Feb 26, 2024

તરંગ-By અનિલ શુક્લ

 

પૂછે સર્વ -કે બીજા શું ખબર? તો વિચારું કે જવાબ શું દઉં?

બેખબર છે દિલ,નથી રહયો જ્યાં 'હું' તો જગતની ખબર શું દઉં?


ખબર જ્યાં એ 'એક' ની થઇ,તો પછી 'બીજાની' ખબર તો ક્યાંથી રહે?

તરંગ ને ખબર હતી તેની,પણ બન્યું બેખબર,જ્યાં સાગરમાં સમાઈ ગયું.

--અનિલ મે,21,2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-438

અધ્યાય-૧૪૫-બદ્રિકાશ્રમની યાત્રા 


II युधिष्ठिर उवाच II धर्मज्ञो बलवान शूरः सत्यो राक्षसपुंगवः I भक्तोSस्मानौरस: पुत्रो भीम गृहणातु मा चिरम् II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે ભીમ,આ રાક્ષસવર ઘટોત્કચ,ધર્મજ્ઞ,બળવાન,શૂરવીર,સત્યવાદી,આપણો ભક્ત ને તારો ઔરસ પુત્ર છે તો તે ભલે આપણને ઊંચકીને લઇ જાઓ.હે ભીમ,તારા બાહુબળથી જ હું ગંધમાદન પર્વત 

પર જઈ શકીશ' યુધિષ્ઠિરનું આવું વચન સાંભળીને ભીમસેને ઘટોત્કચને આદેશ આપતાં કહ્યું કે-

તારી આ માતા થાકી ગઈ છે,તું બળવાન ને ઈચ્છાગતિ વાળો છે,તો એને ખભે બેસાડીને,

તું એને પીડા ન થાય તે રીતે અમારી વચ્ચે રહી હળવી ગતિથી આકાશમાર્ગે ચાલ.(5)

Feb 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-437

 

અધ્યાય-૧૪૪-દ્રૌપદીને મૂર્છા ને ઘટોત્કચનું આવવું 


II वैशंपायन उवाच II कोशमात्रं प्रपातेषु पांडवेषु महात्मसु I एद्म्यामनुचिता गंतुं द्रौपदी समुपाविशत् II १ II

વૈશંપાયન બોલ્યા-હવે તે મહાત્મા પાંડવો હજુ એક કોશ જેટલે દૂર ગયા ત્યારે પગે ચાલવાને અયોગ્ય એવી દ્રૌપદી રસ્તા પર જ બેસી ગઈ.પવન ને વૃષ્ટિને લીધે થાકીને,દુઃખથી ઘેરાઈને,તે એકદમ મૂર્છાવશ થઇ ગઈ.

ભાંગેલી વેલીની જેમ જમીન પર પડવા લાગેલી તે દ્રૌપદીને નકુલે એકદમ દોડી જઈને ઝાલી લીધી.(5)

Feb 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-436

 

અધ્યાય-૧૪૩-ભયંકર વૃષ્ટિ અને તોફાન 


II वैशंपायन उवाच II ते शुरास्ततधन्वानस्तुणर्वत: समार्गणा : I यद्वगोधांगुलित्राणाः खडगवंतो मितौजस : II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ એવા તે અમાપ તેજવાળા શૂરવીર પાંડવો ઉત્તમ બ્રાહ્મણો ને દ્રૌપદી સાથે ગંધમાદન તરફ ચાલ્યા.તેમણે ધનુષ્ય ને તલવાર સજ્યાં હતા.તેમણે પર્વત પર અનેક સરોવરો,સરિતાઓ,વનો અને દેવર્ષિઓએ સેવેલા દેશોને જોયા.પછી,તે મહાત્માઓએ ઋષિઓ,સિદ્ધો ને દેવોથી ભરેલા,ગંધર્વો ને અપ્સરાઓને વહાલા,અને કિન્નરોના સંચારવાળા ગંધમાદન પર્વતમાં પ્રવેશ કર્યો.

Feb 23, 2024

સ્થિર અનિલ-By અનિલ શુક્લ

 

ભોગવી લો,જોઈ લો આ માયાવી જગતને ત્યાં સુધી,પણ,

જ્યાં એ જગત,ગગનમાં સમાયું,તો પછી એ દેખાશે નહિ.


સંભળાય છે એ નાદ?સાંભળીને ભલે બની જાઓ ઉન્મત્ત,

શૂન્યતા બ્રહ્મની જ્યાં પ્રસરી કે પછી તે સંભળાશે નહિ.


સુગંધ અનિલની સુંઘી લો કે સુરાવલી તેની સાંભળી લો,

જ્યાં સ્થિર થયો અનિલ,એ ગગનમાં,તો પછી દેખાશે નહિ.


અનિલ -મેં-25,2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-435

 

અધ્યાય-૧૪૨-નરકાસુરનો વધ તથા વરાહનું ચરિત્ર 


II लोमश उवाच II द्रष्टारः पर्वताः सर्वे नद्यः सपुरकाननाः तीर्थानि चैव श्रिमंति स्पृष्टं सलिलं करैः II १ II

લોમશ બોલ્યા-હે દર્શન કરનારાઓ,તમે સર્વ પર્વતો,નદીઓ,નગરો,વનો અને તીર્થો જોયાં છે ને તેના જળનો હાથથી

સ્પર્શ કર્યો છે,હવે આ માર્ગ દિવ્ય મંદર પર્વત તરફ જશે,તમે સૌ સાવધાન અને ઉદ્વેગરહિત થાઓ.

મંગળ જળવાળી આ પાવનકારી મહાનદી વહે છે,જેનું મૂળ બદરિકાશ્રમમાં છે.દેવો ને ઋષિઓ તેનું સેવન કરે છે.

સામગાન કરનારા મરીચિ,પુલહ,ભૃગુ ને અંગિરા અહીં સામનું ગાન કરે છે.ઇન્દ્ર,મરુદગણ સાથે આહનિક જપે છે.

સૂર્ય,ચંદ્ર,તારાઓ ને ગ્રહો,રાતદિવસના વિભાગ અનુસાર આ નદીને અનુસરે છે.શિવજીએ ગંગાદ્વારમાં આ નદીના

જળને મસ્તક પર ઝીલ્યું હતું,તેથી લોકની રક્ષા થઇ હતી.તમે સૌ આ ભગવતી ગંગાને પ્રણામ કરો.(10)

Feb 22, 2024

લખાવ્યું-By અનિલ શુક્લ

 

લખાવ્યું 'એ'ને જે,લખી દીધું છે,પ્રેમસભર હૈયે,

હવે આંગળીઓ વશમાં નથી અને થોડી કંપે.


મૌન-રૂપે આવી ગઈ છે,વાણીની સરહદ,નજદીક,

ધીમી ગતિના પડતા પગલે,પગ પણ થોડા લથડે.


લાગે છે કે કાળની દોસ્તી બહુ ચાલશે નહિ અનિલ,

ગણતરીના શ્વાસ પુરા થઇ,મારી લોચા,થોડા લથડે.


જાતને જોઈ છે,મેં નાડાછડીથી બંધાયેલી સફેદ કપડે,

બંધાયેલ પણ મુક્ત થયેલ મને જોઈ,હૈયું ન હવે ફફડે.

અનિલ-મે-26-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-434

 

અધ્યાય-૧૪૧-યુધિષ્ઠિરના ઉદ્દગાર 


II युधिष्ठिर उवाच II भीमसेन यमौ चौमौ पाञ्चाली च नियोधत I नास्ति भूतस्य नाशौ वै पश्यतास्मान्वनेचरान II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે ભીમસેન,નકુળ,સહદેવ ને પાંચાલી,તમે સાંભળો.પ્રાણીઓના પૂર્વકર્માનો નાશ થતો જ નથી,જુઓ આપણે કેવાં વનમાં ભટકીએ છીએ ! દુઃખ ભોગવીએ છીએ,છતાં અર્જુનને જોવાની ઈચ્છાથી,ચાલી ન શકાય તેવા દેશમાં પણ આપણે ચાલી રહ્યા છીએ.હું તે વીર અર્જુનને મારી પાસે જોતો નથી એટલે એનો વિરહ મારા અંગેઅંગને બાળી રહ્યો છે.મને યાજ્ઞસેનીનું અપમાન સળગાવી રહ્યું છે.આ તીર્થો,વનો અને સરોવરોમાં હું તમારી સાથે તે અર્જુનના દર્શનની ઈચ્છાથી જ ફરું છું.તેને પાંચ વર્ષથી મેં જોયો નથી એટલે હું બળી રહ્યો છું.(7)

Feb 21, 2024

પ્રેમની સગાઇ-By અનિલ શુક્લ

 


પીતાંબર પહેરી,કર્યાં ટપકાં-ટીલાં,લીધી હાથમાં માળા ને વગાડી ઘંટડી,

ધૂપ-દીવો ને આરતી કરી ગયા મંદિરમાં,આવી ભક્તિથી,પ્રભુ મળે નહિ,

ભક્તિ તીવ્ર બને જો પ્રેમથી,ને આંખથી વહેવા લાગે જો ધારાઓ અશ્રુની,
રોકી શકશે નહી પ્રભુ,આ પ્રેમની સગાઇ,પાગલ થયા વિના પ્રભુ મળે નહિ.

અનિલ જૂન-5-2021


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-433

 

અધ્યાય-૧૪૦-પાંડવોનું ગંધમાદન પર્વત તરફ પ્રયાણ 


II युधिष्ठिर उवाच II एतर्हितानि भूतानि बलवंति महान्ति च I अग्निना तपसा चैव शक्यं गन्तु वृकोदर II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે વૃકોદર,આ સ્થાનોમાં મહાન ને બળવાન પ્રાણીઓ લપાઈને રહે છે,તપ અને અગ્નિની સહાયથી જ આપણે આગળ જઈ શકીશું.તો તું બળ ને દક્ષતાનો આશ્રય કરીને ભૂખ તરસને દૂર કર.લોમશ મુનિએ જે વચન કહ્યાં તે તેં સાંભળ્યા છે.અહીં,દ્રૌપદી કેવી રીતે ચાલી શકશે?