વસિષ્ઠ કહે છે કે-સર્વના આદિ-કારણ-રૂપ-ચિદાકાશ (સ્વપ્નની જેમ) વિવર્ત (આભાસ) ભાવને પામીને,
દૃશ્ય (જગત) ભાવને ધારણ કરી લે છે.ને તે (દૃશ્ય ભાવ) જીવોને દેહના તાદામ્યપણાનો અધ્યાસ થવામાં
મુખ્ય કારણરૂપ થાય છે.આમ,હવે જો પ્રથમ આરંભ સમયમાં દૃશ્ય જેવી કોઈ વસ્તુ જ નથી તો તે ચિદાકાશ,
મુખ્ય કારણરૂપ થાય છે.આમ,હવે જો પ્રથમ આરંભ સમયમાં દૃશ્ય જેવી કોઈ વસ્તુ જ નથી તો તે ચિદાકાશ,
દેહ-રૂપ કેમ થઇ શકે? એટલે તે સર્વ દૃશ્ય સ્વપ્નના અનુભવ જેવું જ છે.માટે આ સૃષ્ટિ (નરી આંખે) દેખાતાં
છતાં (સ્વપ્નના ઉદાહરણ સિવાય) બીજી કોઈ પ્રકારે સિદ્ધ થઇ શકતી નથી.