May 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-519

 

અધ્યાય-૨૫૦-કર્ણનો દુર્યોધનને ઉપદેશ 


II कर्ण उवाच II राजन्नाद्यावगच्छामि तवेह लघुमत्वनाम् I किमत्र चित्रं यद्वीर मोक्षितः पाण्डवैरसि II १ II

કર્ણ બોલ્યો-હે રાજન,આજે આ પ્રસંગે,મને તો તમારી કશી નિર્બળતા જણાતી નથી,તમે એકાએક શત્રુઓના હાથમાં જઈ પડ્યા ને પાંડવોએ તમને છોડાવ્યા,તેમાં શું આશ્ચર્ય છે? ઘણીવાર રાજા યુદ્ધમાં પકડાઈ જાય તો તેમના સૈનિકો એને છોડાવે છે,કેમ કે જે સૈનિકો છે તેમણે રાજાના માટે યોગ્ય પ્રયત્ન કરવો જ જોઈએ.

આમ તમારા રાજ્યમાં રહેલા પાંડવોએ તમને છોડાવ્યા છે તેમાં તમારે શોક શા માટે કરવો જોઈએ?

May 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-518

અધ્યાય-૨૪૯-દુર્યોધનનો મરણ માટે નિર્ણય 


II दुर्योधन उवाच II चित्रसेनं समागम्य प्रहसन्नर्जुनस्तदा I इदं वचनमकीवमन्ववित्परवीरहा II १ II

દુર્યોધન બોલ્યો-ચિત્રસેનને અર્જુન કહેવા લાગ્યો કે-'હે વીર,તારે મારા ભાઈઓને છોડી દેવા ઘટે છે કેમ કે જ્યાં સુધી પાંડુપુત્રો જીવતા હોય ત્યાં સુધી કોઈ એમની દુર્દશા કરે તે બની શકે નહિ' હે કર્ણ,આપણે જે વિચાર કરીને 

હસ્તિનાપુરથી નીકળ્યા હતા કે-'સુખથી રહિત થયેલા તે પાંડવોને આપણે તેમની પત્ની સાથે જોઈશું' 

તે વિચાર તે સમયે ચિત્રસેને અર્જુનને કહી દીધો.ત્યારે હું શરમાઈ ગયો ને મને થયું કે ભૂમિ માર્ગ આપે તો સમાઈ જાઉં

પછી યુધિષ્ઠિર પાસે જઈ,ત્યાં અમને બંદીવાન તરીકે રજુ કરવામાં આવ્યા ને આપણી દુષ્ટ વાત વિષે પણ તેમને જાણ કરવામાં આવી.તે સમયે હું બેડીમાં હતો ને એવી દશામાં સ્ત્રીઓની ને દ્રૌપદી સમક્ષ મને યુધિષ્ઠિર પાસે લઇ જવામાં આવ્યો-આથી વિશેષ બીજું દુઃખ કયું હોઈ શકે?

May 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-517

 

અધ્યાય-૨૪૭-દુર્યોધન અને કર્ણનો સંવાદ 


II जनमेजय उवाच II शत्रुभिर्जितवद्वस्य पन्द्वैश्च महात्मभिः I मोक्षितस्य युधा पश्चान्मानिन: सुदुरात्मनः II १ II

જન્મેજય બોલ્યા-તે દુરાત્મા દુર્યોધન,નિત્ય અભિમાની,બડાઈખોર,ઘમંડી અને ગર્વિષ્ટ હતો,ને પાંડવોને હંમેશાં

તુચ્છ ગણતો હતો,શત્રુઓએ તેને હરાવીને બાંધી દીધો હતો ને પાંડવોએ તેને છોડાવ્યો હતો,તો લજ્જાથી ઘેરાયેલા

ને શોકથી વ્યાકુળ થયેલા તેણે હસ્તિનાપુરમાં કેવી રીતે પ્રવેશ કર્યો? તે વિસ્તારથી તમે મને કહો 

May 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-516

 

અધ્યાય-૨૪૫-ગંધર્વોનો પરાજય 


II वैशंपायन उवाच II ततो दिव्यास्त्रसंपन्ना गन्धर्वा हेममालिनः I विसृजंतः शरान् दीप्तान्समंतात्पर्यवारयन् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દિવ્ય અસ્ત્રોવાળા અને સોનાની માળા ધારણ કરનારા ગંધર્વોએ પાંડવોને ચારે બાજુથી ઘેરી

લીધા ને તેમના પર દેદીપ્યમાન બાણો છોડવા લાગ્યા.હજારો ગંધર્વો સામે પાંડવો તો ચાર જ હતા,છતાં તેમણે રણમાં

આ યુદ્ધ માંડ્યું તે એક આશ્ચર્ય જેવું હતું.ગંધર્વોની સામે પાંડવોએ પણ અનેક બાણોની વૃષ્ટિ કરી.

ને તે આકાશચારીઓ ચારે બાજુથી શરવૃષ્ટિથી ઢંકાઈ ગયા અને પાંડુપુત્રોની નજીક પણ જઈ શક્યા નહિ.

May 13, 2024

ભૂલી ગયા ?-By અનિલ શુક્લ


હવા છું,સંગ છું,ભૂલી ગયા કે શું? સુગંધ હવાની ,ભૂલી ગયા કે શું?
ફોરમ ના મળે તો ભલે તેમ,પણ વાંસળી ની ફૂંક ને ભૂલી ગયા શું?

હરદમ સાથ છે-તે પવન ,ભલે સ્થિર બને કે વહી જાય એ પાસથી,
ક્યાંથી કે કોનાથી એ છુપાઈ શકે? છૂપાવ્યો તમે એને અપને આપથી.

અનિલ 
ફેબ્રુઆરી-2015

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-515

 

અધ્યાય-૨૪૩-યુધિષ્ઠિરનો પાંડવોને ઉપદેશ 


II युधिष्ठिर उवाच II अस्मानभिगता स्तात भयार्ताच्छरणैपिण : I कौरवान विपमप्राप्तान कथं ब्रूयास्त्वमिदशम् II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે ભીમ,કૌરવો સંકટમાં પડયા છે,ભયથી આપણું શરણ ઈચ્છે છે,તો તારાથી આવું કેમ બોલાય? જયારે બહારનો માણસ,કુળ પર હાથ નાખે ત્યારે તેનું અપમાન કેમ સહન કરાય?ગંધર્વો જાણે છે કે આપણે અહીં લાંબા વખતથી રહીએ છીએ,છતાં તેમણે આપણું આ અપ્રિય કાર્ય કર્યું છે.આપણા કુળનો ઘાત થયો છે ત્યારે કુળના ઉદ્ધાર માટે અને શરણાગતની રક્ષા માટે તમે સજ્જ થાઓ.વિલંબ કરો નહિ ને તે દુર્યોધનને છોડાવો.કોઈ પણ ક્ષત્રિય,શરણાર્થે આવેલાને પુરી શક્તિથી રક્ષે છે,હે ભીમ,તારે માટે તો કહેવું જ શું?

May 12, 2024

સંબંધો સ્વાર્થના-By અનિલ શુક્લ

 

મલાજો શબ નો રાખી,રડે છે રાગ તાણી ને,આ દુનિયા,
એકના છૂટી ગયા તો,ભર્યા છે શ્વાસ,રડવાને,એ દુનિયાએ.

હતો શ્વાસ નો જ એ સંબંધ,જો,પાછી વળી ગઈ છે -એ દુનિયા,
પરોવાઈ દુનિયાઈ વ્યવહારોમાં,ભૂલી ગઈ છે એ શ્વાસ પોતાના

સમજાઈ તો ત્યારેજ ગઈ હતી,દુનિયા,લથડતા હતા,જયારે શ્વાસો,
છોડી દીધા 'તા,સાથ,અને પાંગળા બની ગયા હતા જ્યાં પ્રવાસો

આરામ છે,આનંદ છે,હવે,જ્યાં,રહ્યો નથી "હું" જ અહી દુનિયામાં,
મટકું જ હતું માર્યું,તો સમજાઈ ગયા,સંબંધો સ્વાર્થના દુનિયાના

અનિલ
માર્ચ-3-2015

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-514

 

અધ્યાય-૨૪૧-ગંધર્વોએ યુદ્ધમાંથી કર્ણને ભગાડ્યો 


II वैशंपायन उवाच II ततस्ते सहिताः सर्वे दुर्योधनमुपागमन I अत्रुवन्श्च महाराज यद्चुः कौरव प्रति II १ II

વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,અગ્રણીઓએ પાછા આવી દુર્યોધનને,ગંધર્વોએ કહેલ વચનો કહ્યાં,ત્યારે દુર્યોધન

ક્રોધથી ભરાઈને બોલ્યો-'મારુ અપ્રિય કરનાર તે ગંધર્વોને તમે શિક્ષા કરો.ઇન્દ્ર પણ ક્રીડા કરતા હોય તો પણ શું?'

દુર્યોધનનાં વચનોથી કર્ણ,કૌરવો ને હજારો યોદ્ધાઓ યુદ્ધ માટે સજ્જ થઈને,બળપૂર્વક વનમાં પ્રવેશ્યા.

એટલે ગંધર્વોએ ચિત્રસેનને,આ વિશે નિવેદન કર્યું એટલે તેણે કહ્યું કે-'તે અનાર્યોને શિક્ષા કરો'

May 11, 2024

નાદ અલખનો-By અનિલ શુક્લ

 
ઝુલાવે ડાળ પવન ને ?કે પવન ઝુલાવે ડાળ ને?
થયી ઘડીક સ્થિરતા,તો નાદ અલખનો લાગી ગયો.

છોડી તો દીધા હતા -વાદ.વિવાદ ને વિખવાદ ને ,
લઇ સુગંધ ચમનની પવને,ને સુગંધમય બની ગયો.

સફર તો લાંબી ક્યાં હતી? શરુ શૂન્યથી જવું શૂન્યમાં,
ઘડીક તો લાગે છે એમ કે તે પવન શૂન્ય બની ગયો !!

પણ,ના નથી એવું,નાદ તો ઉદ્ભવે પવનના ઘસાવાથી,
સ્થિર,શૂન્ય કે ભલે વહે,અનુભવ અલખનો કરાવી ગયો

અનિલ
માર્ચ-12-2015

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-513

 

અધ્યાય-૨૩૯-દુર્યોધનનું દ્વૈતવન તરફ પ્રયાણ 


II वैशंपायन उवाच II धृतराष्ट्र ततः सर्वे दद्शुर्जनमेजय I पुष्ट्वा सुखमथो राज्ञः पृष्टा राज्ञा च भारतः II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી,તે સર્વે ધૃતરાષ્ટ્રને મળ્યા,ને આગળથી ગોઠવી રાખેલા સમંગ નામના ગોવાળે

ધૃતરાષ્ટ્રને નિવેદન કર્યું કે-'અત્યારે ગાયો નજીકમાં જ છે' એટલે શકુનિ ને કર્ણ,ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે-

હે રાજન,હાલમાં ગાયોનાં ધણ,રમણીય ભાગોમાં આવ્યાં છે,તો તેમની નોંધ કરવાનો તથા વાછરડાંને છાપ મારવાનો

આ સમય છે,વળી આ સમયે મૃગયા પણ ઉચિત છે તો દુર્યોધનને વનમાં જવાની રજા આપો'(5)