બ્રહ્મસત્તા જ પોતા વડે પોતાના સ્વરૂપમાં,જાણે જગત-રૂપે અવિર્ભાવને પ્રાપ્ત થઇ ગઈ હોય,તેવી બની જાય છે
અને પૃથ્વી-આદિ સંજ્ઞાઓને કલ્પી લે છે.આમ પૃથ્વી-આદિનો પ્રથમ અસંભવ છે,એટલે જગત સાકાર નથી,
તેમ જ તે સ્મૃતિથી બનાવાયેલું (સ્મૃત્યાત્મક) પણ નથી કે ભ્રાંતિ-રૂપ પણ નથી.
તે જગત તો કેવળ બ્રહ્મ-રૂપ જ છે અને એ બ્રહ્મ જ સુંદર જગતના આકારે વિવર્ત-રૂપે પ્રતીતિમાં આવે છે.
વસ્તુતઃ તો તે (બ્રહ્મ) 'એક' જ છે ને સૃષ્ટિ-પ્રલયના સમયમાં વિકારને નહિ પામતાં પોતાના સ્વરૂપમાં જ રહે છે.
તે બ્રહ્મ દૃશ્ય-રૂપે પ્રતીતિમાં આવે છે છતાં આકાશરૂપ,શાંત,નિત્ય અને નિરાકાર છે.