Jul 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-576

 

અધ્યાય-૩-અજ્ઞાતવાસ સંબંધી વધુ મંત્રણા 


II वैशंपायन उवाच II 

इत्येवमुक्त्वा पुरुषप्रविरस्तथार्जुनो धर्मम्रुतां वरिष्ठः I वाक्यं तथासौ विरराम भूयो नृपोपरं भ्रातरभाव भापे II १ II

વૈશંપાયન બોલ્યા-ધર્મધારીઓમાં શ્રેષ્ઠ અને પુરુષોમાં પ્રવીર એવા અર્જુને આ પ્રમાણે કહીને વિરામ લીધો 

પછી યુધિષ્ઠિરે નકુલને પૂછવા માંડ્યું કે-'હે નકુલ,તું વિરાટરાજમાં શું કામ કરીશ તે મને કહે'

નકુલ બોલ્યો-'હું વિરાટરાજનો 'ગ્રંથિક' નામે અશ્વપાલ થઈશ,કેમ કે હું અશ્વવિદ્યાનું જ્ઞાન ધરાવું છું.ને મને 

એ કામ અત્યંત પ્રિય છે.વિરાટનગરમાં મને જો કોઈ પૂછશે તો હું કહીશ કે-પૂર્વે યુધિષ્ઠિરે મને હયશાળાનો 

અધ્યક્ષ કર્યો હતો.આ પ્રમાણે હું વિરાટનગરમાં ગુપ્ત રીતે વિચરીશ' (6)

Jul 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-575

 

અધ્યાય-૨-અજ્ઞાતવાસ વિશે વિચારણા (ચાલુ)


II भीमदेव उवाच II पौरोगवो ब्रुहाणोहं बल्लवो नाम भारत I उपस्थास्यामि राजानं विराटमिति मे मतिः  II १ II

ભીમસેન બોલ્યો-હે ભારત,હું મારી જાતને 'બલ્લવ' નામના પૌરોગવ (રસોડાનો ઉપરી) તરીકે ઓળખાવી

વિરાટરાજની સેવા કરીશ,એવો મારો વિચાર છે.હું રસોડાના કામમાં કુશળ છું એટલે રાજા માટે,પહેલાંના

રસોઇયાઓએ જે રસોઈ બનાવી હશે તેના કરતા પણ સરસ વાનગીઓ બનાવીને રાજાને પ્રસન્ન કરીશ.

વળી,હું લાકડાઓના મોટા ભારાઓ લઇ આવીશ,મારું આ કાર્ય જોઈને રાજા મને રસોઈ કામમાં મુકશે.

Jul 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-574

 

(૪) વિરાટ પર્વ

પાંડવ પ્રવેશ પર્વ 

અધ્યાય-૧-અજ્ઞાતવાસ માટે યુધિષ્ઠિરની મંત્રણા 

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.


II जनमेजय उवाच II कथं विराटनगरे मम पुर्वपितामहा: I अज्ञातवाससमुपिता दुर्योधनभयार्दिता : II १ II 

જનમેજય બોલ્યા-'દુર્યોધનના ભયથી પીડાયેલા એવા મારા પૂર્વપિતામહ પાંડવો કેવી રીતે વિરાટનગરમાં 

ગુપ્તવેશે રહ્યા? વળી,બ્રહ્મવાદિની,પતિવ્રતા ને મહાભાગ્યવતી દ્રૌપદી કેવી રીતે ગુપ્ત રહ્યાં?

Jul 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-573

 

અધ્યાય-૩૧૪-ભાઈઓનું સજીવન થવું ને ધર્મના વરદાન 


II वैशंपायन उवाच II ततस्ते यक्षवचनादुद्तिष्ठंत पांडवा : I क्षुत्पिपासे च सर्वेषां क्षणेन व्यपगच्छताम् II १ II

વૈશંપાયન બોલ્યા-આમ યક્ષના વચનથી તે પાંડવો સજીવન થઈને બેઠા થયા 

અને તેમની ભૂખ તરસ તો એક ક્ષણમાં જ ચાલી ગઈ.

યુધિષ્ઠિર બોલ્યા-આ સરોવરમાં એક પગે ઉભેલા તમે કયા દેવ છો?મારા મતથી તો તમે યક્ષ નથી.

તમે શું ઇન્દ્ર છો?કેમ કે જેમને તમે ઢાળી દીધા,એ મારા આ ભાઈઓ લાખ લાખ યોદ્ધાઓ સાથે બાથ ભીડે 

તેવા છે,ને હવે તો આ ભાઈઓ તો જાણે સુખભરી નિંદ્રામાંથી જાગ્યા હોય તેવા તેમને હું સ્વસ્થ જોઉં છું,

તો તમે શું અમારા મિત્ર છો કે તમે અમારા પિતા છો? (5)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-572

 

અધ્યાય-૩૧૩-યક્ષના પ્રશ્નો અને યુધિષ્ઠિરના ઉત્તરો 


II वैशंपायन उवाच II स ददर्श हतान भ्रातृन लोकपालानिव च्युतान् I युगान्ते समनुप्राप्ते शक्रप्रतिमगौरवान II १ II

વૈશંપાયન બોલ્યા-જેમ,યુગનો અંતકાળ આવતાં લોકપાલો સ્વર્ગમાંથી નીચે પડે,તેમ,ઇન્દ્રના જેવા ગૌરવવાળા

પોતાના ભાઈઓને યુધિષ્ઠિરે ત્યાં મૃત્યુ પામીને પડેલા જોયા.શોકથી આંસુભર્યા થયેલા તે યુધિષ્ઠિર,ચિંતાથી ઘેરાઈને

વિલાપ કરવા લાગ્યા ને વિચારવા લાગ્યા કે-અપરાજિત એવા આ ભાઈઓને કોણે માર્યા હશે?

તેમના શરીર પર કોઈ અસ્ત્ર પ્રહારના ચિહ્નો ન જોઈને તેમણે વિચાર્યું કે-કદાચ દુર્યોધને જળને વિષમય કર્યું હોય

કે જે જળ પીવાથી જ આ ભાઈઓ મૃત્યુ પામ્યા હોય.

Jul 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-571

આરણેય પર્વ 

અધ્યાય-૩૧૧-મૃગની શોધ 


II जनमेजय उवाच II एवं हृतायां भार्यायां प्राप्य क्लेशमनुत्ततं I प्रतिपद्य ततः कृष्णां किमकुर्वत पांडवा :II १ II

જન્મેજય બોલ્યા-જયદ્રથે કૃષ્ણાનું હરણ કર્યું,ત્યારે પાંડવોને કષ્ટ પડ્યું હતું,

પોતાની પત્નીને પાછી લાવ્યા પછી તેમણે શું કર્યું? 

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવો કામ્યક વનનો ત્યાગ કરીને ફરી દ્વૈતવનમાં આવ્યા.એ વનમાં તેઓને પરિણામે સુખદાયી એવું એક કષ્ટ પડ્યું હતું તે વિશે તમે સાંભળો.તે વનમાં એક તપસ્વી બ્રાહ્મણે એક વૃક્ષ પર,અગ્નિ ઉત્પન્ન કરવાના અરણીપાત્ર અને મંથનદંડ ભરાવ્યાં હતા.એક વખત એક હરણ તે ઝાડની સાથે માથું ઘસતો હતો ત્યારે તે 

તેના શિંગડાંમાં ભરાઈ ગયાં.ને પછી તે મૃગ ત્યાંથી દોડતો ત્યાંથી દૂર નીકળી ગયો.મૃગને પોતાનાં પાત્ર હરી જતો જોઈને

તે વિપ્રે,યુધિષ્ઠિર પાસે આવી તે પાત્ર પાછું મેળવવા સહાય માગી,એટલે યુધિષ્ઠિર ભાઈઓ સાથે ધનુષ્ય લઈને તેની

પાછળ પડ્યા.પણ મૃગ અદ્રશ્ય થઇ ગયો.ઘણો સમય વીત્યો પણ તે મૃગ ન મળવાથી 

તે પાંડવો દુઃખી થયા,વળી થાક પણ લાગ્યો હતો ને તરસ લાગી હતી એટલે તેઓ એક ઝાડ નીચે બેઠા (19)

Jul 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-570

 

અધ્યાય-૩૧૦-કર્ણે ઇન્દ્રને કવચ-કુંડળ આપ્યાં 


II वैशंपायन उवाच II देवराजमनुप्राप्तं ब्राह्मणच्छद्मना वृतं I द्रष्ट्वा स्वागतमित्याह न वुवोधास्य मानसं II १ II

વૈશંપાયન બોલ્યા-બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવેલા દેવરાજ ઇન્દ્રને જોઈને કર્ણ બોલ્યો-ભલે પધાર્યા.બોલો 

હું તમને શું આપું?સોનાની કંઠીઓ વાળી પ્રમદાઓ,ગામો,અનેક ગોકુલો કે ગમે તે માગો તે હું આપીશ'

બ્રાહ્મણ (ઇન્દ્ર) બોલ્યો-'તમે જે કહો છો તેની હું ઈચ્છા કરતો નથી,તમે જો સત્યવ્રતી હો તો

આ જે તમારાં કવચ-કુંડળો છે તે મને આપો,મારે માત્ર આ જ દાન લેવાની ઈચ્છા છે'(5)

Jul 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-569

અધ્યાય-૩૦૯-રાધાએ કર્ણને અપનાવીને મોટો કર્યો 


II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले तु धृतराष्ट्रस्य वे सखा I सुतोधिरथ इत्येव सदारो जाह्नवीं ययौ II १ II

વૈશંપાયન બોલ્યા-એ જ સમયે ધૃતરાષ્ટ્રનો મિત્ર સારથી અધિરથ પોતાની પત્ની રાધા સાથે ગંગાજી પર ગયો હતો.

રાધાને કોઈ સંતાન નહોતું.તેણે ગંગાજીમાં તણાઈને આવતી પેટી જોઈ,દૈવેચ્છાએ તે મોજાંઓથી તણાતી કિનારા

તરફ આવવા લાગી,ત્યારે રાધાએ તેને પકડીને કિનારા પર લાવી,પતિ અધિરથને તે બતાવી.અધિરથે તે પેટી ઊંચકીને બહાર લાવી તેનું ઢાંકણું ખોલ્યું તો તેમણે કવચ-કુંડળથી સજ્જ બાળકને જોયો,ત્યારે બંનેનાં નયનો વિસ્મયથી ખીલી ઉઠ્યાં.અધિરથે તે બાળકને ખોળામાં લઈને પત્નીને કહ્યું કે-'મારી જિંદગીમાં આજે મેં આવું પ્રથમવાર જ આશ્ચર્ય જોયું છે,હું માનું છું કે આ કોઈ દેવબાળક જ આપણી પાસે આવ્યો છે.નક્કી,જ સંતાન વગરના એવા મને દેવોએ જ

આ દીકરો દીધો છે' આમ કહી તેણે એ પુત્ર રાધાને આપ્યો.(10)

Jul 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-568

અધ્યાય-૩૦૭-સૂર્ય અને કુંતીનો સમાગમ 

II वैशंपायन उवाच II सा तु कन्या बहुविधं ब्रुवंति मधुरं वचः I अनुनेतु सहस्त्रांशुं न शशाक मनस्विनी II १ II

વૈશંપાયન  બોલ્યા-તે મનસ્વિની કન્યા અનેક પ્રકારનાં મીઠાં મીઠાં વચનો કહેવા લાગી પણ તેમ કરીને પણ તે સૂર્યને સમજાવી શકી નહિ.સૂર્યના શાપના ભયથી તે પોતાનો,પિતાનો અને તે બ્રાહ્મણનો વિચાર કરવા લાગી.

બાળસ્વભાવથી પોતે કરેલી મૂર્ખાઈને લીધે તે ભયભીત થઇ વિચારતી હતી કે-'કેમ કરીને હું પોતે જ પોતાનું દાન કરવારૂપી અયોગ્ય કાર્ય કરું?' લજ્જાથી વ્યાકુળ થયેલી તેણે સૂર્યદેવને કહ્યું કે-