Jun 30, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1194



જેમ,સુષુપ્તિમાંથી સ્વપ્નમાં ગતિ કરનારા 'જીવ-ચૈતન્ય'ની સુષુપ્તિમાં રહેલી 'ચિદ-શક્તિ' યથાસ્થિતપણે રહ્યા છતાં
સ્વપ્નભાવને ધારણ કરી લે છે,તેમ પ્રલયભાવમાંથી સૃષ્ટિભાવને ધારણ કરી લેવામાં ચિદાકાશ યથાસ્થિતપણે રહ્યા છતાં
સૃષ્ટિના આકારને ધારણ કરી લે છે.વસ્તુતઃ જોતાં તો જેવી સુષુપ્તિ છે તેવું જ સ્વપ્ન છે અને જેવું જાગ્રત છે
તેવું જ તૂર્ય છે,માટે આ જગત આકાશ જેવું છે.જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ અને તૂર્ય-એ સર્વરૂપ બ્રહ્મ જ થઇ રહે છે.
આ વિષયમાં પૂર્ણ-સ્વરૂપ એક આત્માનો જે અનુભવ તત્વવેત્તાઓને થાય છે તે જ પ્રમાણ-રૂપ છે.

Jun 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1193

(૧૭૧) દૃશ્યનો નિષેધ

વસિષ્ઠ કહે છે કે- ચિદાકાશનો એક વિવર્ત(વિલાસ) જ આ દૃશ્ય (જગત)ના આકારે ભાસે છે,બાકી વસ્તુતઃ
જોઈએ તો જગત પણ નથી,તેનું ભાન પણ નથી,શૂન્ય પણ નથી અને વૃત્તિઓના અનુભવ પણ નથી.
આકાશથી જેમ શૂન્યતા જુદી નથી તેમ આ જગત ચિદાકાશથી જરા પણ જુદું નથી.
ચક્ષુ-આદિ ઇન્દ્રિયો દ્વારા,એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જનાર,સાક્ષી-ચૈતન્યનું,વચમાં જે નિર્વિષય
સ્વચ્છ રૂપ છે તે જ આ દૃશ્યના આકારે ભાસે છે,બાકી દૃશ્ય કાંઇ તેનાથી જુદી બીજી કોઈ વસ્તુ નથી.

Jun 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1192

વસિષ્ઠ કહે છે કે-તે કર્મ-રૂપ મિત્ર,જીવનમુક્તને પિતાની જેમ આશ્વાસન આપે છે,સ્ત્રીની જેમ
નિષિદ્ધ કાર્યથી અટકાવે છે અને અપાર સંકટોમાં પણ સાથે જ રહે છે.તેની સેવા વિષે કશી શંકા રહેતી નથી.
તેનાથી સારી રીતે આનંદનો લાભ થાય છે.ક્રોધના સમયમાં પણ તે શાંતપણાને લીધે,સમાધાન-રૂપી-અમૃતનું
પાન કરાવે છે.અનેક વિપત્તિઓમાં અને વિકટ સંકટોમાં,અનેક દોષોમાં ડૂબી જવાના સમયે,તે તેમાંથી
ઉદ્ધાર કરે છે.તે અત્યંત વિશ્વાસુ અને અને અત્યંત સહવાસી છે.ને કદી પણ છૂટો પડતો નથી.