Apr 11, 2024

વૈરાગી-By અનિલ શુક્લ

 

વખ બન્યાં છે કામ સંસારનાં,વૈરાગી બની ગયું છે મન,
લય લાગી અનંતની,કૃષ્ણ આકાશ તો હું બન્યો પવન.

મસ્તી અનંતની,કદી સ્થિર,તો કદી પ્રારબ્ધથી અસ્થિર,
રૂપ અનિલનું ધરી વહુ  છું,અનિલ સંગ,બનીને હું ધીર.

"હું" નથી રહ્યો "હું" તો શું કહી શકું? મારા વિષે હું?
અનુભવી લો,બાકી હાથમાં આવી શકીશ નહિ હું.

અનિલ
૨૩,જુલાઈ-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-483

 

અધ્યાય-૧૯૯-ઇંદ્રદ્યુમ્નનું આખ્યાન 


II वैशंपायन उवाच II मार्कण्डेयमृपयः पांडवा: पर्यप्रुच्छ्न्नस्ति कश्चिद्भवतश्विरजाततर इति II १ II

વૈશંપાયન બોલ્યા-ઋષિઓએ ને પાંડવોએ માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-'તમારાથી પણ આગળ જન્મેલો કોઈ છે?'

માર્કંડેય બોલ્યા-હા,ઇંદ્રદ્યુમ્ન નામે એક રાજર્ષિ એવો છે.પુણ્ય ક્ષય થવાથી તે સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થયો હતો,ત્યારે તેને વિચાર આવ્યો કે 'શું મારી કીર્તિ અહીં પૃથ્વી પર સાફ થઇ ગઈ હશે?' તે મારી પાસે આવીને મને પૂછવા લાગ્યો કે 'મને ઓળખો છો?' ત્યારે મેં કહ્યું કે-ના,પણ હિમાલયમાં પ્રાવારકર્ણ નામે એક ઘુવડ,મારાથી આગળ જન્મ્યો છે તે કદાચ તમને ઓળખાતો હોય.પણ હિમાલય તો ઘણો દૂર છે.

Apr 10, 2024

આકાશ-સમ-By અનિલ શુક્લ


ખુદ તો છે 'એ' આકાશ-સમ,પણ આકાશનેય બનાવી દીધું તેણે,
ને અમૂર્ત આકાશમાં સ્પર્શ,ઘર્ષણ,અથડામણની ક્રિયા કરી ગયો.

સર્જન મૂર્ત બ્રહ્માંડનું કેમે થઇ ગયું,આશ્લેષમાં લીધી હવા-શક્તિને,
પોતે કારણ નથી,પણ સૂરજને તેજ-શક્તિ દઈ,કારણ બની ગયો.

બનાવી દીધી પૃથ્વી,ને જળ પૂરી,દીધી ઠંડક,દાહ્ય એ પૃથ્વીને,
ને કશ્યપ અવતાર બની,જળમાં ડૂબેલી પૃથ્વીને ઉંચી કરી ગયો.

અનિલ
ઓગસ્ટ-૧૭-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-482

 

અધ્યાય-૧૯૮-ક્ષત્રિય માહાત્મ્ય ને શિબિચરિત્ર 


II वैशंपायन उवाच II भूय एव महाभाग्यं कथ्यतामित्यब्रवीत्पांडवो मार्कण्डेयम् II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિર પાંડવે માર્કંડેયમુનિને કહ્યું-'તમે હજુ ક્ષત્રિયોના માહાત્મ્ય વિષે વધુ કહો'

ત્યારે માર્કંડેય બોલ્યા-વિશ્વામિત્રના પુત્ર અષ્ટકના અશ્વમેઘ યજ્ઞમાં સર્વ રાજાઓ ગયા હતા.યજ્ઞ સમાપ્ત થતાં,

એ અષ્ટક,પ્રતર્દન,વસુમના અને ઉશીનરપુત્ર શિબિ એ ત્રણ ભાઈઓ સાથે રથમાં જતો હતો ત્યારે માર્ગમાં નારદજી મળ્યા.અષ્ટકની પ્રાર્થનાથી નારદજી રથમાં વિરાજ્યા,ત્યારે તેમાંના એક ભાઈએ નારાજીને પૂછ્યું કે-'અમે સર્વ આયુષ્યમાન,ને સર્વ ગુણોથી સંપન્ન છીએ,તો અમે ચારે સ્વર્ગમાં જઈશું પણ ત્યાંથી પાછો અહીં કોણ પહેલો નીચે ઉતરશે?'

Apr 9, 2024

સુગંધમયતા-By અનિલ શુક્લ


 નહોતું રહ્યું વહેવાનું,ને ન હાલે કે ચાલે,
સ્થિરતાનો બન્યો હતો સ્વભાવ પવનનો,
થઇ કૃપા હશે શું અંનતની? વિચારું હવે,
કે સુગંધમયતા પવનની થઇ ગઈ,ક્યાંથી?

જ્યોતિ પ્રકાશની હતી લલાટે સ્થિર ,ને,
સમ બની શ્વાસ બની જતો હતો  સ્થિર,
થઇ કૃપા હશે શું અંનતની? વિચારું હવે,
પ્રકાશનો એ પૂંજ પથરાઈ ગયો ક્યાંથી?

દૂર થઇ હતી તરંગમયતા આકાશની જાણે,
અદ્ભૂત રીતે અનુભવાતું હતું શૂન્ય એ કાને,
થઇ કૃપા હશે શું અનંતની? વિચારું હવે,
એ,નાદ અનહતનો સંભળાઈ ગયો ક્યાંથી?

અનિલ
3,સપ્ટેમ્બર,2017

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-481

 

અધ્યાય-૧૯૭-શિબિરાજાની પરીક્ષા 


II मार्कण्डेय उवाच II देवानां कथा संजाता महीतलं गत्वा महिपतिं शिविमौशिनरं साध्वेनं शिवि जिज्ञास्याम उति I 

एवं भो इत्युक्त्वा अग्निंद्रावुपतिष्ठेताम II १ II

માર્કંડેય બોલ્યા-એકવાર દેવોમાં વાત નીકળી કે-આપણે પૃથ્વી પર ઉશીનરપુત્ર શિબિરાજની પાસે જઈને તેની સારી

રીતે પરીક્ષા લઈએ.તે પરીક્ષા લેવા અગ્નિ ને ઇન્દ્ર તૈયાર થયા.અગ્નિએ હોલાનું રૂપ લીધું ને ઇન્દ્રે બાજનું રૂપ લઈને

માંસની ઈચ્છાથી વેગથી તેની પાછળ પડ્યો.હોલો પણ ગતિથી દોડીને દિવ્ય આસન પર વિરાજેલા

શિબિરાજાના ખોળામાં જઈને પડ્યો.ને રાજાને કહેવા લાગ્યો કે-

Apr 8, 2024

Durga-Sapt-Shati-Chandi-Path-Gujarati-Book-દુર્ગા-સપ્તશતી-Chandi-Path-ગુજરાતી


Chandipath-Durga sapt shati-Devi Mahatmya-Audio-MP3


શિવોહમ-By અનિલ શુક્લ

 

નથી રહી મંઝીલ,ખુદથી ખુદ જ બની ગઈ મંઝીલ,
"હું" ગયું તો ગયું જગત,કોણ કોને ઓળખી શકે ?

નથી રહ્યો આયનો સામે,ખુદ આયનો બની ગયો,
પ્રતિબિંબ તેનું પડ્યું,તો તે જ ખુદને ઓળખી ગયો.

બાળીને "હું"ને,લગાવી ભભૂતિ તો જોગી બની ગયો,
ના રહ્યા સંશયો,ઝલક થઇ,ને ખુદ બ્રહ્મ બની ગયો.

અનિલ શુક્લ
૨૫ ઓક્ટોબર-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-480

 

અધ્યાય-૧૯૫-યયાતિનું ચરિત્ર 


II मार्कण्डेय उवाच II इदमन्य्च्छ्रुयतां ययातिर्नाहुषो राजा राज्यस्थः पौरजनावृत आसांचक्रे I 

गुर्वर्थि ब्राह्मण उपेत्याब्रवीत भो राज्न्गुर्वर्थे भिक्षेयं समयादिति  II १ II

માર્કંડેય બોલ્યા-હવે આ બીજું ચરિત્ર સાંભળો.નહુષપુત્ર યયાતિરાજ એકવાર નગરજનોથી ઘેરાઈને 

બેઠો હતો ત્યાં એક બ્રાહ્મણ ગુરુદક્ષિણા માટે તેની પાસે આવી બોલ્યો કે-

'હે રાજન,હું એક શરતે તમારી પાસેથી ગુરુદક્ષિણા માટે ભિક્ષા માગીશ' રાજા બોલ્યો-'આપ શરત કહો'

બ્રાહ્મણ બોલ્યો-આ જીવલોકમાં મનુષ્યની પાસે યાચના કરવામાં આવે તો તે મનુષ્ય યાચકનો મહાદ્વેષ કરે છે

આથી હે રાજન,હું તમને પૂછું છું કે-તમે આજે મારી પ્રિય વસ્તુ કેવી રીતે મને આપશો?