Nov 20, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-348

"આ જગત સાચું છે અને ખોટું પણ છે--હું સર્વ-રૂપ છું--તથા સર્વ થી ન્યારો છું--અને જીવ બ્રહ્મ થી એક છે અને જુદો પણ છે" આવીઆવી ઘણી અનિયમિત કલ્પનાઓના મૂળ-રૂપી-માયા -એ બ્રહ્મ માં હોવી કેમ સંભવે?
જેમ સૂર્યમાં અંધારું હોવું સંભવતું નથી,તેમ સ્વયંપ્રકાશ બ્રહ્મમાં અજ્ઞાન-રૂપી-માયા સંભવતી નથી.તો તે માયા અતિ-નિર્મળ-એવા બ્રહ્મ માં હોય જ કેમ?

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ પ્રશ્ન નો સ્થિર ઉત્તર -એ સિદ્ધાંત ના સમયમાં (નિર્વાણ-પ્રકરણ ના ઉત્તરાર્ધમાં) કહેવામાં આવશે,એટલે તે તમે ત્યારે બરાબર સમજશો.
મોક્ષ ના ઉપાય નો જે છેવટનો સિદ્ધાંત છે-તેને જાણ્યા વિના તમે આવા પ્રશ્નો ના ઉત્તરો ખુલ્લી-રીતે
સાંભળવાને યોગ્ય નથી.જયારે તે સિદ્ધાંત સુધી તમે પહોંચશો ત્યારે જ તમે આવા પ્રશ્નોના ઉત્તરો
સાંભળવાને યોગ્ય થશો.જેમ,યુવાન પુરુષ,સુંદર સ્ત્રીનાં ગાયનો સાંભળવાને પાત્ર છે,
તેમ,આત્મ-જ્ઞાન માં પૂર્ણ-નિષ્ઠા પામેલો પુરુષ જ આવા પ્રશ્નોના ગંભીર ઉત્તરો સાંભળવાને પાત્ર છે.

જેમ,બાળકો ની આગળ કહેલી  રાગ (કવિતા-કે સંગીત) વાળી કથા વ્યર્થ જ જાય છે,
તેમ,અલ્પ-બોધ-વાળા પુરુષો ની આગળ કહેલી,ગંભીર-અર્થ-વાળી વાત વ્યર્થ જાય છે.
કોઈ વાત એવી પણ હોય છે કે-કે જે કોઈ ચોક્કસ સમયે જ મનુષ્ય ને કહેવાથી શોભા પામે છે.(સારી લાગે છે)
અને,જેમ નિર્મળ (ચોખ્ખા) વસ્ત્રમાં જ રંગ બરોબર ચડે છે,
તેમ,સિદ્ધાંત ની વાતો પૂર્ણ વિવેક-વાળા પુરુષના મનમાં જ બરાબર ઠસે છે.
ગંભીર જ્ઞાનની વાત 'પૂર્ણ વિવેક થી આત્મા ને જાણનાર' ને જ કહેવાય અને તેને જ તે વાત ઠસે.

જો કે-આ પ્રશ્નનો ઉત્તર મેં સંક્ષેપમાં જ કહ્યો છે અને તેનો વિસ્તાર કર્યો નથી,
તેથી તે સ્પષ્ટ રીતે તમારા સમજવામાં આવ્યો નથી.
હે,રામ,જો તમે પોતાથી જ પોતાના આત્મા ને જાણશો,તો આ પ્રશ્નના ઉત્તરને પોતાની મેળે જ સારી રીતે જાણી લેશો-તેમાં સંશય નથી.એટલે (આમ) તમે જયારે પૂર્ણ-બોધ (પૂર્ણ-જ્ઞાન) ને પ્રાપ્ત થઈને રહેશો
ત્યારે સિદ્ધાંત ના સમયમાં મારે,તમને વિસ્તારથી આ પ્રશ્ન નો ઉત્તર કહેવાનો છે.

પોતાની ભૂલ (ભ્રમ) થી જ સંસારી થયેલો આત્મા પોતાને સંસારી જાણે છે-પણ જયારે તે ભૂલ (ભ્રમ) ટળી
જાય છે ત્યારે તે આત્મા નિર્મળ થઈને પોતાના "પૂર્ણ-સ્વરૂપ" ને પ્રાપ્ત થાય છે.
હે,રામ, મેં તમને જે "આત્મા ના કર્તાપણાનો અને અકર્તાપણાનો' વિચાર કહ્યો,તે આ "પૂર્ણ સ્વરૂપ"
સમજાવવાના ઉદ્દેશથી જ કહ્યો છે,પણ તે "પૂર્ણ સ્વરૂપ" તમારા સમજવામાં આવ્યું નહિ,
માટે હું ધારું છું કે-હજી તમારી વાસના ક્ષીણ થઈ નથી.

વાસનાઓની "સ્થિતિ" એ જ બંધન છે,અને વાસનાઓનો "ક્ષય" એ જ મોક્ષ છે.માટે
તમે,વાસનાઓને ત્યજી દઈને છેવટે-તો- મોક્ષ ની ઈચ્છા-રૂપ-વાસનાનો પણ ત્યાગ કરજો.

સહુ પ્રથમ,"વિષયો ની -તામસ વાસના"ઓને છોડી દઈને-
મૈત્રી (સમાન પુરુષો ની સાથે મિત્રતા) કરુણા (નિકૃષ્ઠ પુરુષો પ્રતિ દયા)
મુદિતા (ઉત્કૃષ્ટ પુરુષો ને જોઈ ને હર્ષ) ને ઉપેક્ષા (દુર્જનો ની ઉપેક્ષા) નામની "નિર્મળ-વાસના" નું ગ્રહણ કરો.

પછી,એ વાસનાથી વ્યવહાર કરતાં-કરતાં પણ (સંસાર પ્રત્યે અનાસક્તિ રાખીને)
અંતઃકરણ થી એ નિર્મળ-વાસનાને પણ છોડી દઈને,સંકલ્પોથી રહિત થઇ,"બ્રહ્મ-ભાવ" ની વાસના રાખજો.
છેવટે,મન-બુદ્ધિ સહિત તે બ્રહ્મ-ભાવની વાસના ને પણ છોડી દઈને,"પૂર્ણ-સ્વ-રૂપ" માં વિશ્રામ થઈને,
અહંકાર (હું બ્રહ્મ છું-એવા અહંકાર) ને (અહંકાર ની વાસનાને) પણ છોડી દેજો.
સર્વ માં "અહંતા-મમતા" નો ત્યાગ -એ જ સર્વ નો ત્યાગ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE