અધ્યાય-૨૮૫-રામ-રાવણ આદિનું યુદ્ધ
II मार्कण्डेय उवाच II ततो निविशमानांस्तान्सैनिकान रावणानुगाः I अभिजग्मुर्गणानेके पिशाचक्षुद्ररक्षसां II १ II
માર્કંડેય બોલ્યા-આ રીતે રામના સૈનિકો છાવણીમાં પાછા પ્રવેશતા હતા ત્યારે પર્વણ,પતન,જંભ-આદિ રાવણના અનુનાયીઓ,ક્ષુદ્ર પિશાચો અને રાક્ષસોના અનેક ગણો તેમના પર અદ્રશ્ય રીતે ધસી આવ્યા.પણ,અંતર્ધાન વિદ્યાને જાણનારા વિભીષણે તેમની અંતર્ધાન શક્તિને હરી લીધી,તેથી તેઓ પ્રત્યક્ષ દેખાવા લાગ્યા,એટલે
બળવાન વાનરોએ તેમનો ઘાણ કાઢી નાખ્યો,ને તેઓ નિષ્પ્રાણ થઈને જમીન પર પડ્યા.