અધ્યાય-૯૬-શાંતનુ રાજાનું ઉપાખ્યાન(મહાભારત કથાની શરૂઆત)
II वैशंपायन उवाच II इक्ष्वाकुवंशप्रभवो राजासीत्पृथिवीयतिः I महाभिप इति ख्यातः सत्यवाक् सत्यविक्रमः II १ II
વૈશંપાયન બોલ્યા-ઇક્ષ્વાકુ વંશમાં મહાભિષ નામે એક સત્યવચની અને પરાક્રમી પૃથ્વીપતિ રાજા હતો,તેણે એક હજાર અશ્વમેઘ યજ્ઞો ને સો રાજસૂય યજ્ઞોથી ઇન્દ્રને પ્રસન્ન કરી સ્વર્ગલોકને પામ્યો હતો.(1-2)
કોઈ એકવાર,દેવો,બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા,ત્યારે ગંગાજી ત્યાં આવ્યાં,તે વખતે,ચંદ્રકાંતિ જેવું તેમનું વસ્ત્ર પવનથી ઉડી ગયું,તેથી દેવગણો એકદમ નીચું જોઈ ગયા,પણ મહાભિષ,ગંગાને જોઈ રહ્યા હતા,
તેમને આમ કરતા જોઈને બ્રહ્માજીએ મહાભિષને કહ્યું કે-'તું મનુષ્યલોકમાં જન્મીને,
ફરી પાછો સ્વર્ગલોકને પામીશ,હે દુર્બુદ્ધિ,જે ગંગાથી તારું મન હરાયું છે,
તે ગંગા.મનુષ્યલોકમાં તારું અપ્રિય કરશે,તને જયારે ક્રોધ ઉત્પન્ન થશે ત્યારે તું શાપ મુક્ત થશે.(3-8)