હતો.ત્યારે એક વખતે,અત્યંત આકર્ષક રૂપવતી ગંગા,સ્ત્રીરૂપ ધરીને બહાર આવી,

ને તે રાજર્ષિની શાલવૃક્ષના જેવી જમણી જાંઘ પર બેઠી,ત્યારે પ્રતીપે તેને પૂછ્યું કે-

હે કલ્યાણી,હું તારું શું પ્રિય કરું? તારી ઈચ્છા શી છે?તે મને કહે. (1-4)