સૃષ્ટિની શરૂઆતમાં,જ્યાં સુધી બુદ્ધિની સિદ્ધિ થાય ત્યાં સુધીનો જે આરંભ છે,તે પોતાની મેળે (અબુદ્ધિ પૂર્વક)
જ થાય છે.પછી બુદ્ધિની સિદ્ધિ થયા બાદ જે કંઈ (સૃષ્ટિનો) આરંભ સંકલ્પ વડે કલ્પવામાં આવે છે,
તે બુદ્ધિપૂર્વક થાય છે (એટલે કે તે બુદ્ધિ ઉત્પન્ન થયા પછી, તે પોતે જ સંકલ્પો કરવા માંડે છે)
સમુદ્રમાં થતા તરંગોની જેમ ચિન્માત્ર (ચિદાકાશ)તત્વમાંથી જ બુદ્ધિ-મન-અહંકાર-આદિની ઉત્પત્તિ થાય છે.
પરંતુ આ ચિદાકાશની અંદર આભાસ-રૂપે દેખાતું આ જગત એ ચિદાકાશ-રૂપ જ છે.