Apr 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-479

 

અધ્યાય-૧૯૩-ઇન્દ્ર અને બકનો સંવાદ 


II वैशंपायन उवाच II 

मार्कण्डेयमृपयो ब्राह्मणा युधिष्ठिरश्च पर्यप्रुच्छनृपिः I केन दीर्घायुरासीत बको मार्कण्डेयस्तु तान्सर्वानुवाच II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઋષિઓ,બ્રાહ્મણો અને યુધિષ્ઠિર એ સૌએ માર્કંડેય ઋષિને પૂછ્યું કે-બકઋષિ શી રીતે દીર્ઘાયુ થયા હતા?અમે સાંભળ્યું છે કે-બક અને ડાલ્ભ્ય એ બે ઋષિઓ દેવરાજ ઇન્દ્રના મિત્ર હતા,તે બક અને ઇન્દ્રના સુખદુઃખભર્યા સમાગમ વિષે અમે સાંભળવા ઇચ્છીએ છીએ તો તે અમને યથાર્થ કહો' (5)

Apr 6, 2024

અનહત-નાદ-By અનિલ શુક્લ

 

સમ થયા શ્વાસોશ્વાસ,તો અચાનક સુગંધમયતા થઇ ક્યાંથી?
બંધ-વજનહીન થઇ આંખો,તો પ્રકાશમય જ્યોતિ થઇ ક્યાંથી?

ચોંટી જઈને તાળવે, જીભ કોઈ ગજબ અમૃતપાન કરતી લાગે,
સૂર અંદરના સાંભળવા કાન પણ ઉત્સુક થયા હોય એમ લાગે.

પ્રણવના અ-ઉ-મ- અક્ષરોને,નિહાળું,સાંભળું,અનુભવું શ્વાસથી,
સુગંધમય,અમૃતમય,પ્રકાશતો,અનહત-નાદ વાગી ગયો ક્યાંથી?

અનિલ
નવેમ્બર,૨૨-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-478

 

અધ્યાય-૧૯૨-મંડૂકનું ઉપાખ્યાન 


II वैशंपायन उवाच II भूव एव ब्राह्मणमहाभाग्यं वक्तुमर्हसीत्यव्रवित्पांडवे यो मार्कण्डेयं II १ II

વૈશંપાયન બોલ્યા-'પાંડુપુત્ર યુધિષ્ઠિરે માર્કંડેયને કહ્યું-તમે બ્રાહ્મણના મહાભાગ્યને ફરીથી કહેવા યોગ્ય છો'

માર્કંડેય બોલ્યા-બ્રાહ્મણોનું આ અપૂર્વ ચરિત્ર તમે સાંભળો.અયોધ્યામાં ઇક્ષ્વાકુ કુળનો પરીક્ષિત નામે રાજા હતો.

એકવાર તે મૃગયાએ નીકળ્યો હતો ત્યારે એક મૃગની પાછળ તે દૂર દૂર ગયો,તે થાક્યો ને ભૂખ-તરસથી પીડાયો,

ત્યારે તેણે તે વનમાં એક રમણીય સરોવર જોયું,ત્યાં તેણે સ્નાન કરી તેના કિનારે સૂતો હતો ત્યારે 

તે મધુર ગીતના સ્વરોથી જાગી ગયો ને તેણે એક રૂપવતી કન્યાને ફૂલો વીણતી જોઈ.

Apr 5, 2024

જ્ઞાનથી મુક્તિ-By અનિલ શુક્લ



જુદા-જુદા છે તન-રૂપી-રથ સર્વના,બેસાડી આત્માને કરી રહ્યા સર્વ યાત્રા અનંતની,
જુદા-જુદા છે પથ,અનંતના,કોઈ કરે ભક્તિ,કોઈ કરે કર્મ,તો કોઈ કરે જ્ઞાનથી મુક્તિ.

અનિલ-
માર્ચ-૧૯-૨૦૧૮ 

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-477

 

અધ્યાય-૧૯૧-યુધિષ્ઠિરને ઉપદેશ


II मार्कण्डेय उवाच II ततश्चोरक्षयं कृत्वा द्विजेभ्यः पृथिवीमिमाम् I वाजिमेधे महायज्ञे विधिवत्कल्पयिप्पति II १ II

માર્કંડેય બોલ્યા-પછી ચોરોનો નાશ કરીને કલ્કી,અશ્વમેઘ યજ્ઞ કરશે ને આ પૃથ્વી બ્રાહ્મણોને અર્પણ કરશે.

તે પોતે જ આ પૃથ્વીમાં શુભ ને હિતકારી મર્યાદાઓ સ્થાપશે ને પછી તે રમણીય વનમાં પ્રવેશશે.

પૃથ્વીલોકમાં વસનારા મનુષ્યો તેમના શીલને અનુસરશે,ને જગતમાં ફરીથી કલ્યાણ વર્તશે.

ત્યારે હે ભારત,અધર્મનો વિનાશ થશે અને ધર્મની વૃદ્ધિ થશે,લોકો ક્રિયાવાન થશે.(7)

Apr 4, 2024

સ્થિરતાને-By અનિલ શુક્લ

 

છબછબિયાં પાણીમાં કરી,મળે એ ક્ષણિક આનંદનું હવે શું કામ છે?
કૂદકો લગાવ્યો જ્યાં અનંતનો ને પામ્યા,જ્યાં નિર્વિક્ષેપ પરમાનંદને.

મુખમાં રાખી વિષ-રૂપી ચોખાનો દાણો,ફરવાનું કીડીને શું કામ છે?
પામી ગઈ છે તે જયારે  સાકરના ગાંગડાના પહાડ-રૂપી રસ-અમૃતને.

વ્યર્થ આ સંસારમાં ભટકવું શું ? ને તેમાં ભળવાનું ય શું કામ છે?
ખુદના જ ઘર બેસી,ખુદમાં ભળ્યા ને પામી ગયા જ્યાં એ અનંતને.

ખુદ હલવું કે હલાવવું ,એવી ચપળતા રાખવાનું અનિલને શું કામ છે?
ભળી ગયો,પામી ગયો જ્યાં તે સુગંધમય-અદભુત એવી સ્થિરતાને.

અનિલ
ઓગસ્ટ-૨૨-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-476

 

અધ્યાય-૧૯૦-કળિયુગમાં લોકોની સ્થિતિ 


II वैशंपायन उवाच II युधिष्ठिरस्तु कौन्तेयो मार्कण्डेयं महामुनिम् I पुनः पप्रच्छ साम्राज्ये भविष्यां जगतो गतिम् II १ II

વૈશંપાયન બોલ્યા-કુંતીપુત્ર યુધિષ્ઠિરે ફરીથી,મહામુનિ માર્કંડેયને પોતાના સામ્રાજ્ય પછીની,ભાવિ જગતની સ્થિતિ વિશે પૂછતાં બોલ્યા કે-'હે શ્રેષ્ઠ મુનિ,યુગના આદિકાળમાં જગતની ઉત્પત્તિ ને સંહાર સંબંધી આશ્ચર્યકારક વૃતાંત અમે સાંભળ્યો,પણ હે ભાર્ગવ,એ કળિયુગમાં સર્વ ધર્મોના નાશનો ગોટાળો થઇ જશે તો પછી બાકી શું રહેશે?

મને ફરીથી કુતુહલ થાય છેકે તે યુગક્ષયને વખતે માનવોનું બળ કેવું હશે?તેમના આહાર વિહાર કેવા હશે?

તેમનું આયુષ્ય કેટલું હશે?કઈ સ્થિતિ આવ્યા પછી સત્યયુગ પાછો આવશે? (6)

Apr 3, 2024

પ્રેમ તમારો-By અનિલ શુક્લ

 

હવા વિના જ સુગંધ વહી રહી છે હવે,
જ્યાં દેહ માટીનો કમળ થઇ ગયો.

સુક્કી નદી પૂરથી ભરાઈ ગઈ છે હવે,
ને તપ્ત થઇ પૂર્ણ મહાસાગર થઇ ગયો.

કંઇક એવો ચમત્કાર થઇ ગયો કે શું?
કે અનામ કાચનો ટુકડો હીરો બની ગયો.

પ્રાણને પીવડાવી દીધો આસવ એવો તમે,
ચુર થઇ દેહ અજબ સુગંધમય થઇ ગયો.

નિર્ધન નજર અચાનક જ અમીર થઇ ગઈ,
ને પ્રેમ તમારો કણકણમાં મશહૂર થઇ ગયો.

અનિલ
સપ્ટેબર-૨૪-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-475

 

અધ્યાય-૧૮૯-વિષ્ણુએ પોતાનું સ્વરૂપ કહ્યું 


II देव उवाच II कामं देवापि मां विप्र नहि जानंति तत्वतः I त्वत्प्रिया तु प्रवक्ष्यामि यथेदं विसृजाम्यहम् II १ II

દેવ બોલ્યા-હે વિપ્ર,દેવો પણ મને યથાર્થ રૂપે જાણતા નથી,તારા પર પ્રીતિને લીધે હું કેવી રીતે આ સૃષ્ટિનું સર્જન કરું છું

તે તને કહું છું.પૂર્વે મેં જળને 'નારા' એવું નામ આપ્યું છે,અને આ 'નારા' મારુ સદૈવનું 'અયન' (આશ્રય સ્થાન) છે

આથી હું 'નારાયણ' કહેવાયો છું (3) આમ હું નામે નારાયણ છું,હું સકળ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન છું,

સનાતન છું,અવિનાશી છું,પ્રાણીમાત્રનો વિધાતા ને સંહર્તા છું.હું જ વિષ્ણુ ને હું જ બ્રહ્મા છું.

હું જ ઇન્દ્ર છું,હું જ કુબેર છું,હું જ યમ છું,હું જ શિવ છું,સોમ છું,ને હું જ કશ્યપ છું.

Apr 2, 2024

ચિદાકાશ-By અનિલ શુક્લ

 

લઈને સુગંધ,હવે હવાને વહેવું શું? કે તે વિશે વધુ કહેવું શું?
અંતર્ધાન થઇ ગયું જ્યાં દૃશ્ય છે,તો તે વિશે વધુ કહેવું શું?

મુઠ્ઠીમાં ભરી ના શકો આકાશને તો બંધન વિશે કહેવું શું?
નથી નાદ કે નથી ગંધ,તો આકાશ-પવન વિશે વધુ કહેવું શું?

આકાશને ભરી રહ્યો પવન,તો તેના વતન વિશે વધુ કહેવું શું?
સ્થિરતા પવનની થઇ કે ના થઇ મશહૂર,તે વિશે વધુ કહેવું શું?

આનંદ છે,પરમાનંદ છે,તો ચાહ-ચિંતા વિશે વધુ હવે કહેવું શું?
થયું સર્વ જ્યાં ચિદાકાશ તો દેહ કે ભભૂતિનું હવે રહ્યું કામ શું?

અનિલ
સપ્ટેબર,૨૭,૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com