Mar 7, 2024

આંખ ભીની-By અનિલ શુક્લ

 

હૃદયમાં બંધ થઇ,સુકાઈ ગયા હતા શું આંસુ?
થયું શું આજ એવું કે?આંખ ભીની થઇ ગઈ !

દુર તો ક્યાં હતા તમે? પણ નજરનો જ હતો દોષ,
તન્મયતા થઇ જ્યાં -તો આંખ ભીની થઇ ગઈ.

આવ્યાં જ છો જો તમે હૃદયથી નજર સુધી,
સ્વાગત છે તમારું દિલથી,આમ જ વહેતાં રહો.

ભલે,સમજે નહિ કોઈ,કે હું કેમ -શું લખી રહ્યો !
વહ્યો અનિલ,તુજ સંગ તો સુગંધ વહેતી રહી !

અનિલ
માર્ચ-૨૫-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-448

જટાસુરવધ પર્વ 

અધ્યાય-૧૫૭-જટાસુરનો વધ 

II वैशंपायन उवाच II ततस्तान्यरिविश्वस्तान्वसतस्तत्र पांडवान् I पर्वतेन्द्रे द्विजैः सार्ध पार्थागमनकांक्षया II १ II

વૈશંપાયન બોલ્યા-હવે,અર્જુનના આગમનની વાટ જોતા તે પાંડવો,તે શ્રેષ્ઠ પર્વત પર બ્રાહ્મણોની સાથે નિર્ભયતાથી વસતા હતા.એવામાં એક વખતે,જયારે ઘટોત્કચ,રાક્ષસો તથા ભીમ બહાર ગયા હતા ત્યારે જટાસુર નામનો એક રાક્ષસ ત્યાં બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો ને 'હું મંત્રકુશળ બ્રાહ્મણ છું ને સર્વ શાસ્ત્રોનો જાણકાર છું' એમ કહીને તેણે ધર્મરાજ,નકુલ,સહદેવ ને દ્રૌપદીનાં ચિત્ત હરી લીધાં,ને ત્યાં તે તેમની સેવા કરવા લાગ્યો.

હકીકતમાં તો તે પાંડવોના ધનુષ્યબાણો ઉપાડી જવાનું ને દ્રૌપદીનું હરણ કરવાની ઈચ્છા ધરાવતો હતો.

ભોળા ધર્મરાજ તેનું પોષણ કરતા હતા,પરંતુ રાખમાં ઢંકાયેલા અગ્નિની જેમ તેને ઓળખી શક્યા નહોતા.(6)

Mar 6, 2024

બેખબર-By અનિલ શુક્લ

 

જે રાખતો જગની ખબર,કોણ જાણે બન્યો છે કેમ એ બેખબર?
ખબર રાખી નહિ,કે ભૂલ્યા તને,કે બીજું કારણ? ઓ બેખબર?

થયું હતું બેહોશ ને હોશમાં આવે તે પહેલાં બેહોશ કર્યું જગતને,
હોશમાં હોય કોઈ,તો ખબર જગની બેહાલીના દેશો એ બેખબરને?

અનિલ
એપ્રિલ,૧૮,૨૦૨૦-Corona Virus Pandemic


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-447

 

અધ્યાય-૧૫૬-પાંડવો નરનારાયણના આશ્રમે 


II वैशंपायन उवाच II तस्मिन्निवसमानोSय धर्मराजो युधिष्ठिरः I कृष्णया सहितान्भ्रात्रुनित्युवाच सह्द्विजान्  II १ II

વૈશંપાયન બોલ્યા-તે સ્થાને નિવાસ કરી રહેલા ધર્મરાજે,દ્રૌપદી તથા બ્રાહ્મણોની સાથે પોતાના ભાઈઓને કહ્યું કે-

આપણે જુદાંજુદાં પવિત્ર ને કલ્યાણકારી તીર્થોને જોયાં,ત્યાં અને વનોમાં ઋષિઓને મળી તેમનું પૂજન કર્યું,

તેમણે કહેલાં ચરિત્રો ને કથાઓ આપણે સાંભળી,પવિત્ર તીર્થોમાં આપણે દેવોને અને પિતૃઓને તૃપ્ત કર્યા છે.

મહાત્માઓ સાથે આપણે રમ્ય પર્વતો પર સર્વ સરોવરોમાં અને સાગરમાં સ્નાન કર્યા ને અનેક પવિત્ર નદીઓમાં પણ સ્નાન કર્યા છે.ગંગાદ્વારને ઓળંગીને આપણે હિમાલય પર્વત,વિશાલ બદ્રી ને નરનારાયણનો આશ્રમ જોયો.

Mar 5, 2024

કર્મ-સન્યાસ-By અનિલ શુક્લ

 

રસ્તો રહ્યો નથી,રસ્તો જ મંજિલ થઇ ગયો,
નથી રહી ઈચ્છા,પૂર્ણ બની પૂર્ણમય થઇ ગઈ.

ધ્યાતા,ધ્યાનના રસ્તે વહ્યો હતો ધ્યેય પ્રતિ,
ત્રિપુટી તૂટી અને માત્ર ધ્યેય સર્વત્ર વહી રહ્યો.

વસ્ત્ર-સન્યાસ નહિ,પણ કર્મ-સન્યાસ થઈ ગયો,
વહેતો અનિલ,સ્થિર થઇ આકાશમાં વસી રહ્યો..

અનિલ
એપ્રિલ,૨૩.૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-446

 

અધ્યાય-૧૫૫-પાંડવો ભીમને મળ્યા 


II वैशंपायन उवाच II ततस्तानि महार्हाणि दिव्यानि भरतर्षम I बहूनि बहुरूपाणि विरजासि समाह्रुदे II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,પછી,ભીમે તે મહામૂલ્યવાન,દિવ્ય,અનેક રૂપવાળા અને નિર્મળ એવાં ઘણાં કમળો લીધાં.ભીમ જયારે આ પરાક્રમ કરતો હતો ત્યારે યુધિષ્ઠિરના નિવાસસ્થાનમાં પ્રચંડ પવન વાવા લાગ્યો.

ત્યારે મોટી ઉલ્કાઓ કડાકા સાથે પાડવા લાગી ને અંધકાર છવાઈ ગયો.ઉત્પાતોને આ આશ્ચર્ય જોઈને યુધિષ્ઠિર બોલ્યા કે-શું આપણા પર કોઈ ચડી આવશે કે શું? સર્વ સજ્જ થાઓ,આપણે પરાક્રમ કરવાનો સમય આવી ગયો હોય તેમ લાગે છે' યુધિષ્ઠિરે ચારે તરફ દ્રષ્ટિ કરી પણ ભીમ જોવામાં ન આવ્યો એટલે તેમણે કૃષ્ણાને પૂછ્યું.કે-

Mar 4, 2024

સૂરજ-By અનિલ શુક્લ

 

જો આ સૂરજ તો ઉગ્યો ય ને આથમી પણ ગયો,
કોઈ દોડે અહી-કોઈ તહી,સૂરજ સાંજ પાડી ગયો.

પ્રીતિ પ્રભુની રાખવાની,જગતમાં કોને છે પડી ?
જુઓ,ભીતિ ય છે કોઈને? ઝંઝાવાત વહી રહ્યો 

અનિલ 
7-27-2020


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-445

 

અધ્યાય-૧૫૩-કુબેરનું સરોવર 


 II वैशंपायन उवाच II स गत्वा रम्यां राक्षसैरभिरक्षिताम् I कैलासशिखराम्याशे ददर्श शुभकाननम् II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યાંથી આગળ કૈલાસ શિખર પાસે જઈને,તે ભીમે,શુભ વનવાળું અને રાક્ષસોથી રક્ષાયેલું રમણીય કમળ સરોવર જોયું.કુબેરના ધામની પાસે પર્વતમાંથી આવતાં ઝરણાંથી બનેલું,તે અત્યંત રળિયામણું સરોવર ચોતરફ વૃક્ષોથી ઘેરાયેલું હતું.તે તે સુવર્ણનાં કમળોથી ભરપૂર અને દિવ્ય હતું.તેમાં જાતજાતનાં પક્ષીઓનાં ગુંજન થતાં સંભળાતા હતા.ત્યાં સુંદર ઓવારાઓ હતા,ત્યાં કાદવ નહોતો ને તેનું પાણી સ્વચ્છ ને નિર્મલ હતું.

ભીમે તે અમૃત જેવું મીઠું ને શીતલ જળનું પુષ્કળ પાન કર્યું.

Mar 3, 2024

નાદ-બ્રહ્મ-By અનિલ શુક્લ

 

ઝણકી ઉઠ્યા તાર વીણાના,ને સૂર-તાન પણ સૂરમય થયા,

દૂરથી થયો બંસીનાદ ને હૃદયેથી પણ નાદ-બ્રહ્મ વાગી રહ્યો.


વધી છે વિરહની વ્યાકુળતા ગોપીની,ભલે કાન્હો હૃદયે વસે,

નથી હોશ તનનો,છે-બેહોશી,તો કાન્હો કાનમાં આવી હસે !


દોડી હતી ગોપી,રમવા જે રાસ અને સુણવા બંસી નાદને,

તન થયાં એક,તો હૈયે જ રાસ અને નાદ દિલમાં જ બજે.


અનિલ 

સપ્ટેબર-૨૪-૨૦૨૦



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-444

 

અધ્યાય-૧૫૨-ભીમે સૌગન્ધિક વન દીઠું


 II वैशंपायन उवाच II गते तस्मिन् हरिवरे भीमोSपि बलिनां वरः I तेन मार्गेण विपुलं व्यचरद गन्धमादनम् II १ II

વૈશંપાયન બોલ્યા-હનુમાનના અંતર્ધાન થયા પછી,તે મહાબળવાન ભીમે તેમણે બતાવેલા માર્ગ પર જવા લાગ્યો.

હનુમાનનું સ્વરૂપ,ને તેમનું માહાત્મ્ય ને તેમનો પ્રભાવ એ બધું મનમાં સંભારતો તે આગળ ચાલ્યો.

સૌગન્ધિક વન જોવાની ઈચ્છાથી તે જતી હતો ત્યારે તેણે રસ્તામાં રમ્ય વનો,ઉપવનો,સરોવરો ને સરિતાઓ  જોઈ.રસ્તામાં તેને મદમસ્ત હાથીઓના ઝુંડો,જોયાં ને વાઘો આદિથી સેવાયેલા તે પર્વતમાં ગયો.