અધ્યાય-૩૮-કૌરવોની સેનાએ જોઈને ઉત્તર ગભરાયો
II वैशंपायन उवाच II स राजधान्या निर्याय वैराटिरकुतोभय: I प्रयाहीत्यब्रवित्सुतं यत्र ते कुरवो गता II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે નિર્ભય વિરાટપુત્ર ઉત્તર,રાજધાનીમાંથી બહાર નીકળ્યો ને સારથિને કહેવા લાગ્યો કે-'પેલા કુરુઓ જ્યાં ગયા હોય ત્યાં તું રથને હાંકીને લઇ જા.તે સર્વને હું હરાવીને,ગાયો પાછી મેળવીને જલદીથી આ નગરમાં પાછો આવીશ' ત્યારે અર્જુને ઉત્તમ અશ્વોને હાંક્યા ને રથ વેગથી દોડવા લાગ્યો.