અધ્યાય-૩-અજ્ઞાતવાસ સંબંધી વધુ મંત્રણા
II वैशंपायन उवाच II
इत्येवमुक्त्वा पुरुषप्रविरस्तथार्जुनो धर्मम्रुतां वरिष्ठः I वाक्यं तथासौ विरराम भूयो नृपोपरं भ्रातरभाव भापे II १ II
વૈશંપાયન બોલ્યા-ધર્મધારીઓમાં શ્રેષ્ઠ અને પુરુષોમાં પ્રવીર એવા અર્જુને આ પ્રમાણે કહીને વિરામ લીધો
પછી યુધિષ્ઠિરે નકુલને પૂછવા માંડ્યું કે-'હે નકુલ,તું વિરાટરાજમાં શું કામ કરીશ તે મને કહે'
નકુલ બોલ્યો-'હું વિરાટરાજનો 'ગ્રંથિક' નામે અશ્વપાલ થઈશ,કેમ કે હું અશ્વવિદ્યાનું જ્ઞાન ધરાવું છું.ને મને
એ કામ અત્યંત પ્રિય છે.વિરાટનગરમાં મને જો કોઈ પૂછશે તો હું કહીશ કે-પૂર્વે યુધિષ્ઠિરે મને હયશાળાનો
અધ્યક્ષ કર્યો હતો.આ પ્રમાણે હું વિરાટનગરમાં ગુપ્ત રીતે વિચરીશ' (6)