Apr 16, 2024

સુગંધી પવન-By અનિલ શુક્લ

  

છે પવન તો સુગંધ છે,ને પવન આકાશ મહીં સમાણો,
લથડ્યો પવન જો શ્વાસનો,પૂછશે નહિ કેટલું કમાણો?

પાંગળો પ્રવાસ છે,જીવન-જીવને સમજાતું નથી કેમ?
સરહદ છે મૌનની,પણ કરી વ્યાપાર વાણીનો,ફસાણો.

કહો ભલે,કે ફૂલ છે તો સુગંધ છે,કાં કરો વાત પવનની?
ડૂબ્યાં ફૂલ જો,ભળી સુગંધ પવનમાં,પવન સુગંધ કમાણો.

અનિલ શુક્લ,
જાન્યુઆરી,૨૮,૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-488

 

અધ્યાય-૨૦૪-ધુંધુ દૈત્યનો વધ 


II मार्कण्डेय उवाच II धुंधुर्नाम महाराज तयोः पुत्रो महाध्युति: I स तपोतप्यत महन्महावीर्यपराक्रमः II १ II

માર્કંડેય બોલ્યા-હે મહારાજ,એ મધુકૈટભને ધુંધુ નામનો એક મહાકાંતિમાન પુત્ર હતો.તેણે એકપગે ઉભા રહીને મહાન તપ આદર્યું હતું.તપમાં એનું શરીર સુકાઈ ગયું ત્યારે બ્રહ્મા તેની પર પ્રસન્ન થઇ વરદાન માંગવા કહ્યું.

ત્યારે તે બોલ્યો કે-'દેવો,દાનવો,યક્ષો,સર્પો,ગંધર્વો અને રાક્ષસો એ સૌથી હું અવધ્ય થાઉં'

ત્યારે પિતામહ બ્રહ્માએ કહ્યું-ભલે તેમ જ થશે હવે તું જા' આ પ્રમાણે વરદાન પામીને તે પોતાના પિતાના વધનું સ્મરણ કરતો તરત જ વિષ્ણુ પાસે પહોંચ્યો.ને તેમને અને સર્વ દેવોને તે પીડવા લાગ્યો.આ જ ધુંધુ,ઉત્તંક ઋષિના આશ્રમ પાસે શ્વાસ છોડીને અગ્નિની  જવાળાઓ કાઢતો હતો,ને તેમને પણ પીડતો હતો.

Apr 15, 2024

ધ્યાન-By અનિલ શુક્લ


વ્યાપી રહ્યો સર્વ સ્થાને,તો એ પવનને કરવો પ્રવાસ શું?
ક્યાં પહોંચવું રહ્યું તેને? કે કરવો રહ્યો પાંગળો પ્રયાસ શું?

ક્યાંથી આવે ને ક્યાં જાય છે,તેનો વિચાર માત્ર  શું કરવો?
છોડાવી સ્થિરતા,કદી,આંખનો પલકારો કરી જાતો એ શું?

ઘડી અંદર તો ઘડી બહાર,આવ જ કરે છે,એ શ્વાસ બની,
તો ઘડી નાદ અનહતનો બની,રાસ-રચૈયો તો નથી એ શું?

અટકી ગયો જો પૂર્ણતાથી,તો મરણ કહેશે એને જગત,
થનગનાટ કે નાદને છોડી,બને સ્થિર તો ધ્યાન નથી શું?

અનિલ શુક્લ 
માર્ચ-૧૯-૨૦૧૭ 

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-487

 

અધ્યાય-૨૦૩-મધુકૈટભનું વૃતાંત 


II मार्कण्डेय उवाच II स एवमुक्तो राजर्षिरुतंकेनापराजित I उत्तकं कौरवश्रेष्ठ कृतांजलिरथाब्रवीत II १ II

માર્કંડેય બોલ્યા-તે પરાજિત રાજર્ષિને ઉત્તંકે આમ કહ્યું ત્યારે તેણે હાથ જોડીને જવાબ આપ્યો કે-

'હે બ્રહ્મન,તમારું મારી પાસે આવવું વ્યર્થ નહિ જ જાય,આ મારો પુત્ર કુવલાશ્વ તમારું પ્રિય અવશ્ય કરશે.એમાં મને

શંકા નથી,મને તમે રજા આપો કેમ કે મેં શસ્ત્રો ત્યજી દીધાં છે' આમ કહી પુત્રને આજ્ઞા આપી તે વનમાં ગયો.

Apr 14, 2024

મસ્ત પવન-By અનિલ શુક્લ


માઈ માઈ,કર્યા કર્યું,ને મીંચી આંખ,અહીં તહીં ઘૂમ્યા કર્યું,
ખબરે ય રહી નહિ,માઇનું નામ ક્યારે રાધા-માઈ થઇ ગયું.

નાદ રાધાનો,ને રાસ પણ રાધાનો,બંધ આંખે જોયા કર્યો,
ત્યારે આવી ગયો પવન તાલમાં,નાદ અનહત થઇ ગયો.

અમી દૃષ્ટિ,રાધા માઈની,કે કાન્હા સંગ રાસ રચાઈ ગયો,
મસ્તી આવી,આવી ક્યાંથી? મસ્ત પવન,મસ્ત થઇ ગયો.

અનિલ શુક્લ 
માર્ચ-20-2017 

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-486

 

અધ્યાય-૨૦૨-ઉત્તંકનો બૃહદશ્વને ઉપદેશ 


II मार्कण्डेय उवाच II इक्ष्वाकौ संस्थिते राजन शशादः पृथिवीमिमाम् I प्राप्तः परमधर्मात्मा सोयोध्यायां नृपोभवत II १ II

માર્કંડેય બોલ્યા-હે રાજન,ઇક્ષ્વાકુ રાજા અવસાન પામ્યો ત્યારે અયોધ્યામાં પરમ ધર્માત્મા શશાદ રાજા થયો.

તેને કકુસ્થ નામે પુત્ર થયો,જેને અનેના,અનેનાને પૃથુ,પૃથુને વિશ્વગશ્વ,વિશ્વગશ્વને અદ્રિ.અદ્રિને યુવનાશ્વ.

યુવનાશ્વને શ્રાવ.શ્રાવને શ્રાવસ્તક,શ્રાવસ્તકને બૃહદશ્વ ને એ બૃહદશ્વને કુવલાશ્વ નામે પુત્ર થયો હતો.

યોગ્ય સમયે,બૃહદશ્વ,પુત્ર કુવલાશ્વને રાજ્યગાદી સોંપી વનમાં જવા નીકળવા તૈયાર થયા હતા તે વખતે,

મહાતેજસ્વી ઉત્તંક તેમની પાસે ગયા ને તેમને રોકીને કહેવા લાગ્યા કે-(10)

Apr 13, 2024

વાંક કોનો-By અનિલ શુક્લ

 

મોંઘી પડી ગઈ,ચાલી ગયેલી એ તક,જે વિના-મુલ્યે મળી હતી,
ના દેખી કે વિચારી,મળેલી,અમુલ્ય એ તક ને,તો વાંક કોનો છે?

સામે ચાલી  આંગણે આવી,બારણે પગલાં દઈ જતો રહ્યો છે "એ",
ના રાખી દરકાર,આરામથી સૂતા રહ્યા,તો એમાં વાંક કોનો છે?

નો'તી કરી તૈયાર ધરતીને,કે નહોતા તૈયાર કર્યા હતા બીજોને,
મૂશળધાર વરસી :એ" ચાલ્યો ગયો,તો એમાં વાંક કોનો છે?

ગંદકી જગતની,ના લાગે ગંદી,ને મોહથી મજા માણી રહ્યા,
સુંગધી હવા,આવીને ચાલી ગઈ,તો એમાં વાંક કોનો છે?

અનિલ શુક્લ
માર્ચ-૨૧-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-485

 

અધ્યાય-૨૦૧-ધુંધુમારનું આખ્યાન-ઉત્તંકને વરપ્રાપ્તિ 


II वैशंपायन उवाच II श्रुत्वा तु राजा राजर्षेरिंद्रध्युम्नस्य तत्तया I मार्कण्डेयान्महाभागत् स्वर्गस्य प्रतिपादनम् II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે,યુધિષ્ઠિરરાજે,માર્કંડેય પાસેથી રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને ફરીથી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશે

સાંભળ્યું.પછી તેમણે માર્કંડેયને પૂછ્યું કે-હે ધર્મજ્ઞ,દેવો,દાનવો,રાક્ષસો,વિવિધ રાજવંશો,ઋષિવંશો એ બધા તમારી જાણમાં છે.આ લોકમાં તમને કશું અજાણ્યું નથી.તમે તેમની સર્વ કથાઓ જાણો છો,તે હું તત્ત્વપૂર્વક સાંભળવા ઈચ્છું છું.ઇક્ષ્વાકુ વંશમાં કુવલાક્ષ નામે જે પ્રસિદ્ધ રાજા થયો હતો તેનું નામ ફેરવાઈને શા માટે ધુંધુમાર પડ્યું હતું?

Apr 12, 2024

ક્ષણોને-By અનિલ શુક્લ

 

ભીની મોસમ છે,વરસું વરસું,કરતો,તે વરસતો નથી,
મન મૂકી વરસી જા,ઓ,મેઘ,પછી હેતનું હાલરડું ગાઉં.

ચડવું છે ભીંતની ટોચ પર તો અટકી જવું કેમ પાલવે?
ભલે પડે,ફરી ચડ,ઓ કીડી,પછી તારા ફતેહના ગુણ ગાઉં.

આમ કરીશ,તેમ કરીશ,કે પછી સમય આવ્યે કરીશ,કહી એમ,
છટકી જાતો માનવ,તો ચાલી ગયેલ ક્ષણોને ક્યાંથી પાછી લાઉં?

અનિલ શુક્લ
માર્ચ-૨૬-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-484

 

અધ્યાય-૨૦૦-દાનનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II श्रुत्वा स राजा राजपिंरिंद्रध्युम्न्स्य तत्तदा I मर्कन्देयान्महाभागात्स्वर्गस्य प्रतिपादनम् II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે મહાભાગ્યશાળી માર્કંડેયને મુખેથી યુધિષ્ઠિરરાજે રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને 

ફરી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશેનો વૃતાંત સાંભળ્યા પછી યુધિષ્ઠિરે ફરી મુનિને પૂછ્યું કે-હે મહામુનિ,

પુરુષ કેવી અવસ્થાઓમાં દાન આપવાથી ઇંદ્રલોકમાં જાય છે?માણસ ગૃહસ્થાશ્રમમાં,બાળપણમાં,

યુવાવસ્થામાં અથવા વૃદ્ધવયમાં દાનનું ફળ કેવી રીતે ભોગવે છે? તે વિષે કહો (3)