જેમ,સુષુપ્તિમાંથી સ્વપ્નમાં ગતિ કરનારા 'જીવ-ચૈતન્ય'ની સુષુપ્તિમાં રહેલી 'ચિદ-શક્તિ' યથાસ્થિતપણે રહ્યા છતાં
સ્વપ્નભાવને ધારણ કરી લે છે,તેમ પ્રલયભાવમાંથી સૃષ્ટિભાવને ધારણ કરી લેવામાં ચિદાકાશ યથાસ્થિતપણે રહ્યા છતાં
સૃષ્ટિના આકારને ધારણ કરી લે છે.વસ્તુતઃ જોતાં તો જેવી સુષુપ્તિ છે તેવું જ સ્વપ્ન છે અને જેવું જાગ્રત છે
તેવું જ તૂર્ય છે,માટે આ જગત આકાશ જેવું છે.જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ અને તૂર્ય-એ સર્વરૂપ બ્રહ્મ જ થઇ રહે છે.
આ વિષયમાં પૂર્ણ-સ્વરૂપ એક આત્માનો જે અનુભવ તત્વવેત્તાઓને થાય છે તે જ પ્રમાણ-રૂપ છે.