May 5, 2024

Gita-2-11-Image

www.sivohm.com

ફુરસદ નથી-By અનિલ શુક્લ

 

અંગે લગાવી થરો ભભૂતના જુઓને દેખાવ કર્યા  છે કેવા?
અંતરમાં થોડીક પણ ભભૂત લગાવવાની હિંમત કરે છે કોણ?

અવળી અવળી જ વાતો છે,ને એ જ સાચી છે એવી કરે ઠાવકાઈ,
સત્ય ખુલ્લું જ  છે,પણ તે સત્યને ખોળવાની  દરકાર કરે છે કોણ?

ફુરસદ નથી પવન થી બનેલા એ સંગીત ને સાંભળવાની કોઈને,
તો નાદ અનહત નો તો ક્યાંથી સંભળાય,દરકાર તેની કરે છે કોણ?

જરૂર છે શું કહેવાની કે? છેડાં ના કરે એ પવન સાથે,નહિતર ચેતજો,
ખોટી ભભૂતિ એ તન પરની ઉડાવી,ખુલ્લા કરી દેશે,તમને ઓ,લોકો

અનિલ
30 એપ્રિલ,2015

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-507

 

અધ્યાય-૨૩૧-સ્કંદે મહિષાસુરને માર્યો 


II मार्कण्डेय उवाच II यदा स्कंदेन मातृणामेवमेतत्प्रियं कृतं I अथैवमव्र्वीत्स्वाहा मम पुत्रस्तवमौरस II १ II

માર્કંડેય બોલ્યા-સ્કંદે,માતૃકાઓનું પ્રિય કર્યું ત્યારે,સ્વાહાએ તેને કહ્યું કે-'તું મારો ઔરસ પુત્ર છે,તું મને પરમ દુર્લભ પ્રીતિ આપે એમ હું ઈચ્છું છું.હું દક્ષ પ્રજાપતિની સ્વાહા નામની કન્યા છું,બાળપણથી મને અગ્નિ વિષે કામના જાગી છે પણ તે અગ્નિ આ વાત જાણતા નથી,હું નિત્ય તે અગ્નિ સાથે વસવા ઈચ્છું છું'

May 4, 2024

કલમથી-By અનિલ શુક્લ

 

નથી ચંચળતા કે નથી અસ્થિરતા,તો પછી આ સ્તબ્ધતા કેવી?
નથી શક્ય કોઈ હલન-ચલન,સમય પણ જાણે થંભી ગયો લાગે.

રંગો, રંગબેરંગી ફૂલોના થયા અદૃશ્ય,ને એક-રંગી ફૂલો લાગે,
લાલમ-લાલ થઈ ગયું,બધું,લાલો ને લાલ પણ લાલ જ લાગે.

વહી જ્યાં સૂરાવલી બંસરીની,કાન્હા ની નાની સુગંધી ફૂંક થી,
થઈ ગયો ન્યાલ,એ અનિલ,બની સુગંધી,સ્થિરત્વને પામ્યો લાગે.

દિવાલોની અંદર બેસીને પવન ખોળે દુનિયા ના સુખિયાઓને,
ના મળ્યું કોઈ તો, પરમાનંદી અનિલ,કલમથી કંઈ કહેતો લાગે.

અનિલ
જુલાઈ,૧૭,૨૦૧૫

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-506

 

અધ્યાય-૨૨૯-સ્કંદ દેવસેનાના પતિ થયા 


II मार्कण्डेय उवाच II उपविष्टं तु तं स्कन्दं हिरण्यकवचस्त्रजं I हिरण्यचूडमुकुटं हिरण्याक्षं महाप्रभं II १ II

માર્કંડેય બોલ્યા-પછી,સોના જેવા નેત્રવાળા,મહા કાંતિવાળા અને તીક્ષ્ણ દાઢવાળા તે કાર્તિકેય (સ્કન્દ)એક સ્થાન પર બેઠા.ત્યારે ઇન્દ્રે તેમને ઇન્દ્રપદ સ્વીકારવાનું કહ્યું,પણ તે પદનો તેણે અસ્વીકાર કર્યો,અને છેવટે,દેવોના સેનાપતિ પદે તેમનો અભિષેક થયો.શિવજી,ઉમાદેવી સાથે ત્યાં આવ્યા ને અતિ પ્રસન્ન થઇ તેનું સન્માન કર્યું.

May 3, 2024

અનકહી-By અનિલ શુક્લ

 

કહેલી વાત તો અનકહી થઇ ગઈ કે શું?
નહિ કહેલી,વાત આજ થઇ ગઈ લાગે.

લખાઈ શું ગયું? તેની ખબર રહી નહિ,
પડેલા શબ્દો જમીનમાંથી ઉગતા લાગે.

પ્રવાસ તો હતો નહિ બહુ  લાંબો -પણ,
અધ-વચ્ચે જ મંઝિલ મળી ગઈ લાગે.

છૂટા-છવાયા વાદળો ને ભેગા કર્યા અનિલે,
તે જ આજ ઝરમર ઝરમર વરસતાં લાગે.

અનિલ શુક્લ 
જુલાઈ-૨૦૧૫

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-505

 

અધ્યાય-૨૨૭-સ્કંદનું ઇન્દ્ર સાથે યુદ્ધ 


II मार्कण्डेय उवाच II ग्रहाः सोपग्र्हाश्चैव ऋषयो मातरस्तथा I हुताशन मुखाश्चैव दप्ताः पारिपदां गणाः II १ II

માર્કંડેય બોલ્યા-હવે,ગ્રહો,ઉપગ્રહો,ઋષિઓ,માતૃકાઓ,હુતાશન આદિ દેવો,પાર્ષદો ને અનેક સ્વર્ગનિવાસીઓ માતૃગણોની સાથે તે મહાસેન (સ્કંદ)ને વીંટળાઈને રહ્યાં.વિજયનો સંદેહ હોવા છતાં,ઇન્દ્ર,ઐરાવતની પર બેસીને,

ને વજ્ર ધારણ કરીને,તે સ્કંદનો વધ કરવાની ઇચ્છાએ નીકળ્યો.તેની સાથે 'દેવસેના' ચાલી રહી હતી.તે ઉગ્ર હતી ને મહાગર્જના કરતી હતી.ઇન્દ્ર વેગથી તે સ્કંદ (કાર્તિકેય) તરફ ચાલી રહ્યો.

May 2, 2024

Bhagvan Parshuram-Gujarati Novel PDF-By K M Munshi-ભગવાન પરશુરામ-ક.મા.મુનશી

This Book is For "Read on line free"-and-can not be downloaded 
Want to read more books on line for free? ગુજરાતી-બુક-લાયબ્રેરીમાં જવા અહી ક્લિક કરો


મહેંક-By અનિલ શુક્લ

 

ખોળ્યો હતો તને,કદીક આયનામાં  કે કદીક પડછાયામાં,
સમીપમાં જ તું હતો,પણ શાને બનાવ્યું હતું જીવન ખારું ?

બની ગયો જ્યાં હું ખુદ જ આયનો,કરી નજર જ્યાં "હું" મહી,
સોહે છે,દીપે છે,ઝગઝગાટ પ્રતિબિંબ તારું,નથી શું તે ન્યારું?

વચ્ચે  ઉભો રહી પ્રકાશની,હું જ બનાવતો,મારો જ પડછાયો,
મીટી ગયો "હું" તો પડછાયો હવે ક્યાંથી? સર્વ-રૂપ છે તારું

ખીલે છે નિત્ય એક ફૂલ નવું,ને મહેંક ની તેની તો શું કહેવું?
મહેંક્યો છે અનિલ,સંગ થી તારા,તો સર્વ જગ થઇ ગયું ખારું !

અનિલ શુક્લ
6,જાન્યુઆરી-2016

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-504

 

અધ્યાય-૨૨૫-સ્વાહાથી કાર્તિકેય (સ્કંદ)ની ઉત્પત્તિ 


II मार्कण्डेय उवाच II शिवा भार्या त्वंगीरस: शीलरूपगुणान्विता I तस्याः सा प्रथमं रूपं कृत्वा देवी जनाधिप II १ II

માર્કંડેય બોલ્યા-હે જનનાથ,તે સ્વાહાએ પ્રથમ અંગિરાની પત્ની 'શિવા'નું રૂપ લીધું ને અગ્નિ પાસે જઈને કહેવા લાગી કે-'હે અગ્નિ,હું અંગિરાની શિવા નામની પત્ની છું તમે મારો સ્વીકાર કરો.બીજી ઋષિપત્નીઓએ મંત્રણા  કરીને મને મોકલી છે.તમારા હાવભાવ પરથી તમારું મન જાણી લઈને તેઓએ મને અહીં મોકલી છે,તમે મારી કામવાસનાને ઝટ સંતોષો,તેઓ મારી વાટ જુએ છે,મારે ત્યાં જલ્દી પહોંચી જવું પડશે'