Jan 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-069


 અધ્યાય-૭૬-કચ ને સંજીવનીવિદ્યાની પ્રાપ્તિ 

II जनमेजय उवाच II ययाति: पूर्वजोSस्माकं दशमो यः प्रजापतेः I कथं स शुक्रतनयां लेभे परमदुर्लभाम् II १ II

જન્મેજય બોલ્યા-પ્રજાપતિથી દશમી પેઢીએ થયેલા અમારા પૂર્વજ તે યયાતિએ પરમ દુર્લભ શુક્રપુત્રીને 

ક્યાંથી મેળવી? વળી,તમે બીજા વંશકર્તાઓ વિષે પણ અનુક્રમે કહો (1-2)

Jan 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-068


અધ્યાય-૭૫-યયાતિ રાજાનું ઉપાખ્યાન 

II वैशंपायन उवाच II प्रजापतेस्तु दक्षस्य मनो वैवस्वतस्य च I भरतस्य कुरोः पुरोराजमिढस्य चानाध II १ II

વૈશંપાયન બોલ્યા-હે અપાપ,દક્ષ પ્રજાપતિ,વૈવસ્વત મનુ,ભારત,પુરુ,આજમીઢ,યાદવો,કૌરવો અને ભારતો,

એ વંશોની પુણ્યશાળી,મહાકલ્યાણકારી તેમ જ યશ તથા આયુષ્ય દેનારી કથા હું તમને કહું છું.

પ્રચેતાને દશ પુત્રો હતા,તેમનાથી પ્રાચેતસ પ્રજાપતિ દક્ષ જન્મ્યા,

કે જેમની આ સર્વ પ્રજા થઇ છે,એ દક્ષ પ્રજાપતિ,સર્વ લોકના પિતામહ કહેવાય છે (1-5)

Jan 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-067


પિતૃઓએ,પુત્રને કુળ-વંશની પ્રતિષ્ઠારૂપ ને સર્વ ધર્મમાં ઉત્તમ કહ્યો છે,માટે પુત્રનો ત્યાગ કરવો ન ઘટે.

ધર્મ ને કીર્તિને વધારનાર અને મનુષ્યના મનની પ્રીતિ વધારનાર પુત્રો જન્મ લઈને,ધર્મ-રૂપી-નાવ બની 

પિતૃઓને નરકમાંથી બચાવે છે,તેથી,હે રાજન,પુત્રનો ત્યાગ કરવો તમારા માટે યોગ્ય નથી.

જેમ,સો કુવાઓ કરતાં એક વાવ ચડિયાતી છે,સો વાવો કરતાં એક યજ્ઞ ચડિયાતો છે,સો યજ્ઞો કરતાં એક પુત્ર ચડિયાતો છે,અને સો પુત્ર કરતાં એક સત્ય ચડિયાતું છે,હજાર અશ્વમેઘ યજ્ઞો ને સત્યને તોલવામાં આવે તો 

સત્ય ચડિયાતું જ સાબિત થયું છે,તો,તમારે,કપટ નહિ કરતા,સત્યનું રક્ષણ કરવું ઘટે છે.

Jan 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-066


જેમ,બેપગાંમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે,ચોપગાંમાં ગાય શ્રેષ્ઠ છે,ને વડીલોમાં ગુરુ શ્રેષ્ઠ છે,તેમ સ્પર્શમાં પુત્ર-સ્પર્શ શ્રેષ્ઠ છે.

તો આ સુંદરમૂર્તિ પુત્રને ભેટીને તમે સ્પર્શ સુખ પામો.હે રાજન,ત્રણ વર્ષ પુરાં થયે,મેં તમારા આ કુમારનો જન્મ આપ્યો  છે,તેના જન્મ સમયે અંતરિક્ષ વાણીએ કહ્યું હતું કે-આ સો યજ્ઞો કરશે.

Jan 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-065


 રાજાની આવી વાત સાંભળતા જ શકુંતલા,લજ્જાથી ભોંઠી પડી ગઈ,દુઃખથી તે પથ્થરની જેમ ઉભી રહી,

તીરછી નજરે તે રાજાને જોઈ રહી,ક્રોધથી ઉકળેલી હોવા છતાં,તેણે ક્રોધને છુપાવી રાખ્યો.

થોડીવાર વિચાર કરીને,દુઃખ અને કોપથી યુક્ત એવી તેણે,રાજાને કહ્યું કે-'હે મહારાજ,જાણતા હોવા છતાં,તમે એક સાધારણ મનુષ્યની જેમ 'હું જાણતો નથી' એવું કેમ બોલો છો? સાચું-જૂઠું તો તમારું હૃદય જાણે છે,માટે આત્માને સાક્ષી રાખીને તમે કલ્યાણકારી વચન બોલો.તમે એમ સમજો છો કે 'હું એકલો છું,ને મને જોનાર કોઈ નથી'

પણ,પરમાત્મા,આ સર્વ જોઈ રહ્યા છે ને તેમની સમક્ષ તમે જુઠ્ઠું બોલીને પાપ કરી રહ્યા છો.(24-28)