Aug 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-597

 

અધ્યાય-૨૪-દ્રૌપદી નગરમાં આવી 


II वैशंपायन उवाच II ते द्रष्ट्वा निहतान्सुतान राज्ञे गत्वा न्यवेदयन I गन्धर्वैर्निहता राजन सूतपुत्रा महाबलाः II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે સુતપુત્રોને માર્યા ગયેલા જોઈને,તે લોકોએ રાજાને ખબર આપી કે-હે રાજન ગાંધર્વોએ મહાબલાવન સૂતપુત્રોને મારી નાખ્યા છે,ને તે પૃથ્વી પર આડાઅવળા પડયા છે,સૈરંધ્રી તેમનાથી છૂટી થઈને રાજભવને પછી આવી રહી છે,તમારું સમસ્ત નગર ભયમાં આવી પડશે તેથી તમે તત્કાલ એવો ઉપાય કરો કે તે સૈરંધ્રીના રોષથી આ નગરનો વિનાશ થાય નહિ' તેમનાં વચન સાંભળી વિરાટરાજ બોલ્યો કે -'પહેલાં તો તે સૂતપુત્રોની અંત્યેષ્ટિક્રિયા કરો' પછી ભયભીત થયેલા તે રાજાએ સુદેષ્ણા પાસે જઈને કહ્યું કે-

'તે સૈરંધ્રી ઘેર આવે ત્યારે મારા કહેવાથી તેને કહેજે કે-તારું કલ્યાણ થાઓ.હવે તારી ઇચ્છામાં આવે 

ત્યાં તું ચાલી જા,કેમ કે ગંધર્વો તારી રક્ષા કરે છે ને રાજાને તેમનાથી પરાભવ થવાનો ડર છે' (10)

Aug 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-596

 

અધ્યાય-૨૩-કીચકના ભાઈઓનો વધ 


II वैशंपायन उवाच II तस्मिन्काले समागम्य सर्वे तव्रास्य बान्धवाः I रुरुदुः कीचकं द्रष्ट्वा परिवार्य समंततः II १ II

વૈશંપાયન બોલ્યા-તે સમયૅ કીચકના ભાઈઓ ત્યાં ભેગા થઇ ગયા,કીચકને મરેલો જોઈને તેની આસપાસ

વીંટળાઈને મોટેથી પોક મૂકીને રડવા લાગ્યા.ઓળખાઈ પણ ન શકે તેવી કીચકની હાલત જોઈને,તેના અગ્નિસંસ્કાર

કરવા લઇ જવાની તૈયારી કરવા લાગ્યા.તે જ સમયે તેઓએ દ્રૌપદીને ત્યાં નજીકમાં જોઈ એટલે તે સર્વે

એક સાથે બોલી ઉઠયા કે-આને.લીધે જ કીચકને મોત આવ્યું છે તેથી તેને પણ કીચક સાથે બાળી મુકો'

Aug 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-595

અધ્યાય-૨૨-કીચક વધ 


II भीमसेन उवाच II तथा भद्रे करिष्यामि यथा त्वं भीरु भाषसे I अद्य तं सुदयिष्यामि कीचकं सह बान्धवं II १ II

ભીમસેન બોલ્યો-હે ભદ્રા,તું કહે છે તેમ જ હું કરીશ.આજેજ હું તે કીચકને ને તેના ભાઈઓ સાથે પૂરો કરી દઈશ.

તું શોક અને દુઃખને ખંખેરી નાખી એ કીચકને મળીને એવી રીતે વાત કરજે કે તે કાલની રાતની સંઘ્યાવેળાએ

અવશ્ય આ નૃત્યશાળામાં આવે.બીજા કોઈ તને તેની સાથે વાત કરતી ન જુએ તેનો ખ્યાલ રાખજે'

આમ વાતચીત કરીને તે બંનેએ તે રાત્રિ  મહાભારની જેમ જેમતેમ વિતાવી (6)

Aug 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-594

 

અધ્યાય-૨૧-ભીમે દ્રૌપદીને સાંત્વન આપ્યું 


 II भीमसेन उवाच II धिगस्तु मे बाहुबलं गाण्डीव फ़ाल्गुनस्य च I यत्तैरक्तौ पुरा भूत्वा पाणीकृतकिणाविमौ II १ II

ભીમસેન બોલ્યો-એકવાર તારા હાથ રાતાં તળિયાવાળા હતા,તે આજે પારકાના કામ કરીને કણીઓવાળા થયા છે,

તેથી મારા બાહુબળને ધિક્કાર હોયને ધિક્કાર હો અર્જુનના તે ગાંડીવને ! હું તો વિરાટની સભામાં જ મહાસંહાર

માંડત,પણ યુધિષ્ઠિરે 'છતા ના થવું' એવી સૂચના કરતાં મારી સામે જોયું એટલે હું રોકાઈ ગયો હતો.બાકી ઐશ્વર્યના

મદમાં ગંદા થયેલા એ કીચકનું માથું હું રમત વાતમાં પગ તળે કચરી નાખત.હે કૃષ્ણા,એ કીચકે તને લાત મારી,તે જ

વખતે હું મત્સ્યદેશવાસીઓનો મહાસંહાર કરવા તલપી રહ્યો હતો,પણ ધર્મરાજે મને વાર્યો,ને હું બેસી રહ્યો હતો.

Aug 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-593

 

અધ્યાય-૨૦-દ્રૌપદીનો આત્મવિલાપ 


 II द्रौपदी उवाच II अहं सैरंध्रीवेषेण चरंति राजवेष्यनि I सौचदास्मि सुदेष्णाया अक्षधूर्तस्य कारणात् II १ II

દ્રૌપદી બોલી-હું એ અટ્ટલ જુગારી યુધિષ્ઠિરને લીધે જ આ રાજભવનમાં સૈરંધ્રી વેશે રહું છું ને મારે સુદેષ્ણાને હાથપગ

ધોવાનું પાણી આપવું પડે છે.જુઓ તો ખરા,હું એક રાજપુત્રી,આજે આવી અવદશામાં આવી પડી છું.

પણ,જેમ,મનુષ્યોની અર્થસિદ્ધિ,જય-પરાજય અનિત્ય છે એમ માનીને હું મારા સ્વામીઓના પુનઃ ઉદયની જ

પ્રતીક્ષા કરું છું.સુખ-દુઃખ એ પૈડાંની માફક ફર્યા કરે છે એમ માનીને હું પુનઃ ઉદયની જ વાટ જોઉં છું.

Aug 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-592

 

અધ્યાય-૧૯-દ્રૌપદીનો ભીમ સંબંધી વિલાપ 


II द्रौपदी उवाच II इदं तु ते महादुखं यत्प्रवक्ष्यामि भारत I न मेम्यसुया कर्तव्या दुःखादेतद् ब्रविम्यहम् II १ II

દ્રૌપદી બોલી-હે ભારત,આ હું તમને મારી મહાદુઃખકારી વાત કહું છું,તમે મારા પર રોષ કરશો નહિ કેમ કે હું દુઃખને

લીધે જ બોલી રહી છું.તમને ન શોભે તેવું રસોઈયાનું હીન કામ કરીને તમારી જાતને બલ્લવ કહેવડાવો છો,

આથી કોનો શોક ન વધે? તમે દાસપણામાં પડયા છો ને રસોઈયા તરીકે વિરાટની સેવામાં હાજર 

થાઓ છો ત્યારે મારુ કાળજું ભેદાઈ જાય છે.વિરાટરાજ તમને કુંજરો સાથે યુદ્ધ કરાવે છે 

ત્યારે રાણીવાસની રમણીઓ હર્ષમાં આવી જાય છે પણ મારુ કાળજું ફફડી ઉઠે છે.

Aug 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-591

 

અધ્યાય-૧૮-દ્રૌપદીનો યુધિષ્ઠિર સંબંધી વિલાપ 


II द्रौपदी उवाच II अशोच्यत्वं कुतस्तस्या यस्या भर्ता युधिष्ठिरः I जानन्सर्वाणि दुःखानि किं मां त्वं परिप्रुच्छसि II १ II

દ્રૌપદી બોલી-જેનો ભર્તા યુધિષ્ઠિર હોય તે સ્ત્રીને સુખ તે ક્યાંથી હોય? બધાં દુઃખ તમે જાણો છો,છતાં શા માટે મને

પૂછો છો? દુર્યોધનની સભામાં મને દાસી કહીને તાણી લાવવામાં આવી તે દુઃખ મારા કાળજાને બાળી રહ્યું છે.

આવાં દુઃખ અનુભવીને મારા સિવાય કઈ રાજાની છોકરી જીવતી રહે?

Aug 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-590

અધ્યાય-૧૭-દ્રૌપદી ભીમની પાકશાળામાં 


II वैशंपायन उवाच II सा हता सूतपुत्रेण राजपत्नी यशस्विनी I वधं कृष्णा परिप्संति सेनावाहस्य भामिनी II १ II

વૈશંપાયન બોલ્યા-સૂતપુત્ર કીચકે,યશસ્વિની રાજરાણી કૃષ્ણાને આમ લાત મારી,એટલે એ ભામિની,એ સેનાપતિનો

વધ કરવાની ઈચ્છાથી પોતાના મુકામે ગઈ.ને રડતાં રડતાં તે પોતાના દુઃખના નિકાલ વિશે વિચાર કરીને તેણે

મનમાં ભીમનું સ્મરણ કર્યું,ને મનમાં જ બોલી કે-'ભીમ વિના બીજું કોઈ મારા મનનું પ્રિય કરે એમ નથી'

એટલે તરત જ તે રાતમાં તે પથારી છોડીને ઉભી થઈને ભીમસેનના ભવન તરફ દોડી.

Aug 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-589

 

અધ્યાય-૧૬-દ્રૌપદીનો પરાભવ 


II कीचक उवाच II स्वागतं ते सुकेशांते सुख्युष्टा रजनी मम I स्वामिनी त्वमनुप्राप्ता प्रकुरुष्व मम प्रियम् II १ II

કીચક બોલ્યો-હે સુંદરકેશી,તું ભલે આવી,આજે મારી રાત સારી જશે,તું મારી સ્વામીની છે,મારુ પ્રિય કર.

તારે માટે આ સુંદર આભૂષણો ને વસ્ત્રો છે ને આ મારી આ શય્યા તારા માટે જ શણગારીને રાખી છે,

તો તું આવ અને મારી સાથે મધુપુષ્પની મદિરા પી.

Aug 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-588

 

અધ્યાય-૧૫-કીચક અને સુદેષ્ણાની યુક્તિ 


II वैशंपायन उवाच II प्रस्याख्यातो राजपुत्र्या सुदेष्णां कीचकोब्रवीत् I अमर्यादेन कामेन घोरेणामिपरिप्लुतः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ રાજપુત્રી દ્રૌપદીએ,કીચકને હડધૂતી કાઢ્યો ત્યારે ભયંકર અને અમર્યાદ કામથી ઘેરાયલો એ (બહેન)સુદેષ્ણા પાસે જઈ તેને કહેવા લાગ્યો કે-હે કૈકેયી,તું એવું ગોઠવ કે તે સૈરંધ્રી મારી પાસે આવી મારા પર પ્રેમ કરે,એની ઘેલછામાં હું જીવ ખોઈ ન બેસું એમ તું કર' કીચકનાં વિલાપવચનો સાંભળીને સુદેષ્ણાએ એના પર દયા કરીને કહ્યું કે-તું પર્વનો દિવસ જોઈને સૂરા ને ભોજનો તૈયાર કરાવજે એટલે હું તેને સૂરા લાવવા તારી પાસે મોકલીશ,

એટલે તું અડચણ વિનાના તારા સ્થાનમાં તેને સમજાવજે,તો કદાચ તે તારે વશ થાય'(6)