Apr 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-473

 

અધ્યાય-૧૮૭-મત્સ્યોપાખ્યાન 


II वैशंपायन उवाच II ततः स पांडवो विप्रं मार्कण्डेयमुवाच ह I कथयस्वेति चरितं मनोवैवस्वतस्य च II १ II

વૈશંપાયન બોલ્યા-પછી એ યુધિષ્ઠિર પાંડવે માર્કંડેય મુનિને કહ્યું-'તમે વૈવસ્વત મનુનું ચરિત્ર કહો'

માર્કંડેય બોલ્યા-હે રાજન,વિવસ્વાન સૂર્યને મહાપ્રતાપી ને મહર્ષિ એવો એક મનુ નામે પુત્ર હતો,તે મનુ 

પોતાના બળથી,તેજથી,લક્ષ્મીથી અને તપસ્યાથી પોતાના પિતા ને પિતામહને પણ ટપી ગયો હતો.

તેણે બદરિકાશ્રમમાં ઊંચા હાથ રાખીને તથા એકપગે ઉભા રહી અતિ મહાન તપ કર્યું હતું.

વળી તેણે નીચું મસ્તક રાખીને,આંખ મીંચ્યા વિના દશ હજાર વર્ષ સુધી ઘોર તપ કર્યું હતું.

Mar 31, 2024

રાહ-By અનિલ શુક્લ

 

રણમાં ઘર બનાવવાની ઈચ્છા નથી રહી હવે,
જે ઘરમાં રહું છું તે ઘર જ રણ-સમ બની ગયું.

જે આંખોથી ખોળતો રહ્યો હતો 'તે'ને,પણ,
મળ્યો 'તે' તો આંખમાં જ સમાયો બેઠો હતો.

રગરગમાં 'તે' ફેલાઈને તે વહી રહ્યો છે,તો
તેનું સરનામું કઈ રીતે આપું ?તે તમે જ કહો.

પથ 'તે'નો કોણે બતાવ્યો? તે ના પૂછશો તમે,
પ્રેમથી હૃદય થયું વ્યાકુળ,ને રાહ મળી ગઈ !

અનિલ
નવેમ્બર,૨૯,૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-472

 

અધ્યાય-૧૮૬-તાક્ષર્ય અને સરસ્વતીનો સંવાદ 


 II मार्कण्डेय उवाच II अत्रैव च सरस्वत्या गीतं परपुरंजय I पुष्टया मुनिना वीर शृणु ताक्षर्येण धीमता II १ II

માર્કંડેય બોલ્યા-હે શત્રુનગરના વીર વિજેતા,આ સંબંધમાં બુદ્ધિમાન તાક્ષર્ય મુનિના 

પૂછવાથી સરસ્વતીએ જે કહ્યું હતું તે તમે સાંભળો.

તાક્ષર્યે સરસ્વતીને પૂછ્યું-'હે ભદ્રા,આ લોકમાં પુરુષનું શું શ્રેયસ્કર છે?શું કરવાથી તે ધર્મથી ભ્રષ્ટ ન થાય?

હું કેવી રીતે અગ્નિમાં હોમ કરું?કયે સમયે પૂજન કરું?શું કરવાથી મારો ધર્મ નાશ ન પામે? 

આ બધા વિશે તમે મને કહો,તે મુજબ કરીને હું શુભ લોકોમાં સંચરું (3)

Mar 30, 2024

ઉન્મતતા-By અનિલ શુક્લ

 

સમાઈ ગઈ છે જે બુંદ સાગરમાં,તે બીજી બુંદને શું સમજાવે?
આકાશમાં મુક્ત ફરતું પંખી.પિંજરાના પંખીને શું સમજાવે?

મૌન માફક આવી ગયું,હવે વાણીનો વિલાસ બાકી ના રહ્યો,
વર્ણવી ન શકાય તેને વર્ણવવાની ચેષ્ઠા કરી પણ શકાય કેમ?

મદહોશી કહો,મદમસ્ત કહો,દીવાનગી કહો,કે કહો પાગલતા,
ઉન્મતતા જ કામ આવી ગઈ,ના વતાવું કોઈને,કોઈ ના વતાવે !

અનિલ
ડીસેમ્બર-૬-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-471

અધ્યાય-૧૮૫-અત્રિની કથા 


II मार्कण्डेय उवाच II भूय एव महाभाग्यं ब्राह्मणानां निबोध मे I वैन्यो नामेह राजर्षिरश्वमेधाय दीक्षितः II १ II

માર્કંડેય બોલ્યા-બ્રાહ્મણોના મહિમા વિશે હું વિશેષ કહું છું તે તમે સાંભળો.પૂર્વે આ લોકમાં વેનપુત્ર પૃથુ નામના

રાજર્ષિએ અશ્વમેઘની દીક્ષા લીધી હતી.ને અમે સાંભળ્યું છે કે અત્રિ તેમને ત્યાં ધનને માટે ગયા હતા.

આમ,તો તે ધનની ખાસ પરવા કરનારા નહોતા,કેમ કે દ્રવ્યને પરિણામે ધર્મનો નાશ થાય છે તે તેઓ જાણતા હતા,

પરંતુ જયારે તેમની પત્નીએ યજ્ઞ-આદિને વિસ્તારવા માટે તેમને વૈન્ય રાજા પાસે જવાનો આગ્રહ કર્યો (7)

Mar 29, 2024

ગીત-By અનિલ શુક્લ

 

જનમ્યું હજી જે નથી તેને દેખું છું,
હજુ ખીલ્યું નથી ફુલ તેને દેખું છું.

ઉત્કંઠિત થયેલા કાનનું શું કહેવું?
સ્વરો હજી જે સાજમાં છે,સાંભળું છું.

વિના માગ્યે મળી ગયું જ બધું,
જે ગીત ગવાયું નથી,તે સાંભળું છું.

મૂંગો છું પણ જે સ્વાદને સમજુ છું,
વાણી નથી પાસ તો લખીને કહું છું.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-470

 

અધ્યાય-૧૮૪-બ્રાહ્મણનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II मार्कण्डेयं महात्मनमूचुः पांडुसुतास्तदा I माहात्म्यं द्विजमुख्यानां श्रोतुमिच्छामकथ्यताम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુપુત્રોએ મહાત્મા માર્કંડેયને પૂછ્યું-'અમે દ્વિજવરોના માહાત્મ્યને સાંભળવા ઇચ્છીએ છીએ તો તમે કહો' ત્યારે શાસ્ત્રોમાં નિપુણ,મહાતપસ્વી ને મહાતેજસ્વી તે માર્કંડેય બોલ્યા કે-હૈહયોના કુળનો એક પરપુરંજય નામનો રાજા મૃગયા માટે વનમાં ઘૂમતો હતો ત્યારે તેણે કાળિયારનું ચામડું ઓઢીને બેઠેલા એક મુનિને 

મૃગ માનીને મારી નાખ્યા.જયારે તેને ભાન થયું ત્યારે તેને અતિ દુઃખ થયું ને હૈહયોને આ વૃતાંત કહ્યો.

Mar 28, 2024

માયાધામ-By અનિલ શુક્લ

 

'એ' ને ખોળવો,એય ભ્રાંતિ નથી શું ભલા?
સમજાય છે એ 'એ' ખુદમાં મળી ગયા બાદ.

પ્રભુ,તેમનું દિલ બદલ કે પછી મારી વાણી,
હજાર કહું પણ ના સમજી શકે તે મારી વાત.

સર્વસ્થાને જે, તે રહે કેમ કોઈ એક સ્થાને?
સર્વનામ જેના તેનું ક્યાંથી હોય એક નામ?

બિંબ-પ્રતિબિંબ થયું,માયાની આ માયાજાળ,
હદ નહોતી,પણ સરહદ બની,બન્યું માયાધામ.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-469

 

માર્કંડેય સમાસ્યા પર્વ 

અધ્યાય-૧૮૨-વર્ષા ને શરદઋતુનું વર્ણન 

II वैशंपायन उवाच II निदाघांतकरः कालः सर्वभूतसुखावहः I तत्रैव वसतां तेषां प्रावृद सममिषद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-તે પાંડવો ત્યાં રહેતા હતા,ત્યારે પ્રાણીમાત્રને સુખ આપનારો તથા ઉનાળાના ઉકળાટને સમાવનારો વર્ષાકાળ આવ્યો.ત્યારે મહાગર્જના કરતાં વાદળોએ આકાશ તથા દિશાઓને છાઈ દીધાં હતાં.અને કાળાં વાદળો રાતદિવસ વરસી રહ્યાં હતાં.ધરતી પર ઘાસ ઉગી આવ્યું હતું ને તેમાં સર્પો ને જીવડાં ઘૂમતાં હતાં.

Mar 27, 2024

આત્મારામ-By અનિલ શુક્લ

 

ઝુકાવી દીધું શિર તો પછી તેને પાછું ઉઠાવવું શું?
મળી બેહોશી પરમપ્રેમની તો હોશમાં આવવું શું?

ડૂબ્યા પ્રાર્થનામાં તો પછી કરવી હવે પ્રાર્થના શું?
આશકી પરમપ્રેમની મળી તો બીજી વાતો શું?

જીવનની ઉપર ઉઠી ગયા પછી નીચા જવાનું શું?
અમર્યાદ થયું જીવન તો જીવનની મર્યાદાઓનું શું?

સરનામું છે,ખબર પણ છે તો પછી તેને ખોળવો શું? 
જ્યાં છે 'તે' ત્યાં ખોળે નહિ તો 'તે' મળી જાય શું? 

સ્તબ્ધતા છે,બંધ વાણી છે,અજબ આલમ થઇ ગયું, 
રામ,આત્મારામ થયો,જિંદગી રહે ના રહે, ફેર શું? 

અનિલ
ડીસેમ્બર-૨૧-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com