Jun 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-538

 

અધ્યાય-૨૭૫-રાવણ-આદિની જન્મકથા ને રાવણને વરદાન 


II मार्कण्डेय उवाच II पुलस्तस्य तु यः क्रोधादर्धदेहोभवन्मुनिः I विश्रवा नाम सक्रोधः स वैश्रवणमैक्षत II १ II

માર્કંડેય બોલ્યા-પુલસ્ત્યના ક્રોધથી તેમના અર્ધદેહરૂપે વિશ્રવા નામના જે મુનિ ઉત્પન્ન થયા તે વૈશ્રવણની તરફ ક્રોધથી જોવા લાગ્યા.રાક્ષસેશ્વર વૈશ્રવણ (કુબેર),પિતાને ક્રોધયુક્ત થયેલા જાણીને તેમને પ્રસન્ન કરવા સદૈવ પ્રયત્ન  કરવા લાગ્યો.તે લંકામાં નિવાસ કરતો હતો.તેણે તે પિતા (વિશ્રવા)ને ત્રણ રાક્ષસીઓ (પુષ્પોત્કટા,રાકા,માલિની)

પરિચારિકા તરીકે આપી.કે જે પરિચારિકાઓ પરસ્પર સ્પર્ધા કરતી હતી ને પોતાના કલ્યાણની કામના રાખતી હતી.વિશ્ર્વા તેમનાથી સંતુષ્ટ થયા અને તેમને પ્રત્યેકને ઇચ્છામાં આવે તેવા પુત્રોનાં વરદાન આપ્યા.(6)

Jun 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-537

 

રામોપાખ્યાન પર્વ 

અધ્યાય-૨૭૩-યુધિષ્ઠિરનો માર્કંડેયને પ્રશ્ન 


II जनमेजय उवाच II एवं हृतायां कृष्णायां प्राप्य क्लेशमनुत्तमम् I अत ऊर्ध्व नरव्याघ्राः किमकुर्वत पम्दवाः II १ II

જન્મેજય બોલ્યા-આ રીતે દ્રૌપદીનું હરણ થયું ને તેને પાછી મેળવ્યા બાદ તે નરસિંહ પાંડવોએ શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-દ્રૌપદીને છોડાવીને ધર્મરાજ યુધિષ્ઠિર મુનિગણો સાથે બેઠા હતા ત્યારે તેમણે 

માર્કંડેયને કહ્યું-'હે ભગવન,દેવર્ષિઓમાં તમે ભૂત અને ભવિષ્યના વેત્તા તરીકે પ્રસિદ્ધ છો,

તેથી હું  તમને મારા હૃદયમાં રહેલા એક સંશય વિષે પૂછું છું તો તમે તેનું નિરાકરણ કરો.

Jun 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-536

 

જયદ્રથવિમોક્ષણ પર્વ 

અધ્યાય-૨૭૨-જયદ્રથનો છુટકારો અને તેનું તપ 


II वैशंपायन उवाच II जयद्रथस्तु संप्रेक्ष्यं भ्रातरावुद्यतावुमौ I प्राधावत्तुर्णमध्यग्रो जीवितेप्सु सुदुःखितः II १ II

વૈશંપાયન બોલ્યા-આયુધ ઉગામીને આવી રહેલા ભીમ ને અર્જુનને જોઈને જયદ્રથ અત્યંત દુઃખાતુર થઈને જીવ બચાવવાની ઇચ્છાએ,સાવધાન થઈને ઝડપથી દોડવા લાગ્યો.ત્યાં તો ભીમે તેની પાછળ દોટ મૂકી અને તેને વાળના

ગુચ્છા આગળથી પકડી લીધો ને ઊંચકીને જમીન પર પછાડીને પગથી મારવા લાગ્યો.અત્યંત પ્રહારથી પીડાઈને

જયદ્રથ મૂર્છાવશ થયો.ત્યારે અર્જુને ફરીથી તેને ધર્મરાજનું વચન યાદ કરાવ્યું.

Jun 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-535

અધ્યાય-૨૭૧-સેનાનો સંહાર ને જયદ્રથ પલાયન 


II वैशंपायन उवाच II संतिष्ठत प्रहरत तूर्ण विपरिधावत I इति स्म सैन्धवो राजा चोदयामास तान्न्रुपान् II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે સિંધુરાજ જયદ્રથે પોતાની સાથેના રાજાઓને સામે ધસવાની હાકલ કરી.

પણ,પાંડવોને જોઈને સૈન્યમાં ભયંકર શોર થવા લાગ્યો.ને શિબિ,સૌવીર ને સિંધુ દેશના યોદ્ધાઓ ખિન્ન થયા.

અતિ ભયંકર યુદ્ધ થયું કે જેમાં પાંડવોએ જયદ્રથના સૈન્યનો ઘાણ કાઢી નાખ્યો.સેનાના વીરપુરુષો માર્યા ગયા ત્યારે જયદ્રથ ગભરાઈ ગયો ને દ્રૌપદીને સૈન્યની ભીડમાં જ ઉતારીને,જીવ બચાવવાની ઇચ્છાએ ત્યાંથી ભાગ્યો.

Jun 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-534

 

અધ્યાય-૨૬૯-પાંડવોએ જયદ્રથનો પીછો પકડ્યો 


II वैशंपायन उवाच II ततो दिशः संप्रविहृत्य पार्थो मृगान्वराहान्महिपांश्व हत्वा I 

धनुर्धराः श्रेष्ठतमाः पृथिव्यां पृथक्चरंतः सहिता वभूवु II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,અલગ અલગ મૃગયા માટે નીકળેલા તે પૃથાપુત્રો,મૃગો,વરાહો ને પાડાઓને મારીને એકસ્થાને

ભેગા થયા,ત્યારે મૃગોની ચીસભરી અમંગળ વાણી સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું-'મને અમંગળનાં એંધાણ લાગે છે,મારુ મન

બળે છે આપણે જલ્દી પાછા ફરીએ' એમ કહી તેઓ રથમાં બેસી પાછા આવવા નીકળ્યા.

રસ્તામાં તેમણે દ્રૌપદીની બાળવયની દાસીને રડતી જોઈ તેમની પાસે ગયા ત્યારે તેણે કહ્યું કે-

'પાંડવોનો અનાદર કરીને જયદ્રથ,કૃષ્ણાને બલાત્કારે હરી ગયો છે,તેમના જવાથી પડેલા ચીલા હજુ તાજા જ છે,

તમે ઝટ રથ ફેરવો ને તેમની પાછળ જાઓ,કેમ કે તે હજુ દૂર પહોંચ્યા નહિ હોય'

Jun 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-533

 

અધ્યાય-૨૬૮-જયદ્રથે કરેલું દ્રૌપદીનું હરણ 


II वैशंपायन उवाच II सरोपरागोपहयेत वल्गुना सरागनेत्रेण नतोन्नतभ्रुवा I 

मुखेन विस्फ़ुर्य सुवीरराष्ट्रयं ततोब्रवितं द्रुपदात्मजा पुनः  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રોષથી લાલ થયેલી આંખોથી દ્રૌપદી ફૂંફાડો કરીને બોલી કે-'મહારથી પાંડુપુત્રો વિશે  આવા અપમાનજનક શબ્દો બોલતાં તને લાજ કેમ આવતી નથી? તું ધર્મરાજને જીતવાના કોડ રાખે છે,પણ એ તો હિમાલયની તળેટીમાં વિચરતા માતંગને હાથમાં લાઠી લઈને તેના ટોળામાંથી છૂટો પાડવા જેવું છે.તું ક્રોધમાં આવેલા ભીમને જોઇશ તો તું નાસવા માંડશે.અર્જુનને છંછેડવો તે સુતેલા સિંહને લાત મારવા સમાન છે.

પાંડવોથી સારી રીતે રક્ષાયેલી એવી મને તું તારા વિનાશ માટે જ પકડવાની ચેષ્ટા કરે છે'

May 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-532

 

અધ્યાય-૨૬૭-જયદ્રથ અને દ્રૌપદીનો સંવાદ 


II वैशंपायन उवाच II तधासिनेषु सर्वेषु तेषु राजसु भारत I यदुक्तं कृष्णया सार्धं तत्सर्व प्रत्यवेदयत् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,કોટિકાસ્યે,જયદ્રથ પાસે આવીને કૃષ્ણાએ જે કહ્યું હતું તે સર્વ કહી સંભળાવ્યું.

ત્યારે જયદ્રથ બોલ્યો-'હું પોતે જ એ દ્રૌપદીની પાસે જઈશ' એમ કહી તે તે બીજા છ જણને સાથે લઈને 

તે આશ્રમમાં જઈને કૃષ્ણાને કહેવા લાગ્યો કે-'હે સુંદરી તું કુશળ છે ને? તારા સ્વામીઓ સારા છેને?'

May 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-531

 

અધ્યાય-૨૬૫-કોટિકાસ્યના દ્રૌપદીને પ્રશ્નો 


II कोटिक उवाच II का त्वं कदम्बस्य विनाम्य शाखा मेकाश्रमे तिष्ठति शोभमाना I 

देदिप्य्मानाग्निशिखेव नक्तं व्याधुयमाना पवनेन सुभ्रूः II १ II

કોટિક બોલ્યો-હે સુંદર ભ્રકૃટીવાળી,કદંબની ડાળી નમાવીને,આશ્રમમાં એકલી ઉભેલી તું કોણ છે?

રાત્રે પવનથી ડોલી રહેલી ઝગઝગતી અગ્નિજ્વાળાની જેમ તું શોભી રહી છે,તું અત્યંત સ્વરૂપવાન છે છતાં શું આ અરણ્યમાં ભય નથી પામતી ? તું દેવી,યક્ષી,દાનવી,અપ્સરા છે? કે કોઈ દૈત્યરાજની પત્ની કે નાગરાજની કન્યા છે?

અથવા તું વરુણ,યમ,સોમ,ધાતા,વિધાતા,સવિતાદેવ કે ઇન્દ્રની પત્ની છે? હે ભદ્રા,અમે તારું માન વધારીને 

તારા કુળ,બંધુઓ ને પતિ વિશે પૂછીએ છીએ.ને અહીં તું શું કરે છે? તે વિષે સાચેસાચું કહે.

May 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-530

 

અધ્યાય-૨૬૪-દ્રૌપદી પર મોહિત થયેલો જયદ્રથ 


II वैशंपायन उवाच II तस्मिन्वहुमृगेरण्ये अटमाना महारथाः I काम्यके भरतश्रेष्ठ विजह्युस्ते यथामरा II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મહારથી પાંડવો,તે પુષ્કળ મૃગવાળા કામ્યક વનમાં ફરતા રહી,દેવોની જેમ વિહાર

કરતા હતા.એકવાર તે પાંડવો દ્રૌપદીને આશ્રમમાં મૂકી, એકી સાથે ચારે દિશામાં મૃગયા માટે ગયા હતા.

તે વખતે સિંધુદેશનો રાજા,વૃધક્ષત્રનો પુત્ર,જયદ્રથ કે જે વિવાહની ઇચ્છાએ શાલ્વદેશ તરફ જઈ રહ્યો હતો,તે 

મોટા રસાલા ને રાજાઓ સાથે કામ્યક વનમાં આવી પહોંચ્યો.ત્યાં તેણે દ્રૌપદીને તે વનના આશ્રમના આંગણામાં

ઉભેલી જોઈ.અનુપમ રૂપને ધારણ કરેલી ને દેહકાંતિથી ઝગમગતી દ્રૌપદીને જોઈને તે વિચારમાં ને

વિસ્મયમાં પડ્યો કે-'આ કોઈ અપ્સરા,દેવકન્યા કે દેવે નિર્મેલી માયા હશે?'

May 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-529

 

અધ્યાય-૨૬૩-દુર્વાસા પલાયન થઇ ગયા 


II वैशंपायन उवाच II 

ततः कदाचिद्दुर्वासाः सुखासीनांस्तु पांडवान् I भुत्तवा चावस्थितां कृष्णां ज्ञात्वा तस्मिन्वने मुनि II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,એકવાર,પાંડવો ને કૃષ્ણાને ભોજનથી પરવારીને સુખપૂર્વક બેઠેલા જાણીને દુર્વાસા મુનિ

પોતાના દશ હજાર શિષ્યો સાથે તેમની પાસે આવ્યા.યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું ને આસન પર બેસાડીને આતિથ્ય (ભોજન-આદિ) સ્વીકારવાનું નિમંત્રણ આપીને કહ્યું કે-આપ સ્નાન,નિત્યકર્મ પતાવીને પાછા પધારો'

એટલે દુર્વાસા પોતાના શિષ્યો સાથે સ્નાન કરવા નદીએ ચાલ્યા ગયા.