અધ્યાય-૩૦૬-કુંતીએ કરેલું સૂર્યનું આવાહન
II वैशंपायन उवाच II गते तस्मिन् द्विजश्रेष्ठे कस्मिश्चित्कारणांतरे I चिंतयामास सा कन्या मंत्रग्रामबलाबलम् II १ II
વૈશંપાયન બોલ્યા-આમ એ દ્વિજોત્તમ ગયા પછી,કોઈ કારણે તે કન્યા,મંત્રસમૂહના બલાબલ વિશે વિચારમાં પડી.
કુતુહલતાથી તે વિચારવા લાગી કે-'આ મંત્રસમૂહનું બળ કેવું હશે? મારે તે જાણવું જોઈએ?'
એ આમ વિચારી રહી હતી,તેવામાં તેણે એકાએક પોતાને ઋતુમાં આવેલી જોઈ.તે પૃથા જયારે મહેલની અગાસીએ
ઉભી હતી ત્યારે તેણે પૂર્વ દિશામાં સૂર્યને ઉગતો જોયો.ત્યારે તેની દ્રષ્ટિ દિવ્ય થઇ અને કુંડળથી વિભૂષિત થયેલા,
કવચને ધારણ કરનારા ને દિવ્ય દર્શનવાળા તે સૂર્યદેવને તેણે જોયા.