વસિષ્ઠ કહે છે કે-ધૈર્યવાન એવો મુમુક્ષુ પુરુષ,સાધન-સંપત્તિ,,સત્સંગ તથા સદશાસ્ત્રથી થયેલા તત્વ-સાક્ષાત્કાર
વડે,પ્રબોધ (જ્ઞાન) ને પ્રાપ્ત થઇ જઈ સંસાર-સાગરની પેલે પાર પહોંચી જઈ,એકાંત સ્થળમાં સુખથી સુઈ રહે છે.
આશ્ચર્ય એ છે કે-તે તત્વજ્ઞ પુરુષ,મહેલ,પલંગ-આદિ શય્યાના સાધન વિના અને પ્રાણની ચેષ્ટા વિના,
પોતાના સ્વરૂપથી ભિન્ન એવી 'નિંદ્રા' નામની વસ્તુથી પૃથક (જુદો) રહે છે.
આમ,તે પોતાના સ્વરૂપમાં જાગ્રત રહે છે ને (છતાં) સુખથી સુઈ રહે છે.