Jun 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1188

સૃષ્ટિની શરૂઆતમાં,જ્યાં સુધી બુદ્ધિની સિદ્ધિ થાય ત્યાં સુધીનો જે આરંભ છે,તે પોતાની મેળે (અબુદ્ધિ પૂર્વક)
જ થાય છે.પછી બુદ્ધિની સિદ્ધિ થયા બાદ જે કંઈ (સૃષ્ટિનો) આરંભ સંકલ્પ વડે કલ્પવામાં આવે છે,
તે બુદ્ધિપૂર્વક થાય છે (એટલે કે તે બુદ્ધિ ઉત્પન્ન થયા પછી, તે પોતે જ સંકલ્પો કરવા માંડે છે)
સમુદ્રમાં થતા તરંગોની જેમ ચિન્માત્ર (ચિદાકાશ)તત્વમાંથી જ બુદ્ધિ-મન-અહંકાર-આદિની ઉત્પત્તિ થાય છે.
પરંતુ આ ચિદાકાશની અંદર આભાસ-રૂપે દેખાતું આ જગત એ ચિદાકાશ-રૂપ જ છે.

Jun 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1187

વસિષ્ઠ કહે છે કે-આ દૃશ્ય (જગત) જેવું ભાસતું હોય તેવું ભલે સુખથી ભાસો.એ પ્રતીતિમાં આવવા છતાં પણ,
ચિદાકાશ-રૂપ હોવાથી તેને સત્ય કે અસત્ય-એવું કંઈ જ કહી શકાતું નથી.
પ્રપંચ (માયા) નું સ્વરૂપ કંઈ જ નથી પરંતુ કંઇક અનિર્વચનીય તો છે.આ જગત આવું છે-આવું નથી-સત્ય છે-અસત્ય છે-
એવા લોક પ્રચલિત વૃતાંતને વિવેકી તત્વજ્ઞ પુરુષ જ જાણી શકે છે.અવિવેકી નહિ.

Jun 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1186

(૧૬૭) ખ્યાતિનો નિષેધ અને આત્મ-તત્વનું નિરૂપણ

વસિષ્ઠ કહે છે કે-આત્મખ્યાતિ,અસતખ્યાતિ,ખ્યાતિ,અખ્યાતિ અને અન્યથાખ્યાતિ-એ સર્વ શબ્દો અને
તે શબ્દોના અર્થ સંબંધી દૃષ્ટિઓ-એ તત્વજ્ઞ પુરુષને (સસલાના શિંગડા જેવી) મિથ્યા જ ભાસે છે.
નિરાકાર ચિદાકાશની અંદર કોઈ દિવસ એ કલ્પના સંભવતી જ નથી.અનિર્દેશ્ય આત્મ-તત્વ-રૂપે રહેલો
વિવેકી પુરુષ તો ખ્યાતિ-અખ્યાતિ-આદિના મૂળરૂપ એવી ચિત્તની ચેષ્ટાથી રહિત થઈને સદાકાળ શાંત રહે છે.
આ સર્વ આત્મખ્યાતિ-આદિ કલ્પનાઓ આકાશ-રૂપ ચિન્માત્ર તત્વમાંથી જ ઉદય પામે છે.(કે આરોપાય છે)