Aug 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-583

 

અધ્યાય-૧૦-સહદેવનો પ્રવેશ 


II वैशंपायन उवाच II सह्देवोपि गोपानां कृत्वा वेषमनुत्तमम् I भाषां चैपां समास्थाय विराटमुपयादथ II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સહદેવ પણ ગોવાળનો ઉત્તમ વેશ લઈને,ગોવાળિયાઓની બોલી બોલતો વિરાટરાજાની

પાસે જવા નીકળ્યો,ને રાજભવન પાસેની ગૌશાળા પાસે જઈને ઉભો રહ્યો.રાજાએ તેને જોયો,ત્યારે તેને પૂછ્યું કે-

'તું કોણ છે?ક્યાંથી આવ્યો છે?તું શું કરવા ઈચ્છે છે? મેં તને પૂર્વે જોયો નથી,તો તું સાચેસાચું કહે'

Aug 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-582

 

અધ્યાય-૯-દ્રૌપદીનો પ્રવેશ 


II वैशंपायन उवाच II ततःकेशान्समुत्क्षिप्य वेल्लिताग्राननिंदितान I 

कृष्णान सुक्ष्मान मृदून दीघान समुद्ग्रथ्य शुचिस्मिता II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નિર્મળ સ્મિતવાળી,શ્યામળ લોચનવાળી કૃષ્ણાએ પોતાના વાંકડિયા,સુંદર,કાળા,પાતળા,

કોમળ અને લાંબા કેશોને એકઠા કરીને ગૂંથી લીધા,ને તેને જમણા પડખામાં ઢાંકીને,અત્યંત મલિન એવું એક વસ્ત્ર પહેરીને,સૈરંધ્રીનો વેશ ધારણ કરીને દુ:ખીયારીની જેમ વિરાટનગરમાં ભટકવા લાગી.નગરવાસી સ્ત્રીઓએ

તેને પૂછ્યું કે-'તું કોણ છે? ને તું શું કરવા ઈચ્છે છે?'

Aug 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-581

અધ્યાય-૮-ભીમસેનનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरो भीमबलः श्रिया जवलन्नुपाययौसिंहविलासविक्रमः I 

खजां चदर्विच करेण धारयन्नसि च कालांगमकोशमव्रणम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભયંકર બળવાળો,કાંતિથી ઝગમગતો અને ગિરિરાજ મેરુના જેવા દ્રઢ શરીરવાળો ભીમસેન કાળાં વસ્ત્રો ધારણ કરીને તથા હાથમાં કડછી,તાવેથો,ને માંસ કાપવાનો છરો લઈને રસોઈયાના વેશે એ મત્સ્યરાજ પાસે આવીને ઉભો.તે વખતે સૂર્યનો જેમ તે પોતાના તેજથી,આ લોકને પ્રકાશિત કરી રહ્યો હોય તેવો લાગતો હતો.તેને આવેલો જોઈને વિરાટરાજે એકઠા મળેલા પ્રજાજનોને હર્ષ પમાડતાં કહ્યું કે-

Jul 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-580

 

અધ્યાય-૭-વિરાટરાજને ત્યાં યુધિષ્ઠિરનો પ્રવેશ 


II वैशंपायन उवाच II ततो विराटं प्रथमं युधिष्ठिरो राज सभायामुपविष्टमाव्रजत I 

वैदूर्यरुपान्प्रतिमुच्य कान्चनानक्षान्स कक्षे परिगृह्य वाससा II १ II

 વૈશંપાયન બોલ્યા-પછી,સૌ પ્રથમ,તે યુધિષ્ઠિર,વૈડૂર્ય જડેલા સોનાના પાસાઓને વસ્ત્રમાં લપેટીને,બગલમાં દબાવીને સભામાં બેઠેલા વિરાટરાજા પાસે ગયા,ત્યારે તે બળ અને અપૂર્વ તેજ વડે દેવ જેવા,સૂર્ય જેવા અને ભસ્મથી ઢંકાયેલા

અગ્નિ જેવા વીર્યવાન લાગતા હતા.તેમને આવતા જોઈને વિરાટરાજ વિચારવા લાગ્યો કે-

'પૂર્ણચંદ્રના જેવા તેજસ્વી મુખવાળા આ કોઈ મહાનુભાવ આવ્યા છે' તેણે પોતાની પાસે બેઠેલા મંત્રીઓને પૂછ્યું કે-રાજાના જેવા લક્ષણોવાળો આ કોણ પહેલી વાર જ મને મળવા આ સભામાં આવી રહ્યો છે? તે બ્રાહ્મણ હોય તેવું મને લાગતું નથી,તેના શરીરના ચિહ્નો પરથી લાગે છે કે તે કોઈ રાજવી છે.જેમ,કોઈ મદમસ્ત હાથી કમલસરોવર પાસે જાય તેમ,આ જરા પણ વ્યથા વિના મારી પાસે આવી રહ્યો છે'(7)

Jul 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-579

 

અધ્યાય-૬-દુર્ગા સ્તવન 


II वैशंपायन उवाच II विराटनगरं रम्यं गच्छमानो युधिष्ठिरः I अस्तुवन्मनसा देवीं दुर्गा त्रिभुवनेश्वरीं II १ II

વૈશંપાયન બોલ્યા-રમણીય વિરાટનગરીમાં પ્રવેશ કરતી વખતે,યુધિષ્ઠિરે યશોદાના ગર્ભમાં ઉત્પન્ન થયેલાં,નારાયણને અતિપ્રિય,નંદગોપના કુળમાં જન્મેલાં,મંગલ આપનારાં,કૂલનું વર્ધન કરનારાં,કંસને ભગાડનારાં,અસુરોનો ક્ષય લાવનારાં,શિલા પર પછાડતાં જ આકાશ તરફ ઉડી જનારાં,વાસુદેવનાં બહેન,દિવ્ય ફુલમાળાઓથી શોભિત,દિવ્ય અંબરને ધારણ કરનારાં અને ઢાલ-તલવારને ધારણ કરનારાં એ ત્રિભુવનેશ્વરી 

દેવી દુર્ગાનું મનથી સ્તવન કર્યું.જે મનુષ્યો,પૃથ્વીનો ભાર ઉતારનારાં,પુણ્યરૂપા,અને સદૈવ કલ્યાણકારી 

એ દેવીનું સ્મરણ કરે છે તેને તે,કાદવમાં ખૂંચેલી દુબળી ગાયની જેમ તે પાપમાંથી તારી લે છે (5)

Jul 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-578

 

અધ્યાય-૫-પાંડવોએ શમીવૃક્ષ પર શસ્ત્રો મૂક્યાં 


II वैशंपायन उवाच II ते वीरा बद्धनिस्त्रिंशास्त्थाबद्धकलापिनः I बद्धगोधांगुलित्राणाः कालिन्दीममितो ययुः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી વીર પાંડવોએ તલવારો સજી,બાણનાં ભાથાં બાંધ્યા,ઘોના ચામડાનાં મોજાં પહેર્યા અને યમુના નદી તરફ ચાલવા માંડ્યું.ત્યાં એ ધનુર્ધારીઓ પર્વતો ને વનના પ્રદેશોમાં મુકામ કરતા,વનને વીંધીને તેઓ છેવટે મત્સ્ય દેશમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાને પારધી તરીકે ઓળખાવતા હતા.તેમના દાઢી,મૂછ વધી ગયા હતા.

દ્રૌપદીને થાક લાગ્યો ત્યારે ધનંજયે તેને ઉપાડી લીધી ને જયારે નગર આવ્યું ત્યારે તેને નીચે ઉતારી.

Jul 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-577

 

અધ્યાય-૪-ધૌમ્ય મુનિનો ઉપદેશ 


II युधिष्ठिर उवाच II कर्मान्युक्तानि युष्माभिर्यानि यानि करिष्यथ I मम चापि यथा बुद्धिरचित विधिनिश्चयात II १ II

યુધિષ્ઠિર બોલ્યા-તમે જે જે કાર્યો ત્યાં કરશો તે તે તમે મને કહ્યાં,ને મેં પણ વિધિના નિશ્ચયથી મને બુદ્ધિથી જે ઉચિત લાગ્યું છે તે તમને કહ્યું છે.હવે આપણા ધૌમ્ય પુરોહિત,સર્વ બ્રાહ્મણો સહિત દ્રુપદરાજને ત્યાં જાય અને ત્યાં આપણા અગ્નિહોત્રો તથા તેના પાત્રોનું રક્ષણ કરે.આ ઇંદ્રસેન આદિ સારથિઓ ખાલી રથોને લઈને દ્વારકા જાય એવું મારુ માનવું છે.દ્રૌપદીની પરિચારિકાઓ,રસોઈયાઓ આદિ પાંચાલ દેશમાં જાઓ અને તે સૌએ એમ જ કહેવું કે-'પાંડવો વિશે અમને કંઈ જ ખબર નથી,તે સર્વે અમને દ્વૈતવનમાં છોડીને ચાલી ગયા છે'

Jul 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-576

 

અધ્યાય-૩-અજ્ઞાતવાસ સંબંધી વધુ મંત્રણા 


II वैशंपायन उवाच II 

इत्येवमुक्त्वा पुरुषप्रविरस्तथार्जुनो धर्मम्रुतां वरिष्ठः I वाक्यं तथासौ विरराम भूयो नृपोपरं भ्रातरभाव भापे II १ II

વૈશંપાયન બોલ્યા-ધર્મધારીઓમાં શ્રેષ્ઠ અને પુરુષોમાં પ્રવીર એવા અર્જુને આ પ્રમાણે કહીને વિરામ લીધો 

પછી યુધિષ્ઠિરે નકુલને પૂછવા માંડ્યું કે-'હે નકુલ,તું વિરાટરાજમાં શું કામ કરીશ તે મને કહે'

નકુલ બોલ્યો-'હું વિરાટરાજનો 'ગ્રંથિક' નામે અશ્વપાલ થઈશ,કેમ કે હું અશ્વવિદ્યાનું જ્ઞાન ધરાવું છું.ને મને 

એ કામ અત્યંત પ્રિય છે.વિરાટનગરમાં મને જો કોઈ પૂછશે તો હું કહીશ કે-પૂર્વે યુધિષ્ઠિરે મને હયશાળાનો 

અધ્યક્ષ કર્યો હતો.આ પ્રમાણે હું વિરાટનગરમાં ગુપ્ત રીતે વિચરીશ' (6)

Jul 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-575

 

અધ્યાય-૨-અજ્ઞાતવાસ વિશે વિચારણા (ચાલુ)


II भीमदेव उवाच II पौरोगवो ब्रुहाणोहं बल्लवो नाम भारत I उपस्थास्यामि राजानं विराटमिति मे मतिः  II १ II

ભીમસેન બોલ્યો-હે ભારત,હું મારી જાતને 'બલ્લવ' નામના પૌરોગવ (રસોડાનો ઉપરી) તરીકે ઓળખાવી

વિરાટરાજની સેવા કરીશ,એવો મારો વિચાર છે.હું રસોડાના કામમાં કુશળ છું એટલે રાજા માટે,પહેલાંના

રસોઇયાઓએ જે રસોઈ બનાવી હશે તેના કરતા પણ સરસ વાનગીઓ બનાવીને રાજાને પ્રસન્ન કરીશ.

વળી,હું લાકડાઓના મોટા ભારાઓ લઇ આવીશ,મારું આ કાર્ય જોઈને રાજા મને રસોઈ કામમાં મુકશે.

Jul 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-574

 

(૪) વિરાટ પર્વ

પાંડવ પ્રવેશ પર્વ 

અધ્યાય-૧-અજ્ઞાતવાસ માટે યુધિષ્ઠિરની મંત્રણા 

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.


II जनमेजय उवाच II कथं विराटनगरे मम पुर्वपितामहा: I अज्ञातवाससमुपिता दुर्योधनभयार्दिता : II १ II 

જનમેજય બોલ્યા-'દુર્યોધનના ભયથી પીડાયેલા એવા મારા પૂર્વપિતામહ પાંડવો કેવી રીતે વિરાટનગરમાં 

ગુપ્તવેશે રહ્યા? વળી,બ્રહ્મવાદિની,પતિવ્રતા ને મહાભાગ્યવતી દ્રૌપદી કેવી રીતે ગુપ્ત રહ્યાં?