Sep 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-624

અધ્યાય-૫૮-દ્રોણાચાર્ય અને અર્જુન વચ્ચે સંગ્રામ 


II वैशंपायन उवाच II क्रुपेपनिते द्रोणस्तु प्रगृह्य सशरं धनुः I अभ्यद्रवदनाधृष्पः शोणाश्वः श्वेतवाहनम् II १ II 

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે કૃપાચાર્ય રણભૂમિમાંથી પાછા હટ્યા,એટલે લાલ અશ્વના રથવાળા અને અપરાજિત એવા દ્રોણાચાર્ય ધનુષ્યબાણ લઈને શ્વેતવાહન અર્જુનની સામે ધસી આવ્યા.સુવર્ણરથમાં બેસેલા ગુરુને પોતાની સમીપ આવી રહેલા જોઈને અર્જુને ઉત્તરને કહ્યું કે-'સામે આવી રહેલા મારા ગુરુ દ્રોણાચાર્ય સામે તું રથ લે,આ સંગ્રામમાં હું તેમની સામે યુદ્ધ કરવા ઈચ્છું છું' અર્જુનના કહેવાથી ઉત્તરે રથને વેગપૂર્વક રથને દ્રોણાચાર્ય તરફ હાંક્યો.ત્યારે શંખના ઘોષો થયા અને સેંકડો ભેરીઓના નાદ ઉઠ્યા.એટલે ત્યાં આખું સૈન્ય ઉછળી રહેલા સાગરની જેમ ખળભળી ઉઠ્યું.લોકો વિસ્મયમાં પડ્યા.

Sep 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-623

 

અધ્યાય-૫૬-યુદ્ધ જોવા માટે દેવો-આદિનું આગમન 


II वैशंपायन उवाच II तान्यानिकान्यद्रष्यंत कृरुणामग्रधन्विनाम I संसर्पत्ते यथा मेघा धर्मान्ते मंदमारुताः II १ II

 વૈશંપાયન બોલ્યા-ત્યાં ઉગ્ર ધનુષ્યને ધારણ કરનારી કુરુઓની સેનાઓ,ગ્રીષ્મકાલે પવનથી ચાલતા મેઘોની જેમ હળવે હળવે આગળ વધતી જણાઈ.કૃપાચાર્યની સાથેના યોદ્ધાઓ,તેમના હાથીઓ,ઘોડાઓ ને રથોથી સજ્જ સેના સાથે થનારા સંગ્રામને જોવા વિશ્વદેવા,અશ્વિનીકુમારો,મરુતગણો આદિ સાથે ઇંદ્ર ત્યાં તેના સુંદર વિમાનમાં બેસીને આવ્યો.દેવો,યક્ષો,ગંધર્વો

અને મહાસર્પોથી ભરાઈ ગયેલું આકાશ તે વખતે ગ્રહમંડળની જેમ શોભી રહ્યું.

Sep 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-622

 

અધ્યાય-૫૫-અર્જુનનો સપાટો 

II वैशंपायन उवाच II अपयाते तु राधेये दुर्योधनपुरोगमाः I अनीकेन यथा स्वेन शनैरार्च्छत् पाण्डवं II १ II

વૈશંપાયન બોલ્યા-તે રાધેય કર્ણ પલાયન થયો ત્યારે દુર્યોધન આદિ કૌરવો પોતપોતાની સેનાની સાથે ધીરે ધીરે અર્જુનની સામે આવવા લાગ્યા.વ્યુહબદ્ધ થઈને તેઓએ અર્જુન પર બાણોની વૃષ્ટિ કરવા માંડી.ત્યારે અર્જુને તેમના વેગને રોકીને,દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરતો તે સામે ધસ્યો.ને ગાંડીવથી અસંખ્ય બાણો છોડીને તેણે દશે દિશાઓને ઢાંકી દીધી.તે વખતે રથો,અશ્વો,હાથીઓ અને કવચોની બે આંગળ જેટલી જગ્યા પણ અર્જુનનાં તીક્ષણ બાણોથી વીંધાયા વગરની રહી નહોતી.અર્જુનનું આ શીઘ્ર અને શ્રેષ્ઠ પરાક્રમ જોઈને શત્રુઓ પણ તેની સ્તુતિ કરવા લાગ્યા. 

Sep 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-621

 
અધ્યાય-૫૪-કર્ણ પલાયન થયો 

II वैशंपायन उवाच II 
स शत्रुसेनां तरसा प्रनुध्य गास्ता विजित्याथ धनुरधराभ्यः I दुर्योधनायाभिमुखं प्रयातो भूयो रणं सोभिचिकीर्पमाणः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુને,શત્રુસેનાને શીઘ્ર અસ્તવ્યસ્ત કરી નાખી અને ગાયોને જીતી લીધી,પછી ફરી યુદ્ધ કરવાની ઈચ્છાથી તેણે દુર્યોધન તરફ પ્રયાણ કર્યું.ત્યારે સામે ગાયોને પાછી જતી જતી જોઈ,કુરુ યોદ્ધાઓ અર્જુન સામે ધસ્યા.
તે વખતે સામે ધસી આવેલા તે યોદ્ધાઓને જોઈને અર્જુને,ઉત્તરને રથને કર્ણ તરફ લઇ જવાનું કહ્યું અને તે રથીઓની સેનાને વીંધી દઈને રણભૂમિની મધ્યમાં કર્ણની સામે આવીને ઉભો.ત્યારે કર્ણને બચાવવા ચિત્રસેન આદિયોદ્ધાઓ તેની સામે દોડી આવ્યા તો અર્જુને ક્રોધે ભરાઈને તેમના રથોને બાળી મૂકીને નિઃસહાય કરી દીધા.

Sep 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-620

 

અધ્યાય-૫૩-અર્જુને ગાયોને પાછી વાળી 


II वैशंपायन उवाच II तथा व्युढेष्वनिकेषु कौरवेयेषु भारत I उपायादर्जुनस्तुर्ण रथघोषेण नादयन् II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,આમ,કૌરવોએ વ્યુહબંધી કરી ત્યારે અર્જુન રથના ઘોષથી દિશાઓ ગજવતો ત્યાં આવી પહોંચ્યો.

ત્યારે કૌરવોએ અર્જુનની ધજા જોઈ,ને ગાંડીવના લાગલગાટ થતા ટંકારોથી તેમના કાન ભરાઈ ગયા.આ જોઈને અને અર્જુનને આવી પહોંચેલો જાણીને દ્રોણાચાર્ય બોલ્યા-'આ પૃથાનંદનના ધ્વજની ટોચ દૂરથી ઝગઝગી રહી છે,એના રથનો ઘોષ ગાજી રહ્યો છે ને એની ધજા ઉપર રહેલા વાનરની ગર્જના સંભળાઈ રહી છે.જુઓ એના ગાંડીવના બે બાણો મારા પગ આગળ આવીને પડ્યા,એ અર્જુન આમ કરીને મને પ્રણામ કરે છે.રથમાં બેઠેલો તે અગ્નિના જેવો શૉભી રહ્યો છે.(9)

Sep 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-619

 

અધ્યાય-૫૨-વનવાસનાં વર્ષોનો નિર્ણય ને વ્યૂહરચના 


II भीष्म उवाच II कलाः काष्ठाश्च युज्यंते मुहुर्ताश्व दिनानि च I अर्धमासाश्व नक्षत्राणि ग्रहास्तथा II १ II

ભીષ્મ બોલ્યા-કલા,કાષ્ઠા,મુહૂર્ત,દિવસ,પક્ષ,નક્ષત્ર,ગ્રહ,ઋતુ અને સંવત્સર એ સૌના યોગથી કાળગણના થાય છે ને એ રીતે 

કાળવિભાગ પ્રમાણે કાળચક્ર ચાલ્યા કરે છે.તેમાં કાળના અતિરેકથી અને નક્ષત્રોના વ્યતિક્રમને લીધે જે ભેદ પડે છે તે દૂર કરવાને માટે પ્રત્યેક પાંચ પાંચ વર્ષે,બબ્બે માસ ઉમેરવામાં આવે છે,એ રીતે જોતાં,પાંડવોને તેર વર્ષ ઉપર પાંચ મહિના અને બાર રાતો વધારે થાય છે,એમ મારુ માનવું છે.તેમને જે પ્રતિજ્ઞા કરી હતી તે તેમણે યથાર્થ પાળી છે.અને ખાતરીપૂર્વક જાણ્યા પછી જ અર્જુન અહીં યુદ્ધ કરવા સામે આવ્યો છે.તે સર્વ પાંડવો ધર્મ ને અર્થમાં નિષ્ણાત છે,તેઓ નિર્લોભી છે ને તેમણે દુષ્કર કાર્યો કર્યા છે,તેથી તેઓ કેવળ ઉલટા ઉપાયથી રાજ્ય મેળવવાની ઈચ્છા કરે તેમ નથી.