Mar 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-468

 

અધ્યાય-૧૮૧-ભીમનો છુટકારો 


II युधिष्ठिर उवाच II भवानेताद्शो लोकं वेदवेदांIगपारगः I ब्रूहि किं कुर्वतः कर्म भवेद्वतिरनुत्तमा I १ II

યુધિષ્ઠિર બોલ્યા-તમે આવી યોનિમાં છો,તો પણ વેદ અને વેદાંગમાં પારંગત છો,

તો કહો,શું કરવાથી મનુષ્યને ઉત્તમ ગતિ મળે?

સર્પ બોલ્યો-હે ભારત,સુપાત્રે દાન આપ્યાથી,પ્રિય વચનો કહેવાથી,સત્ય બોલવાથી 

અને અહિંસા-ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એવું મારુ માનવું છે.

Mar 26, 2024

નિર્વિચાર-By અનિલ શુક્લ

 

ધર્મશાળા કહો કે કેદખાનું- તે ઘરને,સ્થાયી થઇ ત્યાં કોઈ રહી ના શકે,
કરવટો બદલો ગમે તેટલી પણ શાંતિની નીંદ ત્યાં કેમે કરી મળી શકે?

રણમાં બનાવી ઘર કે જંગલોમાં જઈ-જેને ખોળવાની તમન્નાઓ હતી,
એક દિ' છોડવું પડશે-વિચાર્યું એમ  -તો 'એ' પાસમાં જ બેઠેલો હતો.

ખોળતા હતા જે નયન,'તે'ને ચોતરફ,તે જ નયનોમાં જ 'તે' બેઠેલો હતો.
વિચાર કરીને 'તે' ને કહેવો કેવી  રીતે? નિર્વિચાર અવસ્થામાં 'તે' મળ્યો હતો.

અનિલ
ફેબ્રુઆરી,૨,૨૦૧૯

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-467

 

અધ્યાય-૧૮૦-અજગર ને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ 


II वैशंपायन उवाच II युधिष्ठिरस्तमासाद्य सर्पभोगेन वेष्टितं I दयितं भ्रातरं धिमानिदं वचनमब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-બુદ્ધિમાન યુધિષ્ઠિર સર્પના શરીરથી વીંટળાયેલા પોતાના ભાઈ પાસે જઈને પૂછવા લાગ્યા કે-

'હે ભીમ,તું ક્યાંથી આ આપત્તિને પામ્યો?પર્વત જેવી કાયાવાળો આ નાગરાજ કોણ છે?'

ત્યારે ભીમે પોતાના પકડાવાથી માંડીને સર્વ હકીકત કહી.ને કહ્યું કે-રાજર્ષિ નહુષ આ દેહમાં રહેલો છે'

ત્યારે યુધિષ્ઠિરે તે સર્પને કહ્યું કે-તું મારા ભાઈનેમૂકી દે,તારી ભૂખ ટાળવા હું તને બીજો આહાર આપું'

Mar 25, 2024

આકાશમાં-By અનિલ શુક્લ

 

ભૂલોકમાંથી નીપજ્યું ગાન કાવ્યનું ને પ્રસરી રહ્યું આકાશમાં,
છૂપી રહી ના શકે હવામાં,ફૂલોની સુગંધ કદી,આ આકાશમાં.

કોણ ઉપજાવી રહ્યું અજબનું સંગીત ખુલ્લા આ આસમાનમાં,
લાગે કે મુરલીધરની મુરલીમાં વહી રહી સુગંધી હવા આકાશમાં.

શું કોઈ શબ્દ-બ્રહ્મનું બાણ તો વાગી નથી ગયું સૂતેલા સિંહને,
અહમ-શિવોહમ થયું,મધુર કાવ્ય-વીણા વાગી રહી આકાશમાં.

અનિલ
ફેબ્રુઆરી-૨૩,૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-466

 

અધ્યાય-૧૭૯-ભીમ-અજગર સંવાદ 


II वैशंपायन उवाच II स भीमसेनस्तेजस्वी तथा सर्पवशं गतः I चिंतयामास सर्पस्य वीर्यमत्यद्भुतं महत् II १ II

વૈશંપાયન બોલ્યા-તે તેજસ્વી ભીમ,આ પ્રમાણે અજગરને વશ થયો ત્યારે તે સર્પના અદભુત બળનો વિચાર કરવા લાગ્યો ને સર્પને કહેવા લાગ્યો કે-હે સર્પ તું કોણ છે? તું,મારુ શું કરવા ઈચ્છે છે? હું ધર્મરાજથી નાનો ભીમસેન પાંડવ છું.તેં મારા મહાબળને આમ રોકી લીધું છે તેથી મને ખાતરી થાય છે કે મનુષ્યોનું પરાક્રમ મિથ્યા છે 

Mar 24, 2024

પ્રજ્ઞા-By અનિલ શુક્લ

 

તબક્કો એક એવો પણ છે,જ્યાં બુદ્ધિ માર્ગદર્શન ના કરી શકે,
કસરતો બુદ્ધિની પૂરી થાય તો,જ બુદ્ધિ પારનું 'તત્વ' મળી શકે.

શાંત,સ્થિર મનથી થાય અંતરદૃષ્ટિ,તો તે જ બુદ્ધિ પ્રજ્ઞા બને,
આ શુદ્ધ પ્રજ્ઞા જ માર્ગદર્શક બને,તો સર્વ સ્પષ્ટ સમજાઈ શકે.

પ્રજ્ઞાથી દર્શન આત્મનું થયું,જ્યાં સ્પષ્ટ,સંપૂર્ણ અને સમગ્રતાથી,
'અનુભવ' થયો ને તે અનુભવ જ અનંતનો માર્ગદર્શક બની શકે.

અનિલ
ફેબ્રુઆરી-૨૮-૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-465

અધ્યાય-૧૭૭-ફરી દ્વૈતવનમાં આગમન 


II वैशंपायन उवाच II 

नगोत्तमं प्रस्त्रवणैरूपेतं दिशां गजैः किन्नरपक्षीमिश्च I सुखं निवासं जहतां हि तेषां न प्रीतिरासिद भरतर्षमाणां  II १ II

વૈશંપાયન બોલ્યા-તે  ભરતવરોને,ઝરણાંઓ,દિગ્ગજો,કિન્નરો ને પક્ષીઓથી સુશોભિત તે શ્રેષ્ઠ પર્વતના સુખકારી

નિવાસને છોડવાનું ગમ્યું નહિ,ને ફરી ફરીથી કૈલાસ પર્વતને જોતાં તેમને મહાહર્ષ થયો.તે નરવીરો,ઝાડીઓ,

પર્વતો,ધોધો,વિવિધ પશુપંખીઓ આદિને જોતાં જોતાં ને ગિરીગુફાઓમાં નિવાસ કરતાં,કૈલાસને ઓળંગ્યો.

અને છેવટે વૃષપર્વાના આશ્રમે પહોંચ્યા,કે જ્યાં એક રાત નિવાસ કરીને,તેઓ વિશાલ બદરી પહોંચ્યા ને 

નારાયણના ધામમાં આવીને નિવાસ કર્યો.ત્યાં કુબેરતળાવ જોતાં તે શોકમુક્ત થઇ રમણ કરવા લાગ્યા.(10)

Mar 23, 2024

અટકચાળો-By અનિલ શુક્લ

 

એ જ હૃદય ને એ જ લાગણીઓના પૂર છે,
કલમ ઉપડતી નથી,કવિતા જાણે દૂર દૂર છે.

અસ્તિત્વ મસ્ત સુગંધનું હતું તે હવામાં અહીં,
વહી ગઈ હવા તો તે સુગંધ જાણે દૂર દૂર છે.

ચિંતા મૂકી ચેનથી ચિતા પર સૂતો રહ્યો છું,
આગને બુઝાવો નહિ હવા,જાવું દૂર દૂર છે.

આ પણ કેમ લખાઈ ગયું તે ખબર પડતી નથી,
ધીમેથી પાસ આવીને કોઈ અટકચાળો કરી ગયું.

અનિલ 
એપ્રિલ ૫,૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-464

 

આજગર પર્વ 

અધ્યાય-૧૭૬-પાંડવોનું ગંધમાદનથી પ્રયાણ 

II जनमेजय उवाच II 

तस्मिन् कृतास्त्रे रथिनां प्रवीरे प्रत्यागते भयनाद वृत्रहंतुः I अतः परं किमकुर्वन्त पार्थाः समेत्य शूरेण धनंजयेन II १ II

જન્મેજય બોલ્યા-અસ્ત્રવિદ્યામાં સિદ્ધ થયેલો,રથીઓમાં શ્રેષ્ઠ ધનંજય,વૃત્રાસુરને હણનારા ઇન્દ્રના 

ભવનમાંથી પાછો આવ્યો પછી પાંડવોએ તે શૂરવીર સાથે મળીને શું કર્યું ?

વૈશંપાયન બોલ્યા-તે પાંડવો,અર્જુનની સાથે તે જ વનમાંના કુબેરના ઉદ્યાનમાં રહ્યા હતા અને તે જ સુરમ્ય પર્વત પર વિહાર કરવા લાગ્યા હતા.અર્જુન પણ હાથમાં ધનુષ્ય ધારણ કરીને તે અજોડ મંદિરો ને ક્રીડાસ્થાનોને જોતો 

મોટે ભાગે ફર્યા જ કરતો હતો.પાંડવો ત્યાં ચાર વર્ષ રહ્યા,પણ તે સમય તેઓને એક રાત જેવો જ જણાયો.

Mar 22, 2024

મસ્તી-By અનિલ શુક્લ


નથી પ્રયત્નથી મેળવી,કે નથી કદી ભેગી કરી,
એ તો એમ ને એમ જ ક્યાંથી આવી ગઈ મસ્તી.

રોકી શકે નહિ કોઈ ફૂલની સુગંધને,સુગંધથી,
સુગંધી બન્યું છે ફૂલ,તો હવામાં સુગંધની મસ્તી.

વાંસળી બન્યું શરીર,ને ફૂંક બન્યો છે પવન,
તો સૂરમયી સુરાવલીની છાઈ રહી મસ્તી.

હવે તો ના હાલે કે ચાલે બન્યો છે સ્થિર અનિલ,
તો,સ્થિર મૌનની છવાઈ રહી અજબ મસ્તી.

અનિલ
જુલાઈ,૨૨.૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com