સંત જ્ઞાનેશ્વર |
Oct 14, 2024
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧-અધ્યાય-1-Gita Rahasya-Gnaneshvari-1-Adhyaya-1
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-646
અધ્યાય-૯-વિશ્વરૂપનો વધ
II युधिष्ठिर उवाच II कथमिंद्रेण राजेन्द्र सभार्येण महात्मना I दुःखं प्राप्तं परं घोरमेतदिच्छामि वेदितुम II १ II
યુધિષ્ઠિરે પૂછ્યું-હે રાજેન્દ્ર,મહાત્મા ઇન્દ્રને તથા તેની ભાર્યાને કેવી રીતે
મહાભયંકર દુઃખ પ્રાપ્ત થયું હતું? તે જાણવાની હું ઈચ્છા રાખું છું.
શલ્ય બોલ્યો-આ સંબંધમાં એક પુરાતન ઇતિહાસ તમે સાંભળો.પૂર્વે દેવોમાં શ્રેષ્ઠ એવા મહાતપસ્વી ત્વષ્ટા નામના પ્રજાપતિ હતા.તેમણે ઇન્દ્ર પ્રતિ દ્રોહથી વિશ્વરૂપ નામનો ત્રણ માથાંવાળો પુત્ર ઉત્પન્ન કર્યો હતો.કે જે વિશ્વરૂપ ઇન્દ્રપદની ઈચ્છા કરતો હતો.તેનાં સૂર્ય,ચંદ્ર અને અગ્નિના જેવાં ત્રણ મુખો હતાં.એક મુખથી તે વેદ ભણતો હતો,બીજા મુખથી તે મદિરાપાન કરતો હતો અને ત્રીજા મુખથી તે સર્વ દિશાઓને પી જતો હોય તેમ જોતો હતો.
Oct 13, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-645
અધ્યાય-૮-દુર્યોધને શલ્યને પોતાના પક્ષમાં લીધો
II वैशंपायन उवाच II शल्यः श्रुत्वा तु दूतानां सैन्येन महता वृतः I अभ्ययात्पांडवान राजन सः पुत्रैर्महारथैः II १ II
વૈશંપાયન બોલ્યા-હે રાજા,દૂતોનો સંદેશો સાંભળીને શલ્ય રાજા પોતાના મહારથી પુત્રોની સાથે મોટા સૈન્યથી વીંટળાઈને પાંડવોની પાસે આવવા નીકળ્યો.મહાપરાક્રમી અને અક્ષૌહિણી સેનાનો સ્વામી મદ્રરાજ શલ્ય રાજા એટલી મોટી સેના રાખતો હતો કે તેની સેનાનો પડાવ છ ગાઉ સુધી પડતો હતો.સેનાને વિશ્રાંતિ આપતો આપતો તે ધીરેધીરે યુધિષ્ઠિર રાજા હતા ત્યાં જવા લાગ્યો.(આ મદ્રરાજ શલ્યરાજા નકુલ-સહદેવનો મામો હતો)
Oct 12, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-644
અધ્યાય-૭-દુર્યોધન અને અર્જુન શ્રીકૃષ્ણ પાસે ગયા
II वैशंपायन उवाच II पुरोहितं ते प्रस्थाप्य नगरं नागसाहवयम् I दुतानप्र्स्थापयामासु: पार्थिवेभ्यस्ततस्तत II १ II
વૈશંપાયન બોલ્યા-એ પ્રમાણે દૂતને હસ્તિનાપુર મોકલ્યા પછી,પાંડવોએ ઠામઠામના રાજાઓની પાસે દૂતો મોકલ્યા.પછી,શ્રીકૃષ્ણને બોલાવવા અર્જુન પોતે જ દ્વારકા ગયો.તે જ દિવસે દુર્યોધન પણ દ્વારકા ગયો હતો.
બંનેએ એક જ વખતે દ્વારકામાં શ્રીકૃષ્ણના મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ સૂતા હતા.પ્રથમ દુર્યોધને પ્રવેશ કર્યો અને શ્રીકૃષ્ણના ઓસીકા તરફના મુખ્ય આસન પર બેઠો.અર્જુને પાછળથી પ્રવેશ કર્યો અને બે હાથ જોડીને નમ્ર બનીને શ્રીકૃષ્ણના પગ આગળ ઉભો રહ્યો.
Oct 11, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-643
અધ્યાય-૬-દ્રુપદે પુરોહિતને હસ્તિનાપુર મોકલ્યો
II द्रुपद उवाच II भूतानां प्राणिनः श्रेष्ठाः प्राणिनां बुद्धिजीवनः I बुद्धिमत्सु नराः श्रेष्ठा नरेश्वपि द्विजातयः II १ II
દ્રુપદે પુરોહિતને કહ્યું-ચરાચર ભૂતોમાં પ્રાણીઓ શ્રેષ્ઠ છે,પ્રાણીઓમાં બુદ્ધિવાળાં શ્રેષ્ઠ છે,બુદ્ધિમાનોમાં મનુષ્યો શ્રેષ્ઠ છે,મનુષ્યોમાં દ્વિજો શ્રેષ્ઠ છે,દ્વિજોમાં વિદ્વાનો શ્રેષ્ઠ છે,વિદ્વાનોમાં સિદ્ધાંતવેત્તાઓ શ્રેષ્ઠ છે,સિદ્ધાંતવેત્તાઓમાં તે પ્રમાણે આચરણ કરનારા શ્રેષ્ઠ છે અને આચરણ કરનારાઓમાં બ્રહ્મવાદીઓ શ્રેષ્ઠ છે.હું માનું છું કે તમે સિદ્ધાંતવેત્તાઓમાં મુખ્ય છો.કુળ,વય અને શાસ્ત્રથી યુક્ત છો,બુદ્ધિમાં શુક્રાચાર્ય અને બૃહસ્પતિના જેવા છો.
Oct 10, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-642
અધ્યાય-૫-શ્રીકૃષ્ણ સલાહ આપીને દ્વારકા ગયા
II वासुदेव उवाच II उपपन्नमिदं वाक्यं सोमकानां धुरन्धरे I अर्थसिध्धि करं राज्ञः पांडवस्यामितौजसः II १ II
શ્રીકૃષ્ણ બોલ્યા-સોમકવંશના ધુરંધર દ્રુપદરાજાએ જે ભાષણ કર્યું તે યોગ્ય છે એ ભાષણ અમાપ બળવાળા યુધિષ્ઠિર રાજાના અર્થને સિદ્ધ કરનારું છે ને આપણે પ્રથમ એ પ્રમાણે જ કરવું જોઈએ કારણકે એથી ઉલટી રીતે કાર્ય કરનારો પુરુષ મહામૂર્ખ જ ગણાય.વળી,આપણને કૌરવો અને પાંડવો સાથે સરખા સંબંધ છે,માટે કૌરવો અને પાંડવો પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે તે જ ઠીક છે અર્થાંત તેમાં આપણે વચ્ચે પડવાની જરૂર નથી.
Oct 9, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-641
અધ્યાય-૪-દ્રુપદનું ભાષણ
II द्रुपद उवाच II एवमेतन्महाबाहो भविष्यति न संशयः I न हि दुर्योधनो राज्यं मधुरेण प्रदास्यति II १ II
દ્રુપદ બોલ્યા-હે મહાબાહુ સાત્યકિ,તું કહે છે એ બાબત એમ જ થશે,એમાં સંશય નથી,કારણકે દુર્યોધન કંઈ મીઠાશથી રાજ્ય આપશે નહિ.ધૃતરાષ્ટ્ર પણ પુત્રપ્રીતિથી દુર્યોધનને જ અનુસરશે,ભીષ્મ અને દ્રોણ ઓશિયાળા હોવાથી તેને અનુસરશે અને કર્ણ તથા શકુનિ મૂર્ખતાથી તેને અનુસરશે.મને બળદેવનાં વાક્ય ડાહ્યા પુરુષના સમાજમાં યોગ્ય લાગતા નથી પરંતુ ન્યાય ઇચ્છનારે પ્રથમ તે પ્રમાણે કરવું જોઈએ.જો કે દુર્યોધનને કોઈ રીતે કોમળ વચનો કહેવાં યોગ્ય નથી કેમ કે તે કોમળતાથી વળે તેવો નથી,એવું મારુ માનવું છે.
Oct 8, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-640
અધ્યાય-૩-સાત્યકિનું ભાષણ
II सात्यकिरुवाच II यादशः पुरुस्यात्मा तादशं संप्रभाषते I यथारूपेन्ततात्मा ते तथारूपे प्रभाषसे II १ II
સાત્યકિ બોલ્યો-પુરુષનું જેવું અંતઃકરણ હોય છે તેવું જ તે બોલે છે,માટે હે બલરામ,તમારું પણ જેવું અંતઃકરણ છે તેવું જ તમે બોલો છો.પુરુષોમાં બે પક્ષ કાયમ જોવામાં આવે છે,કેટલાક શૂરા તો કેટલાક કાયર હોય છે,હું તમારા વચનને દોષ દેતો નથી પણ જેઓ તમારા વચનને સાંભળે છે તેઓને દોષ દઉં છું.કારણકે ધર્મરાજાના અલ્પદોષને પણ બોલનારો પુરુષ સભાની વચ્ચે બોલવા જ કેમ પામે? પાક્કા જુગારીઓએ દ્યુતની રમતમાં અજાણ એવા યુધિષ્ઠિરને પોતાને ત્યાં દ્યુત રમવા બોલાવીને કપટથી જીતી લીધા તેમાં તેઓનો ધર્મપૂર્વક જય કેમ કહેવાય?
Oct 7, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-639
અધ્યાય-૨-બળરામનું ભાષણ
II बलदेव उवाच II श्रुतं भवद्विर्गदपूर्वजस्य वाक्यं यथा धर्मवदर्थवश्व I
अजातशस्त्रोस्च हितं हितं च दुर्योधनस्यायि तथैव राज्ञः II १ II
બળદેવ બોલ્યા-તમે શ્રીકૃષ્ણનું ધર્મયુક્ત તથા અર્થયુક્ત ભાષણ સાંભળ્યું ને?એમાં યુધિષ્ઠિર અને દુર્યોધન એ બંનેનું હિત છે.વીર કુંતીપુત્રો અર્ધરાજ્ય દુર્યોધન માટે ત્યજી દઈને,પોતાના માટે અર્ધરાજ્ય મેળવવા જ યત્ન કરે છે,તેથી દુર્યોધન તે અર્ધરાજ્ય પાંડવોને આપીને સુખી થશે,જો કૌરવો સારી રીતે વર્તશે તો પાંડવો પણ જરૂર શાંત થઈને સુખ ભોગવશે.કે જેથી કૌરવોને પણ શાંતિ થશે ને પ્રજાનું પણ હિત થશે.આ માટે દુર્યોધનનો અભિપ્રાય જાણવા અને યુધિષ્ઠિરનો સંદેશો કહેવા જો કોઈ દૂત જાય તો જ પ્રિય થશે.જે દૂત ત્યાં જાય
Oct 6, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-638-Book-Part-3
મહાભારત-મૂળરૂપે-ભાગ-૩
(૫) ઉદ્યોગ પર્વ
સેનોદ્યોગ પર્વ
અધ્યાય-૧-વિરાટની સભામાં શ્રીકૃષ્ણનું ભાષણ
મંગલાચરણ
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને
'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.
વૈશંપાયન બોલ્યા-અભિમન્યુના પક્ષના પાંડવો તથા યાદવો વગેરે અભિમન્યુનો વિવાહ કરીને આનંદ પામ્યા અને રાત્રે વિસામો લઈને સવારે વિરાટરાજની સભામાં ગયા.વૃદ્ધોમાં માન્ય એવા વિરાટરાજા અને દ્રુપદ રાજા સભામાં આવીને બેઠા તે પછી પિતા વાસુદેવની સાથે શ્રીકૃષ્ણ અને બલરામ આવીને આસન પર બેઠા.પછી પાંડવો,દ્રુપદના પુત્રો,કૃષ્ણના પુત્રો ને અભિમન્યુ ઉત્તમ આસનો પર આવીને બેઠા.ત્યારે તે સભા ગ્રહોથી ભરેલા આકાશની જેમ શોભવા'લાગી.પછી સર્વેએ પરસ્પર અભિવાદન અને વાતો કરીને શ્રીકૃષ્ણ પર દ્રષ્ટિ રાખી વિચાર કરવા લાગ્યા.વાતોના અંતે શ્રીકૃષ્ણે પાંડવોના કાર્ય માટે સર્વને સાવધાન કર્યા એટલે સર્વે સાથે મળીને મહાન અર્થવાળા શ્રીકૃષ્ણના વચનને સાંભળવા લાગ્યા.(9)