Mar 7, 2024
આંખ ભીની-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-448
જટાસુરવધ પર્વ
અધ્યાય-૧૫૭-જટાસુરનો વધ
II वैशंपायन उवाच II ततस्तान्यरिविश्वस्तान्वसतस्तत्र पांडवान् I पर्वतेन्द्रे द्विजैः सार्ध पार्थागमनकांक्षया II १ II
વૈશંપાયન બોલ્યા-હવે,અર્જુનના આગમનની વાટ જોતા તે પાંડવો,તે શ્રેષ્ઠ પર્વત પર બ્રાહ્મણોની સાથે નિર્ભયતાથી વસતા હતા.એવામાં એક વખતે,જયારે ઘટોત્કચ,રાક્ષસો તથા ભીમ બહાર ગયા હતા ત્યારે જટાસુર નામનો એક રાક્ષસ ત્યાં બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો ને 'હું મંત્રકુશળ બ્રાહ્મણ છું ને સર્વ શાસ્ત્રોનો જાણકાર છું' એમ કહીને તેણે ધર્મરાજ,નકુલ,સહદેવ ને દ્રૌપદીનાં ચિત્ત હરી લીધાં,ને ત્યાં તે તેમની સેવા કરવા લાગ્યો.
હકીકતમાં તો તે પાંડવોના ધનુષ્યબાણો ઉપાડી જવાનું ને દ્રૌપદીનું હરણ કરવાની ઈચ્છા ધરાવતો હતો.
ભોળા ધર્મરાજ તેનું પોષણ કરતા હતા,પરંતુ રાખમાં ઢંકાયેલા અગ્નિની જેમ તેને ઓળખી શક્યા નહોતા.(6)
Mar 6, 2024
બેખબર-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-447
અધ્યાય-૧૫૬-પાંડવો નરનારાયણના આશ્રમે
II वैशंपायन उवाच II तस्मिन्निवसमानोSय धर्मराजो युधिष्ठिरः I कृष्णया सहितान्भ्रात्रुनित्युवाच सह्द्विजान् II १ II
વૈશંપાયન બોલ્યા-તે સ્થાને નિવાસ કરી રહેલા ધર્મરાજે,દ્રૌપદી તથા બ્રાહ્મણોની સાથે પોતાના ભાઈઓને કહ્યું કે-
આપણે જુદાંજુદાં પવિત્ર ને કલ્યાણકારી તીર્થોને જોયાં,ત્યાં અને વનોમાં ઋષિઓને મળી તેમનું પૂજન કર્યું,
તેમણે કહેલાં ચરિત્રો ને કથાઓ આપણે સાંભળી,પવિત્ર તીર્થોમાં આપણે દેવોને અને પિતૃઓને તૃપ્ત કર્યા છે.
મહાત્માઓ સાથે આપણે રમ્ય પર્વતો પર સર્વ સરોવરોમાં અને સાગરમાં સ્નાન કર્યા ને અનેક પવિત્ર નદીઓમાં પણ સ્નાન કર્યા છે.ગંગાદ્વારને ઓળંગીને આપણે હિમાલય પર્વત,વિશાલ બદ્રી ને નરનારાયણનો આશ્રમ જોયો.
Mar 5, 2024
કર્મ-સન્યાસ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-446
અધ્યાય-૧૫૫-પાંડવો ભીમને મળ્યા
II वैशंपायन उवाच II ततस्तानि महार्हाणि दिव्यानि भरतर्षम I बहूनि बहुरूपाणि विरजासि समाह्रुदे II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,પછી,ભીમે તે મહામૂલ્યવાન,દિવ્ય,અનેક રૂપવાળા અને નિર્મળ એવાં ઘણાં કમળો લીધાં.ભીમ જયારે આ પરાક્રમ કરતો હતો ત્યારે યુધિષ્ઠિરના નિવાસસ્થાનમાં પ્રચંડ પવન વાવા લાગ્યો.
ત્યારે મોટી ઉલ્કાઓ કડાકા સાથે પાડવા લાગી ને અંધકાર છવાઈ ગયો.ઉત્પાતોને આ આશ્ચર્ય જોઈને યુધિષ્ઠિર બોલ્યા કે-શું આપણા પર કોઈ ચડી આવશે કે શું? સર્વ સજ્જ થાઓ,આપણે પરાક્રમ કરવાનો સમય આવી ગયો હોય તેમ લાગે છે' યુધિષ્ઠિરે ચારે તરફ દ્રષ્ટિ કરી પણ ભીમ જોવામાં ન આવ્યો એટલે તેમણે કૃષ્ણાને પૂછ્યું.કે-
Mar 4, 2024
સૂરજ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-445
અધ્યાય-૧૫૩-કુબેરનું સરોવર
II वैशंपायन उवाच II स गत्वा रम्यां राक्षसैरभिरक्षिताम् I कैलासशिखराम्याशे ददर्श शुभकाननम् II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યાંથી આગળ કૈલાસ શિખર પાસે જઈને,તે ભીમે,શુભ વનવાળું અને રાક્ષસોથી રક્ષાયેલું રમણીય કમળ સરોવર જોયું.કુબેરના ધામની પાસે પર્વતમાંથી આવતાં ઝરણાંથી બનેલું,તે અત્યંત રળિયામણું સરોવર ચોતરફ વૃક્ષોથી ઘેરાયેલું હતું.તે તે સુવર્ણનાં કમળોથી ભરપૂર અને દિવ્ય હતું.તેમાં જાતજાતનાં પક્ષીઓનાં ગુંજન થતાં સંભળાતા હતા.ત્યાં સુંદર ઓવારાઓ હતા,ત્યાં કાદવ નહોતો ને તેનું પાણી સ્વચ્છ ને નિર્મલ હતું.
ભીમે તે અમૃત જેવું મીઠું ને શીતલ જળનું પુષ્કળ પાન કર્યું.
Mar 3, 2024
નાદ-બ્રહ્મ-By અનિલ શુક્લ
દૂરથી થયો બંસીનાદ ને હૃદયેથી પણ નાદ-બ્રહ્મ વાગી રહ્યો.
વધી છે વિરહની વ્યાકુળતા ગોપીની,ભલે કાન્હો હૃદયે વસે,
નથી હોશ તનનો,છે-બેહોશી,તો કાન્હો કાનમાં આવી હસે !
દોડી હતી ગોપી,રમવા જે રાસ અને સુણવા બંસી નાદને,
તન થયાં એક,તો હૈયે જ રાસ અને નાદ દિલમાં જ બજે.
અનિલ
સપ્ટેબર-૨૪-૨૦૨૦
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-444
અધ્યાય-૧૫૨-ભીમે સૌગન્ધિક વન દીઠું
II वैशंपायन उवाच II गते तस्मिन् हरिवरे भीमोSपि बलिनां वरः I तेन मार्गेण विपुलं व्यचरद गन्धमादनम् II १ II
વૈશંપાયન બોલ્યા-હનુમાનના અંતર્ધાન થયા પછી,તે મહાબળવાન ભીમે તેમણે બતાવેલા માર્ગ પર જવા લાગ્યો.
હનુમાનનું સ્વરૂપ,ને તેમનું માહાત્મ્ય ને તેમનો પ્રભાવ એ બધું મનમાં સંભારતો તે આગળ ચાલ્યો.
સૌગન્ધિક વન જોવાની ઈચ્છાથી તે જતી હતો ત્યારે તેણે રસ્તામાં રમ્ય વનો,ઉપવનો,સરોવરો ને સરિતાઓ જોઈ.રસ્તામાં તેને મદમસ્ત હાથીઓના ઝુંડો,જોયાં ને વાઘો આદિથી સેવાયેલા તે પર્વતમાં ગયો.