Jan 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-054

 બૃહસ્પતિની 'વરસ્ત્રી' નામની બ્રહ્મવાદિની બહેન હતી,તે યોગમાં પરાયણ થઇ,જગતમાં અસંગચિત્તે ફરતી હતી,
તે પાછળથી આઠમા વસુ પ્રભાતની પત્ની થઇ હતી,તેણે શિલ્પવિદ્યાના નિર્માતા વિશ્વકર્માને જન્મ આપ્યો હતો.

દેવોના સુથાર,એ વિશ્વકર્માએ અણમોલ શિલ્પો ને દિવ્ય વિમાનો બનાવ્યા હતા,

એ મહાત્માની શિલ્પકળાથી આજે પણ મનુષ્યો પોતાની આજીવિકા ચલાવે છે,ને તેમને પૂજે છે (28-31)

Dec 30, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-053

અધ્યાય-૬૬-વિવિધ સૃષ્ટિ 


II वैशंपायन उवाच II ब्रह्मणो मानसाः पुत्रा विदिताः पणंहर्षयः I एकादशः सुताः स्थाणोः ख्याताः परंतेजसः  II १ II

વૈશંપાયન બોલ્યા-પ્રસિદ્ધ છ મહર્ષિઓ બ્રહ્માના માનસપુત્રો હતા(મરીચિ,અત્રિ,અંગિરા,પુલસ્ત્ય,પુલહ,અને ક્રતુ)

સાતમા સ્થાણુ નામના પુત્રને અગિયાર પુત્રો થયા હતા.તે,મૃગવ્યાધ,સર્પ,નિઋતિ,

અજૈકપાટ,અહિર્બુધ્ન્ય,પિનાકી,દહન,ઈશ્વર,કપાલી,સ્થાણુ ને ભગ-એ અગિયાર 'રુદ્રો' તરીકે પ્રખ્યાત છે. 

Dec 29, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-052

 
સંભવ પર્વ 

અધ્યાય-૬૫-દક્ષકન્યાની સંતતિ 


II वैशंपायन उवाच II अथ नारायणेनेन्द्रेश्चकार सः संविदम् I अवतर्तु महि स्वर्गादंशतः सहितः सुरैः  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઇન્દ્રે,દેવતાઓ સાથે,સ્વર્ગમાંથી પૃથ્વી પર,અવતરવાનો,નારાયણ સાથે ઠરાવ કર્યો.

અને સર્વ દેવોને તે પ્રમાણે આજ્ઞા આપી,સર્વે નારાયણના નિવાસથી પાછા ફર્યા.

ત્યારે બાદ,દુશ્મનો (દૈત્યો)ના વિનાશ માટે અને લોકકલ્યાણ માટે દેવો,ક્રમેક્રમે પૃથ્વી પર અવતર્યા.

અને દાનવો,રાક્ષસો,ગંધર્વો,સર્પો અને અનેક માણસ-ખાઉ પ્રાણીઓને મારી નાખ્યા.(1-5)

Dec 28, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-051

અધ્યાય-૬૪-દેવોનું અંશાવતરણ 


II जनमेजय उवाच II य एते कीर्तिता ब्रह्मनयेचान्ये नानुकीर्तिताःIसम्यक्तान श्रोतुमिच्छामि राज्ञश्वान्यानसहस्त्रशः II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,જે રાજાઓ વિશે તમે કહ્યું છે અને જેને વિશે તમે કહ્યું નથી તેવા,તે હજારો વિશે,

હું સારી રીતે સાંભળવા ઈચ્છું છું,તે દેવતુલ્ય,મહારથીઓએ શા અર્થે જન્મ ધર્યા હતા? (1-2)

Dec 27, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-050

જન્મતાં જ તે માતાની આજ્ઞા લઈને,ત્યાંથી ચાલ્યા અને બોલ્યા-'મારુ કોઈ કામ હશે તો સ્મરણ કરજે તો,

હું તરત જ હાજર થઈશ'  બાળક તરીકે તે દ્વીપમાં જન્મ્યા એટલે તે 'દ્વૈપાયન' નામ પામ્યા.

તેમણે,વેદો અને બ્રાહ્મણો પર કૃપા,કરવાની ઇચ્છાએ,વેદોનો વ્યાસ (શાખા-વિભાગ) કર્યો,તેથી તે 

'વ્યાસજી' પણ કહેવાયા.તે મહાસમર્થે સુમંતુ,જૈમિની,પૈલ,પોતાના પુત્ર શુકદેવ અને વૈશંપાયનને,-

આ મહાભારત સાથે પાંચેય વેદો ભણાવ્યા.તેમણે અલગઅલગ મહાભારતની સંહિતાઓ રચી છે.(70-90)