અધ્યાય-૯૨-યયાતિને માટે પુનઃ સ્વર્ગગમનની પ્રાર્થના
II अष्टक उवाच II कतरस्त्वनयो: पूर्व देवानामेति सात्मताम् I उभ्योर्धावतो राजन् सूर्याचन्द्रमसोरिव II १ II
અષ્ટક બોલ્યો-હે રાજન,સૂર્ય અને ચંદ્રની જેમ દોડતા યોગી અને જ્ઞાની-એ બેમાંથી કોણ પહેલાં દેવત્વને પામે છે?
યયાતિ બોલ્યો-યથેચ્છ વર્તનારા ગૃહસ્થોવાળા ગામમાં રહેવા છતાં,જે નિષ્કામ ને જિતેન્દ્રિય છે,
તે જ્ઞાની,પહેલો દેવરૂપને પામે છે.જે,યોગીને દીર્ઘ આયુષ્ય મળ્યું હોય છતાં સિદ્ધિ ન મળી હોય,
ને તે જો કોઈ પાપ કરી નાખે તો તેના પ્રાયશ્ચિત અર્થે તે બીજું તપ કરે.પણ,
જે જ્ઞાની(નિષ્કામ) પુરુષે સાક્ષાત્કારની સિદ્ધિ મેળવી છે,તે કદાચ પાપ કરે તો પણ,તેને મુક્તિલાભ મળે છે.