Mar 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-463

 

અધ્યાય-૧૭૫-દિવ્ય અસ્ત્રોનાં દર્શન 


II वैशंपायन उवाच II तस्यां रात्र्यां व्यतीतायां धर्मराजो युधिष्ठिरः I उत्थायावश्यकार्याणि कृतवान्भ्रात्रुभिः सह  II १ II

વૈશંપાયન બોલ્યા-તે રાત વીતી ગઈ,એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે,પોતાના ભાઈઓ સાથે આવશ્યક કર્મો કરીને અર્જુનને તે દિવ્ય એસ્ટ્રો બતાવવાનું કહ્યું.ત્યારે તે અર્જુને તે દિવ્ય અસ્ત્રો બતાવતા પહેલાં સ્નાનાદિથી પવિત્ર થઈને મનથી કલ્પેલા પૃથ્વીરૂપી રથમાં તે બેઠો.તેને દિવ્ય કવચ પહેર્યું,ને ગાંડીવ ને દેવદત્ત શંખ હાથમાં લીધા.ને અનુક્રમે દિવ્ય અસ્ત્રો બતાવવા લાગ્યો.હવે તેણે તે અસ્ત્રોનો પ્રયોગ કર્યો ત્યારે પૃથ્વી ડોલી ઉઠી,સરિતાઓ ને સાગરો ખળભળી ઉઠ્યા,પર્વતો ચિરાવા લાગ્યા,વાયુ થંભી ગયો ને અગ્નિ બળતો અટકી ગયો.(9)

Mar 21, 2024

લોકો-By અનિલ શુક્લ

 

સહુની એ સરખી સવાર પાડતો નથી શું એ પ્રભુ?
પણ પોતપોતાની રીતે સાંજ પાડી દેતા જ લોકો.

દોષ એનો તો ક્યાંથી હોઈ શકે,એ પ્રભુનો પછી?
પણ,સુખ-દુઃખનો દોષ 'એ'ની પર ઢાળી દેતા લોકો.

સમાઈ રહ્યો છે એ કણકણમાં 'આકાશ'ની પેઠે,
પણ શું મૂર્તિઓમાં કેદ 'એ'ને નથી કરી દેતા લોકો?

'જય શ્રી કૃષ્ણ' એમ બોલી,લખવાની ફુરસદ નથી,
તો,'જે.એસ.કે.' લખીને 'એ'ને પટાવી દેતા લોકો !

અનિલ
સપ્ટેબર-૧૧-૧૯૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-462

 

અધ્યાય-૧૭૪-અસ્ત્રદર્શનનો સંકેત 


II अर्जुन उवाच II ततो मामतिविश्वस्तं संरूढशरविक्षतं I देवराजो विगृहेदं काले वचनमब्रवीत II १ II

અર્જુન બોલ્યો-પછી,સમય આવતાં શત્રુઓને જીતવામાં વિશ્વાસપાત્ર પણ બાણોથી ઘાયલ થયેલા 

એવા મને,દેવરાજે કહ્યું કે-'હે ભારત,તારી પાસે હવે સર્વ દિવ્ય અસ્ત્રો છે,જેથી પૃથ્વી પરનો 

કોઈ મનુષ્ય તને પરાજય આપી શકે તેમ નથી.હે પુત્ર,તું સંગ્રામમાં ઉભો હોઈશ ત્યારે 

ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અને બીજાઓ તારી સોળમા ભાગની કલાની પણ તોલે આવશે નહિ' 

Mar 20, 2024

સંબંધ-By અનિલ શુક્લ

 

કોણ જાણે કેમ 'એ' લાગી રહ્યો છે દૂર દૂર દુનિયાને?
ને જાણે અભિમાની પણ શું લાગી રહ્યો તે દુનિયાને?

નથી 'એ' મતલબી,પણ સમજી સર્વને કરે સહુની કદર,
ન સમજે દુનિયા 'તે'ને,નથી કરતી તેની જ કોઈ કદર !

દરેક વાતનો જવાબ,શબ્દથી શું નથી રહ્યો 'તે'ની પાસે?
કિંમત રહે શું શબ્દની,રાખે નહિ કોઈ સંબંધ તેની સાથે !

અનિલ શુક્લ 
નવેંબર,10,૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-461

 

અધ્યાય-૧૭૩-હિરણ્યપુરના દૈત્યોનો વધ 


II अर्जुन उवाच II निवर्तमानेन मया महदद्दष्टं ततोSपरम् I पुरं कामचरं दिव्यं पावकार्कसमप्रभम्  II १ II

અર્જુન બોલ્યો-ત્યાંથી પાછા ફરતી વખતે એક બીજું નગર મારા જોવામાં આવ્યું.તે ઈચ્છાગતિવાળું ને સૂર્ય જેવા પ્રભાવવાળું હતું.તેમાં રત્નનાં વૃક્ષો ને મધુર સ્વરવાળાં પક્ષીઓ હતા,ને ત્યાં પૌલોમ અને કાલકંજ નામે દાનવો

નિત્ય વાસ કરતા હતા.તેમાં સહેલાઈથી પ્રવેશી શકાય તેમ નહોતું.શૂલ,મુશળ,ધનુષ્ય આદિ આયુધોને ધારણ

કરેલા અસુરો તે નગરને ચારે બાજુ વીંટી રહ્યા હતા,ત્યારે માતલિને તે સ્થાન વિષે પૂછ્યું.

Mar 19, 2024

પ્રારબ્ધ-By અનિલ શુક્લ

 

રામ-રામ કરી આરામમાં રહું છું,ને થોડુક કંઈ લખી કામમાં રહું છું!
ચેન તો દિલને છે જ,ને નથી પણ,પ્રારબ્ધને જ જાણે ભોગવતો ફરું છું.

ચારેય વેદ ખંખોળી,આખર તો રામનું નામ-તુલસી એમ કહે છે,
રામના નામનું કામ કરું,તો કદીક,શાસ્ત્રો પણ ફંગોળતો રહું છું !!

ભલે તેને બેચેની કહો તમે,પણ બેચેનીનો જ કોઈ અજબ આનંદ છે,
સતત નામમાં કે તેના કામમાં ડુબાવી,પરમાનંદ દેતો રહ્યો છે તે મને!!

અનિલ
ડીસેમ્બર-૧૩-૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-460

 

અધ્યાય-૧૭૧-માયાવી યુદ્ધ 


II अर्जुन उवाच II ततोSश्मवर्ष सुमहत्प्रादुरसित्समंततः I नगमात्रै शिलाखण्डैस्तन्मां दढमपीडयत  II १ II

અર્જુન બોલ્યો-તે સમયે મારા પર ચારે બાજુથી પથ્થરોની મહાન વૃષ્ટિ ચાલી અને પર્વત જેવા શિલાખંડોવાળી તે

ઝડી મને અત્યંત પીડવા લાગી.પણ,તે વૃષ્ટિ પર મેં,મહેન્દ્રાસ્ત્રથી મંત્રેલાં વજ્ર જેવાં બાણોની ઝડી વરસાવી ને તે

પથ્થરોના ચૂરેચૂરા કરી નાખ્યા.આમ,તેનો નાશ થયો ત્યારે મારી સામે મહાપ્રબળ જળવર્ષા થવા લાગી,

ને જોશભેર પવન ફૂંકાવા લાગ્યો,જેના કારણે કશું જ ઓળખાતું નહોતું,

Mar 18, 2024

માગું,હરપળ તને-By અનિલ શુક્લ

 
ધરતીમાએ,આજ બરફની શ્વેત ચાદર ઓઢી,
ને જાણે,જ્ઞાનની ચાદર આજ,ભક્તિએ ઓઢી.

નથી કમાવું પુણ્ય કે નથી કરવું કોઈ પાપ પણ હવે,
ને નથી માગવી ભુક્તિ કે નથી માગવી કોઈ મુક્તિ,

ઓઢી લીધી છે,ચાદર જયારે ભક્તિની,તો હવે,
માગું,હરપળ તને ને તને જ,બીજું કંઈ નહિ ખપે.

અનિલ
ડીસેમ્બર-૧૧-૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-459

 

અધ્યાય-૧૬૯-નિવાત-કવચ સાથે યુદ્ધ 


II अर्जुन उवाच II ततोSह स्तूयमानस्तु तत्र तत्र महर्षिभिः I अपस्यमुदधि भीममपांपतिमथाव्ययम्  II १ II

અર્જુન બોલ્યો-પછી,સ્થળે સ્થળે મહર્ષિઓથી સ્તુતિ કરાયેલા મેં,અનંત અને ભીષણ જલનાથ જળનિધિને જોયો.

મહાવેગવાળા તે જળનિધિને જોયા પછી,મેં દાનવોથી ભરેલા તે દૈત્યનગરને પાસેથી જોયું.માતલિએ ત્યાં જ

રથને એકદમ પૃથ્વીની સપાટી પર ઉતાર્યો.ને રથઘોષથી ત્રાસ વર્તાવતો તે રથ નગર તરફ દોડવા લાગ્યો.

Mar 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-458

 

અધ્યાય-૧૬૮-લોકપાલોનાં અસ્ત્રોની પ્રાપ્તિનું વર્ણન 


II अर्जुन उवाच II ततस्तामवसं प्रीतो रजनीं तत्र भारत I प्रसादादेवदेवस्य त्र्यम्बकस्य महात्मान:II १ II

અર્જુન બોલ્યો-પછી,હે ભારત,દેવાધિદેવ મહાત્મા શંકરની કૃપાથી હું તે રાત ત્યાં જ રહ્યો.બીજે દિવસે પ્રાતઃકાળે,

મેં ફરીથી પેલા બ્રાહ્મણને ત્યાં જોયો,એટલે મેં તેને શંકરને મળ્યાનો સર્વ વૃતાંત કહ્યો.પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણે મને  કહ્યું કે-

તું મહાદેવનાં જેવાં દર્શન પામ્યો છું તેવાં દર્શન બીજા કોઈને એ થયાં નથી.હવે તું યમ આદિ સર્વ લોકપાલોને મળીને ઇંદ્રનાં દર્શન પામીશ તે તને અસ્ત્રો આપશે' આમ કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો.